વિવાદિત નિવેદન બાદ ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, થયા ભાવુક

વિધાનસભા સત્ર દરમિયાન ઉત્તરાખંડ સરકારના મંત્રી પ્રેમચંદ અગ્રવાલે વિવાદિત નિવેદન આપ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું પદ છોડવા અગાઉ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ફેબ્રુઆરી મહિનામાં, વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષી ધારાસભ્યો સાથેની દલિલ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'શું આ રાજ્ય પહાડીઓ માટે બનાવવામાં આવ્યું છે?' આ નિવેદનથી રાજ્યમાં આક્રોશ ફેલાઈ ગયો અને અલગ અલગ સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ રાજીનામાની માગ કરી હતી.

Minister Premchand Aggarwal
livehindustan.com

પ્રેમચંદ અગ્રવાલ રાજ્ય સરકારમાં નાણા અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેમણે આ વિવાદ બાદ ભાવુક થઈને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ માહોલ બનાવવામાં આવ્યો છે. તેમણે પોતાને રાજ્યના આંદોલનકારી બતાવતા રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. રવિવારે પોતાના આવાસ પર પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું કે, ઉત્તરાખંડના અલગ રાજ્ય માટે આંદોલન માટે 1994 થી સતત આંદોલન કર્યું હતું. રાષ્ટ્રીય વોલિબોલના ખેલાડી હતા. તત્કાલીન સરકારે તેમના પર NSA લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હંમેશાં રાજ્ય માટે લડ્યા. ત્યારબાદ મારી વિરુદ્ધ આવો માહોલ બનાવવામાં આવ્યો કે આજે મારે રાજીનામું આપવું પડી રહ્યું છે.

Minister Premchand Aggarwal
indiatoday.in

તમને જણાવી દઈએ કે, અગ્રવાલના નિવેદનને લઈને પ્રસિદ્ધ લોક ગાયક નરેન્દ્ર સિંહ નેગીનું એક ગીત પણ હોળી પર વાયરલ થયું હતું જેમાં તેમના બોલ હતા 'મત મારો પ્રેમ લાલ પિચકારી' નરેન્દ્ર સિંહ નેગી જ એ વ્યક્તિ છે જેમના ગીતથી 2010ના દાયકામાં તત્કાલિન મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીની સરકાર હાલી ગઈ હતી. ભાજપના રાજ્ય નેતૃત્વએ પણ તેમને બોલાવીને નિવેદનો પર સંયમ રાખવા અને યોગ્ય શબ્દાવલીનો ઉપયોગ કરવા કડક સૂચના આપી છે.

Related Posts

Top News

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.