લગભગ વિરાન થઈ ગયું આ ગામ, રહે છે માત્ર એક પરિવાર, આખરે શું છે કારણ

આસામના નલબાડી જિલ્લાના બરધનારા ગામ લગભગ વેરાન થઈ ગયું છે, જ્યાં હવે માત્ર એક પરિવાર જ રહે છે. થોડા વર્ષ અગાઉ રાજ્યના એક પૂર્વ મુખ્યમંત્રીએ ગામ તરફ જતા રસ્તાનું ઉદ્વઘાટન કર્યું હતું. ગત શતાબ્દીમાં આ એક સમૃદ્ધ ગામ કહેવાતું હતું, પરંતુ વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં અહીં માત્ર 16 લોકો જ બચ્યા હતા. ઉચિત રોડની અછતના કારણે નંબર-2 બરધનારા ગામમાં હવે માત્ર 5 સભ્યોવાળો એક જ પરિવાર બચ્યો છે.

વિમલ ડેકા, તેની પત્ની અનિમા અને તેમના 3 બાળકો, નરેન, દીપાલી અને સેઉતી મુખ્યાલય શહેર નલબાદીથી લગભગ 12 કિલોમીટર દૂર ઘોગરાપારા ક્ષેત્રના આ ગામના એકમાત્ર રહેવાસી છે. દીપાલીએ કહ્યું સ્કૂલ અને કોલેજ જવાના કારણે અમને મુખ્ય રોડ સુધી પહોંચવા માટે પાણી અને કીચડ ભરેલા રસ્તાથી બે કિલોમીટરની યાત્રા કરવી પડે છે. મોનસૂન દરમિયાન અમે હોડીથી યાત્રા કરીએ છીએ. અનિમા પોતાના બાળકોને શાળા-કૉલેજથી લાવવા તથા પહોંચાડવા માટે હોડી ચલાવે છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓ છતા પરિવારે 3 બાળકો માટે ઉચિત શિક્ષણ સુનિશ્ચિત કર્યું છે.

દીપાલી અને નરેન સ્નાતક છે તેમજ સેઉતી ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, વીજળી ન હોવાના કારણે બાળકો કેરોસીન લેમ્પના અજવાળે અભ્યાસ કરે છે અને જ્યારે વરસાદ થાય છે ત્યારે પરિવાર માટે હોડી જ પરિવાહનનું એકમાત્ર સાધન બની જાય છે કેમ કે વરસાદના કારણે ગામના બધા રસ્તા જળમગ્ન થઈ જાય છે. આસપાસના લોકોનો દાવો છે કે, 162 હેક્ટરમાં ફેલાયેલા આ ગામની હાલત થોડા દશક અગાઉ સુધી દયનીય નહોતી.

ઉચ્ચ કૃષિ ઉપજ માટે પ્રસિદ્ધ આ ગામ તરફ જતા રસ્તાના ઉદ્વાટન માટે પૂર્વ મુખ્યમંત્રી વિષ્ણુરામ મેઘીએ થોડા દશક અગાઉ અહીંનો પ્રવાસ કર્યો હતો. અનિમાએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતાએ હાલતને વધુ ખરાબ કરી દીધી, જેના કારણે લોકો અહીંથી જતા રહ્યા. તેમણે દાવો કર્યો ‘જિલ્લા પરિષદ, ગામ પંચાયત કે ખંડ વિકાસ કાર્યાલય જેવી સ્થાનિક એજન્સીઓ અહી કામ કરવામાં કોઈ રસ રાખતી નથી. કૃષિ અને પશુપાલન તેમનો મુખ્ય આધાર છે.

હાલમાં જ એક ગેર-સરકારી સંસ્થા ‘ગ્રામ્ય વિકાસ મંચ’એ ગામમાં એક કૃષિ ફાર્મ સ્થાપિત કર્યું છે, જેથી પરિવારને હવે મોટા ભાગે અન્ય લોકો સાથે વાતચીત કરવાનો અવસર મળે છે. ફાર્મના અધ્યક્ષ પૃથ્વી ભૂષણ ડેકાએ કહ્યું કે, ગામ એક સમયે સમૃદ્ધ હતું, પરંતુ વારંવાર આવનારા પૂરે તેને ઉજાડી દીધું છે. જો સરકાર રોડ બનાવે અને પાયાની સુવિધાઓ પ્રદાન કરે તો કૃષિ ક્ષમતાઓને ફરીથી સાકાર કરી શકાય છે અને લોકો ગામમાં પરત ફરશે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.