ભારત જોડોની પૂર્ણાહુતીમાં રાહુલ ગાંધીએ ભગવાન શિવ અને ઇસ્લામની કરી દીધી તુલના

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણાહુતિ તરફ છે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત સમારોહમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા હતા. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે તેમણે યાત્રાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલવા દરમિયાન ઘણી પરેશાનીઓ સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રીઓએ લગભગ 4 હજાર કિલોમીટરની યાત્રા નક્કી કરી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, યાત્રા તેમના માટે સરળ રહી નથી.

તેમણે કહ્યું કે, હું તમને કહું તો ઘણા દર્દ સહન કરવા પડ્યા, પરંતુ સહી લીધા. રસ્તામાં એક દિવસ માટે દુઃખાવો થઇ રહ્યો હતો કે આજે મુશ્કેલ છે. આ દરમિયાન એક નાનકડી છોકરીના પત્રએ તાકત આપી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું યાત્રા દરમિયાન ઘણી મહિલાઓ મળી, જે બળાત્કારનો શિકાર થઇ હતી. એ મહિલાઓ પોલીસ સામે ફરિયાદ કરતા ડરી રહી હતી. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ કાશ્મીરને પોતાનું ઘર બતાવ્યું.

તેમણે કહ્યું કે, તમે કાશ્મીર કહો છો, તેને હું પોતાનું ઘર માનું છું. શું હવે આ કાશ્મીરિયત છે? એ જો એક તરફ શિવજીના વિચાર છે અને થોડા ઊંડાણમાં જઇશું તો મિત્રોની શૂન્યતા કહી શકાય છે. પોતાની જાત પર, પોતાના અહંકાર પર, વિચારો પર આક્રમણ કરવાનું. બીજી તરફ ઇસ્લામમાં જેને શૂન્યતા કહેવામાં આવે છે, ફના ત્યાં કહેવામાં આવે છે. વિચાર એ જ છે. તેમણે કહ્યું કે, 'ઇસ્લામમાં ફનાનો અર્થ પોતાના ઉપર આક્રમણ, પોતાના વિચાર ઉપર આક્રમણ છે.

જો આપણે પોતાનો કિલ્લો બનાવી લઇએ છીએ કે હું તે છું, મારી પાસે તે છે, મારી પાસે એ જ્ઞાન છે, મારી પાસે આ ઘર છે, એ જ કિલ્લા પર આક્રમણ કરવું, એ જ શૂન્યતા, એ જ ફના છે. તેમણે કહ્યું કે, આ ધરતી પર આ બે વિચારધારાઓ છે. તેમનો એક ખૂબ ગાઢ સબંધ છે અને એ વર્ષોથી સંબંધ છે. જેને આપણે કાશ્મીરિયત કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ ડરાવવા માટે કહેવામાં આવ્યું કે તમારા ઉપર ગ્રેનેડ ફેકવામાં આવશે. મેં વિચાર્યું એમ કરે છે, હું પોતાના ઘરે જઇ રહ્યો છું.

4 દિવસ પગપાળા ચાલીશ, પોતાના ઘરના જે લોકો છે, તેમની વચ્ચે ચાલીશ અને મેં વિચાર્યું કે જે મને નફરત કરે છે, તેમને કેમ નહીં હું એક ચાંસ આપું કે મારી સફેદ શર્ટનો રંગ બદલી દે. લાલ કરી દે. તેમણે કહ્યું કે, હું હિંસાને સમજુ છું. મેં હિંસા જોઇ છે, સારું છે. જેણે હિંસા નથી જોઇ, તેને એ વાત સમજ નહીં આવે, જેમ મોદીજી છે, અમિત શાહજી છે, RSSના લોકો છે. તેમણે હિંસા જોઇ નથી. ડરે છે અહીં 4 દિવસ પગપાળા ચાલો. હું તમને ગેરંટી આપીને કહું છું કે ભાજપના કોઇ નેતા એમ નહીં ચાલી શકે. એટલે નહીં કે જમ્મુ-કશ્મીરના લોકો તેમને ચાલવા નહીં દે, એટલે કે તેઓ ડરે છે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.