ભારત જોડોની પૂર્ણાહુતીમાં રાહુલ ગાંધીએ ભગવાન શિવ અને ઇસ્લામની કરી દીધી તુલના

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણાહુતિ તરફ છે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત સમારોહમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા હતા. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે તેમણે યાત્રાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલવા દરમિયાન ઘણી પરેશાનીઓ સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રીઓએ લગભગ 4 હજાર કિલોમીટરની યાત્રા નક્કી કરી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, યાત્રા તેમના માટે સરળ રહી નથી.

તેમણે કહ્યું કે, હું તમને કહું તો ઘણા દર્દ સહન કરવા પડ્યા, પરંતુ સહી લીધા. રસ્તામાં એક દિવસ માટે દુઃખાવો થઇ રહ્યો હતો કે આજે મુશ્કેલ છે. આ દરમિયાન એક નાનકડી છોકરીના પત્રએ તાકત આપી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું યાત્રા દરમિયાન ઘણી મહિલાઓ મળી, જે બળાત્કારનો શિકાર થઇ હતી. એ મહિલાઓ પોલીસ સામે ફરિયાદ કરતા ડરી રહી હતી. સોમવારે ભારે બરફવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ કાશ્મીરને પોતાનું ઘર બતાવ્યું.

તેમણે કહ્યું કે, તમે કાશ્મીર કહો છો, તેને હું પોતાનું ઘર માનું છું. શું હવે આ કાશ્મીરિયત છે? એ જો એક તરફ શિવજીના વિચાર છે અને થોડા ઊંડાણમાં જઇશું તો મિત્રોની શૂન્યતા કહી શકાય છે. પોતાની જાત પર, પોતાના અહંકાર પર, વિચારો પર આક્રમણ કરવાનું. બીજી તરફ ઇસ્લામમાં જેને શૂન્યતા કહેવામાં આવે છે, ફના ત્યાં કહેવામાં આવે છે. વિચાર એ જ છે. તેમણે કહ્યું કે, 'ઇસ્લામમાં ફનાનો અર્થ પોતાના ઉપર આક્રમણ, પોતાના વિચાર ઉપર આક્રમણ છે.

જો આપણે પોતાનો કિલ્લો બનાવી લઇએ છીએ કે હું તે છું, મારી પાસે તે છે, મારી પાસે એ જ્ઞાન છે, મારી પાસે આ ઘર છે, એ જ કિલ્લા પર આક્રમણ કરવું, એ જ શૂન્યતા, એ જ ફના છે. તેમણે કહ્યું કે, આ ધરતી પર આ બે વિચારધારાઓ છે. તેમનો એક ખૂબ ગાઢ સબંધ છે અને એ વર્ષોથી સંબંધ છે. જેને આપણે કાશ્મીરિયત કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ ડરાવવા માટે કહેવામાં આવ્યું કે તમારા ઉપર ગ્રેનેડ ફેકવામાં આવશે. મેં વિચાર્યું એમ કરે છે, હું પોતાના ઘરે જઇ રહ્યો છું.

4 દિવસ પગપાળા ચાલીશ, પોતાના ઘરના જે લોકો છે, તેમની વચ્ચે ચાલીશ અને મેં વિચાર્યું કે જે મને નફરત કરે છે, તેમને કેમ નહીં હું એક ચાંસ આપું કે મારી સફેદ શર્ટનો રંગ બદલી દે. લાલ કરી દે. તેમણે કહ્યું કે, હું હિંસાને સમજુ છું. મેં હિંસા જોઇ છે, સારું છે. જેણે હિંસા નથી જોઇ, તેને એ વાત સમજ નહીં આવે, જેમ મોદીજી છે, અમિત શાહજી છે, RSSના લોકો છે. તેમણે હિંસા જોઇ નથી. ડરે છે અહીં 4 દિવસ પગપાળા ચાલો. હું તમને ગેરંટી આપીને કહું છું કે ભાજપના કોઇ નેતા એમ નહીં ચાલી શકે. એટલે નહીં કે જમ્મુ-કશ્મીરના લોકો તેમને ચાલવા નહીં દે, એટલે કે તેઓ ડરે છે.

About The Author

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.