રખડતા કૂતરા અંગે જજ અકળાયા, વકીલને કહ્યું- કૂતરાને કોણ સમજાવશે?

રખડતા કૂતરાઓ અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેનાથી વકીલની બોલતી બંધ થઇ ગઈ હતી. વાસ્તવમાં વકીલની દલીલ એવી હતી કે, જો એક નિશ્ચિત મર્યાદા રાખીને રખડતા કૂતરાઓને ખાવાનું આપવામાં આવે તો અકસ્માત નહીં થાય. જસ્ટિસ ગૌતમ પટેલનો પ્રશ્ન હતો કે, તમે અમને સમજાવો અને અમે તમને સમજાવી શકીએ. પરંતુ કોઈ કૂતરા અને સિંહ સાથે કેવી રીતે વાત કરી શકે. અમે તેમને કઈ ભાષામાં સમજાવીએ?

બોમ્બે હાઈકોર્ટ નવી મુંબઈમાં સીવુડ્સ સોસાયટીના છ રહેવાસીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ લોકોએ જણાવ્યું કે, સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા તેમને રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ મુદ્દે નક્કર નિર્ણય લેવો જોઈએ તેવી તેમની અરજી હતી. તેણે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કૂતરાઓને ખવડાવવા માટે કેટલીક જગ્યાઓ નક્કી કરવા કહેવું જોઈએ જેથી કરીને બિનજરૂરી મુશ્કેલી ટાળી શકાય. બીજી તરફ કેટલાક શ્વાન પ્રેમીઓએ જણાવ્યું હતું કે આ રિટ અર્થહીન છે. કૂતરા ચોક્કસપણે રખડતા હોય છે પરંતુ તેમને પણ કાળજીની જરૂર હોય છે.

જસ્ટિસ ગૌતમ પટેલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટમાં પણ આ સમસ્યા હતી. પરંતુ અમે તેને હોશિયારીથી ઉકેલી. હવે અહીં કૂતરાઓનો આતંક નથી. તેણે હસીને કહ્યું કે, જો તમે કૂતરાઓને થોડો પ્રેમ અને ખાવાનું આપો તો તેઓ સૂઈ જાય છે. તમે લોકોએ તેમને થોડુંક ખાવાનું આપવું જોઈએ. તેમની સંભાળ રાખો. તેમણે કહ્યું કે, કૂતરાઓ એ નથી સમજતા કે તેમને સીવુડ્સ સોસાયટીમાં જવાની મનાઈ છે. કોર્ટે કહ્યું કે, જો કૂતરાઓને ખાવાનું અને પ્રેમ ન મળે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને ત્યારે જ તેઓ કોઈને નિશાન બનાવવા લાગે છે.

હાઈકોર્ટે કહ્યું કે, એકવાર કૂતરાઓને ખવડાવવા માટેની જગ્યાઓ નક્કી થઈ જાય, પછી એવા લોકોની જરૂર પડશે જેઓ તેમના ખાવાની અને દવાની વ્યવસ્થા કરશે. કોર્ટે એવા લોકોની યાદી બનાવવા કહ્યું કે, જેઓ કૂતરાઓની સંભાળ રાખવા ઇચ્છુક હોય. જેની સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે. જો કે, સોસાયટીના મેનેજમેન્ટે તેની મર્યાદામાં આવતા શ્વાનને ખવડાવવા માટે ત્રણ જગ્યાઓ પસંદ કરી છે. પરંતુ જસ્ટિસ પટેલે બે નામંજૂર કર્યા હતા. તેમણે કહ્યું કે બે એકરનો પ્લોટ તેમને ખવડાવવા માટે આદર્શ રહેશે. નકારવામાં આવેલી બે સાઇટ્સમાંથી, એક રોડની આજુબાજુની હતી. કોર્ટે કહ્યું કે ત્યાં કૂતરાઓને ખવડાવવાથી અકસ્માત થઈ શકે છે. જ્યારે બીજો પ્લોટ શાળાની સામે હતો.

સીવુડ્સ સોસાયટી વતી એડવોકેટ આદિત્ય પ્રતાપે પોતાની દલીલો રજૂ કરી હતી. જ્યારે આભા સિંહ શ્વાન પ્રેમીઓ વતી હાજર રહ્યા હતા. આ મામલે કોર્ટ દ્વારા એડવોકેટ જલ અંધયાર્જુનને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે કોર્ટ સમક્ષ બંને પક્ષો વચ્ચેના સમાધાનનો મુસદ્દો રજૂ કર્યો હતો.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.