દેશની સીમાઓ પર હાજર સૈનિકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું નહીં

આજે જ્યારે આપણે પોતાના ઘરમાં આરામથી બેસીને ચા પીએ છીએ ત્યારે કોઈક જવાન હિમાલયના બર્ફીલા શિખરો પર, લદ્દાખની થીજવી દેતી ઠંડીમાં કે રાજસ્થાનની રણની તપતી રેતીમાં તન-મનથી ઊભો છે. તેની આંખોમાં ઊંઘનો અંશ પણ નથી, હાથમાં અસ્ત્ર છે અને હૃદયમાં માત્ર એક જ સંકલ્પ “ભારતમાતા અમારી છે અને અમે તેના છીએ.” શું આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું? 

04

જ્યારે આપણે આપણા કુટુંબ સાથે દીપાવલીના દીવડા પ્રગટાવીએ છીએ ત્યારે સરહદ પરનો જવાન પોતાના બાળકના ફોટાને હથેળીમાં લઈને બેસી રહ્યો હોય છે. તેનું નાનકડું બાળક ફોન પર પૂછે છે, “બાપુજી, ક્યારે આવશો?” અને તે જવાબ આપે છે “જલદી આવી જઈશ, બેટા.” પરંતુ તે જાણે છે કે આ ‘જલદી’ કદાચ કદી નહીં આવે. તેની પત્ની રાત્રે એકલી પથારીમાં આંસુ વહાવતી હશે. તેની માતા દરેક તહેવારે મંદિરમાં જઈને પ્રાર્થના કરતી હશે  “ભગવાન, મારા દીકરાને સુરક્ષિત રાખજો.” તેના પિતા વૃદ્ધાવસ્થામાં પણ ઘરના દરવાજા તરફ જોઈને બેસી રહેતા હોય... કદાચ આજે પત્ર આવે કે ફોનની ઘંટડી વાગે. અને તેની નાની બહેન શાળા વિદ્યાલયમાં ગૌરવથી કહે છે “મારા ભાઈએ દેશની રક્ષા કરવાની છે.”!

03

ભારતીય સેનાના આ જવાનો માત્ર સૈનિકો નથી તેઓ પુત્ર છે, પતિ છે, પિતા છે, ભાઈ છે. તેઓ પોતાના જીવનના સંતોષના ક્ષણોને ત્યાગીને આપણા માટે સરહદ પર ઊભા છે. જ્યારે આપણે પોતાના બાળકને ખોળામાં લઈને સુવડાવીએ છીએ ત્યારે તેઓ બંકરમાં બેસીને શત્રુની ચાલ ચલગત પર નજર રાખે છે. જ્યારે આપણે શિયાળામાં ગરમ ધાબળો ઓઢીએ છીએ ત્યારે તેઓ માત્ર સરકારી જાકીટમાં બરફની ચાદરમાં ઊભા રહે છે. અને જ્યારે આપણે નાની આફતોથી વ્યથિત થઈ જઈએ છીએ ત્યારે તેઓ મૃત્યુનો સામનો કરીને હસતા હસતા કહે છે, “જય હિંદ!” "ભારત માતા કી જય!!" 

ભારતમાતા માટે શહીદ થનારા જવાનોની વાત કરીએ તો હૃદય કંપી ઊઠે છે. કેટલાય યુવાનો જેમના હોઠ પર હજુ હાસ્યની કોમળતા હતી, જેમના સપના હજુ સપનાજ હોય અને તેઓ એક જ ક્ષણમાં આપણા માટે અમર બની ગયા. તેમના શહીદીના સમાચાર આવે ત્યારે આખા દેશની આંખો ભીની થઈ જાય છે પરંતુ તેમના પરિવારનું વેદના? તે કલ્પના કરવાથી પણ આત્મા કંપી જાય છે. તેમની વિધવા પત્નીની આંખોમાં ખાલીપણું, તેમના બાળકના હાથમાં પિતાની યાદ પકડીને રડતી આંખો અને તેમના માતા પિતાના વૃદ્ધ થઈ ગયેલી ચાલ... આ બધું જોઈને કોણ કહી શકે કે આપણે તેમનું ઋણ ચૂકવી દીધું?

02

દેશભક્તિ શું છે? તે માત્ર ઝંડો ફરકાવવું નથી, કે માત્ર ‘વંદે માતરમ્’ ગાવું નથી. માત્ર નેતાઓના મંચ પરથી થતી વાતો નથી. વોટ ભેગા કરવાની રાજનીતિ નથી. દેશભક્તિ એ છે જ્યાં પોતાના બાળકને એકલું મૂકીને સરહદે જવું, પત્નીનાં આંસુને અવગણીને કર્તવ્ય નું પાલન કરવું, માતા પિતાની વૃદ્ધાવસ્થાને પડતી મૂકી દેશની રક્ષા કરવી. આ જ છે સાચી દેશભક્તિ. આ જ છે ભારતીય સેનાના જવાનોનું જીવન.

01

આજે આપણે સુરક્ષિત છીએ કારણ કે તેઓ આપણા માટે જાગે છે. આપણે આરામથી નિદ્રાધીન થઈએ છીએ કારણ કે તેઓ આપણા માટે જાગતા રહે છે. આપણે હસીએ છીએ કારણ કે તેઓ આપણા માટે શહીદી વહોરે છે. આ ઋણ ક્યારેય ચૂકવાઈ શકે નહીં. તેમ છતાં આપણે ઓછામાં ઓછું તેમને પ્રણામ કરી શકીએ છીએ, તેમના પરિવારને આદર આપી શકીએ છીએ અને દરેક ક્ષણે યાદ રાખી શકીએ છીએ કે આપણી આઝાદી અને આપણું સુખ દેશના જવાનોના લોહીથી લિખાયું છે.

ભારતીય સેનાને સાદર વંદન અને દેશના જવાનોને પરમ આદર. 

જય હિંદ! 

જય જવાન!!

About The Author

Related Posts

Top News

ગુજરાતના 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવની બીજી પુત્રી પણ કોંગ્રેસમાં જોડાઈ

31 માર્ચે PM નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પછી 15 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 383 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થવાની ધારણા છે. ...
Gujarat 
ગુજરાતના 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવની બીજી પુત્રી પણ કોંગ્રેસમાં જોડાઈ

દેશની સીમાઓ પર હાજર સૈનિકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું નહીં

આજે જ્યારે આપણે પોતાના ઘરમાં આરામથી બેસીને ચા પીએ છીએ ત્યારે કોઈક જવાન હિમાલયના બર્ફીલા શિખરો પર, લદ્દાખની થીજવી દેતી...
National 
દેશની સીમાઓ પર હાજર સૈનિકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું નહીં

MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન થશે. આ દરમિયાન...
Politics 
MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી...
Entertainment 
‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.