એવું તે શું થયું કે, સ્પીકરે કહ્યું- હું લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસવાનો નથી

લોકસભા સ્પીકર ઓમ બિરલા સખત નારાજ થયા છે અને તેમણે ચિમકી આપી છે કે જ્યાં સુધી સંસદમાં શિસ્ત જાળવવામાં નહીં આવે ત્યાં સુધી પોતે લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસશે નહીં. 1લી ઓગસ્ટે સંસંદમાં એવું તે શું બન્યું કે, ઓમ બિરલા આટલા બધા નારાજ થઇ ગયા?લોકસભામા ચોમાસું સત્ર શરૂ થવાની સાથે હંગામો ચાલી રહ્યો છે, પરંતુ 1 ઓગસ્ટ, મંગળવારે સંસદમાં એવું કઇંક થયું જેણે કસ્પીકર ઓમ બિરલાને દુખી કરી દીધા.

લોકસભામાં મંગળવારે,1 ઓગસ્ટના દિવસે બનેલી ઘટનાથી સ્પીકર ઓમ બિરલા નારાજ છે. પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સ્પીકર બિરલા સંસદ ભવનમાં હોવા છતાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા ન હતા. લોકસભા અધ્યક્ષે પાર્ટી અને વિપક્ષના સભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પોતાના નિર્ણય વિશે પણ જાણકારી આપી હતી.

સ્પીકર બિરલાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમાં શિસ્ત નહીં આવે ત્યાં સુધી તેઓ સ્પીકરની બેઠક પર જશે નહીં. સ્પીકર બિરલાએ કહ્યું કે તેમના માટે ગૃહની ગરિમા સર્વોચ્ચ છે. ગૃહની મર્યાદા જાળવવી એ દરેકની સામુહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ વિરુદ્ધ છે.

સ્પીકર બિરલાએ બંને પક્ષોને તેમના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. 1 ઓગસ્ટના દિવસે લોકસભામાં વિપક્ષના સભ્યો માત્ર નારા લગાવીને વેલમાં જ નહોતા આવ્યા, પરંતુ સ્પીકરની સીટ તરફ પેમ્ફલેટ પણ ફેંક્યા હતા.

મંગળવારે વિપક્ષી સાંસદોએ જે રીતે હંગામો કર્યો તેનાથી સ્પીકર ઓમ બિરલા ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે, મંગળવારે દિલ્હી સર્વિસ બિલ દરમિયાન જે પ્રકારનો હંગામો થયો હતો, તેમાં એક પણ વાત સાંભળવા દેવામાં આવી ન હતી, આ પ્રકારનું ગૃહ ચાલી શકે નહીં. ઓમ બિરલા બુધવારે લોકસભામાં ગયા ન હતા.

જુદા જુદા રાજકીય પક્ષોને સખત ચેતવણી આપીને તેમણે કહ્યું કે, જ્યાં સુધી સંસદને સુચારી રીતે ચાલવામાં દેવામાં નહીં આવશે ત્યાં સુધી, હું ગૃહમાં જવાનો નથી.

મંગળવારે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું. બિલ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો, જેના પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આમ આદમી પાર્ટી દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરી રહી છે. આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન INDIAના સભ્ય પક્ષોએ પણ તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

About The Author

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.