લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

વિપક્ષી દળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી દીધો છે. તેના માટે નોટિસ પણ આપી દેવામાં આવી છે. ધ હિન્દુના એક અહેવાલ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે દ્વારા આયોજિત INDIA બ્લોકની બેઠકમાં આ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તેની પાછળ ઘણા કારણો ગણાવવામાં આવ્યા છે, જેમ કે, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

બજેટ સત્રના પહેલા અઠવાડિયા દરમિયાન, સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના 7 સહિત 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. ગયા અઠવાડિયે, કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવામાં આવી અને વિપક્ષી સભ્યોએ પ્રદર્શન કર્યું હતું. સભ્યો, પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણના અંશો એક મેગેઝિનમાં પ્રકાશિત થયા બાદ 2020ના ભારત-ચીન સંઘર્ષ અંગે સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા હતા. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકસભા અધ્યક્ષને કેવી રીતે હટાવવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા શું છે.

om-birla3
facebook.com/OmBirlaKotaBundi

લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા

અહેવાલમાં સૂત્રોના સદર્ભે દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રસ્તાવ બંધારણના અનુચ્છેદ 94-C હેઠળ લાવવામાં આવી રહ્યો છે. તે સ્પીકરને હટાવવા, વિપક્ષના નેતાને આભાર પ્રસ્તાવ પર બોલતા અટકાવવા, ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામે કાર્યવાહી શરૂ ન કરવા, કોંગ્રેસના મહિલા સાંસદો સામે પાયાવિહોણા આરોપો કરવા અને 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપવાની તૈયારી છે.

લોકસભા અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા ભારતીય બંધારણના અનુચ્છેદ 94માં મળે છે. નિયમો જણાવે છે કે, લોકસભા સ્પીકરને માત્ર ગૃહમાં પસાર કરાયેલા ખાસ ઠરાવ દ્વારા જ હટાવી  શકાય છે. આ પ્રક્રિયા ઘણી શરતોને આધીન છે. સ્પીકરને હટાવવા, સૌપ્રથમ ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. પ્રસ્તાવની નોટિસ 14 દિવસ અગાઉ આપવી આવશ્યક છે.

om-birla1
facebook.com/OmBirlaKotaBundi

ખાસ વાત છે કે, આ પ્રસ્તાવ માત્ર ત્યારે જ લાગૂ કરવામાં આવે છે જો લોકસભાના ઓછામાં ઓછા 50 સભ્યો તેને સમર્થન આપે. આ લઘુત્તમ સમર્થન વિના, પ્રસ્તાવ ગૃહમાં સ્વીકારવામાં આવતો નથી. 14 દિવસ અગાઉ આપવામાં આવેલી નોટિસમાં 50 સભ્યોની સહીઓ ફરજિયાત છે. નોટિસ સ્વીકાર થયા બાદ, સ્પીકર તેના પર ચર્ચા માટે તારીખ નક્કી કરે છે. ચર્ચા માટેનો સમય 10 દિવસથી વધુ ન હોઈ શકે.

જો લોકસભામાં હાજર અને મતદાન કરતા સાંસદોની સાધારણ બહુમતી આ પ્રસ્તાવના પક્ષમાં હોય છે તો સ્પીકરને પદ પરથી હટાવવામાં આવે છે. મતદાન પ્રક્રિયા માટે 2/3 બહુમતી જરૂરી નથી, જેમ કે બંધારણીય સુધારાઓમાં થાય છે. માત્ર બહુમતી જ પૂરતી છે.

om-birla2
facebook.com/OmBirlaKotaBundi

શું હટાવવાના પ્રસ્તાવની પર ચર્ચામાં ભાગ લેશે સ્પીકર?

નહીં, જે દિવસે લોકસભા સ્પીકરને હટાવવાનાના પ્રસ્તાવ પર ચર્ચા થાય છે, ત્યારે સ્પીકર તેની અધ્યક્ષતા કરતા નથી. ઉપાધ્યક્ષ કાર્યવાહીની અધ્યક્ષતા કરે છે. જો પ્રસ્તાવ પસાર થાય છે, તો સ્પીકરને તાત્કાલિક પદ પરથી હટવું પડે, પરંતુ તેઓ સંસદ સભ્ય રહે છે, પરંતુ સ્પીકર નહીં. આ પ્રક્રિયા બાદ, લોકસભાના નવા અધ્યક્ષની પસંદગી થાય છે. લોકસભાના ઇતિહાસ પર નજર કરીએ તો, એવો એક પણ દાખલો નથી જ્યાંરે સ્પીકરને હટાવવામાં આવ્યા હોય.

About The Author

Related Posts

Top News

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

વિપક્ષી દળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી દીધો છે. તેના માટે નોટિસ પણ આપી...
Politics 
લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રમાશે....
Sports 
પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

આપણું ગુજરાત રાજ્ય ખેતી અને ખેડૂત કલ્યાણના ક્ષેત્રે દેશમાં અગ્રેસર બની રહ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોમાં રાજ્યે અભૂતપૂર્વ પ્રગતિ...
Gujarat 
ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.