દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા લેવા હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ એવો આરોપ છે કે તેને જે માઉથવોશ આપવામાં આવ્યો હતો તેમાં કીડો હતો.  જ્યારે બોટલ એકદમ સીલ હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે માઉથવોશમાં કીડો હતો કે બીજું કંઈક.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક દર્દી ભોપાલની જેપી હોસ્પિટલના ડૉક્ટર પાસે ખાંસીની દવા લેવા ગયો હતો. ડૉક્ટરે તેની તપાસ કરી અને પ્રિસ્ક્રિપ્શન પર દવા લખી દીધી. જ્યારે તે મેડિકલ કાઉન્ટર પર પહોંચ્યો, ત્યારે કેમિસ્ટે તેને અન્ય દવાઓ સાથે ક્લોરહેક્સિડાઇન માઉથવોશ પણ આપ્યું હતું. પરંતુ, જ્યારે દર્દીએ માઉથવોશની તપાસ કરી, ત્યારે તેને તેમાં તરતા કીડા જેવુ કઈક મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ માઉથવોશ પેઢાના સોજા અને લાલાશને સારી કરવા માટે આપવામાં આવે છે.

hospital1
indiatoday.in

ભોપાલના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર અને આરોગ્ય અધિકારી (CMHO) મનીષ શર્માએ જણાવ્યું હતું કે, ‘એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં નક્કી કરવામાં આવશે કે બોટલમાં સ્ટોરેજ સમસ્યા હતી કે લીકેજ હતું. એ પણ જોવા મળશે કે માઉથવોશમાં જે પાર્ટીકલ નીકળ્યા છે તે શું છે.

થોડા દિવસો અગાઉ JP હોસ્પિટલમાં પણ ફૂગ લાગેલી દવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. CMHOએ જણાવ્યું હતું કે તેમની પાસે ફૂગવાળી દવાઓ પર જે ડિસ્પેચ નંબર હતો, એ અમારી પાસે નથી. જે સીરિઝની તેઓ વાત કરી રહ્યા છે એ અમારે ત્યાં 10 ડિસેમ્બરે સ્ટોક સમાપ્ત થઈ ગયો હતો. ટીમે તપાસ કરી અને આ શોધી કાઢ્યું.

hospital
etvbharat.com

આ બધી ઘટનાઓ બાદ, સરકારી હોસ્પિટલોમાં દવાના સંગ્રહની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. મનીષ શર્માએ જણાવ્યું હતું કે ટીમ જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને દવાઓના સ્ટોરેજની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.