ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું છે. આવી પરિસ્થિતિઓમાં, દરેક વ્યક્તિ પહેલા પોતાને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરે છે. ગરમ કપડાં, ધાબળા અને હીટર શોધવામાં લાગી જાય છે. પરંતુ પઠાણકોટની શેરીઓમાં એક એવો પણ માણસ છે, જેણે આ કડકડતી ઠંડીમાં પોતાના વિશે નહીં પણ બીજા વિશે વિચાર્યું છે. તે માણસનું નામ રાજુ છે. આ માણસ, જે પોતે ભિક્ષા માંગીને જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો હતો, તે માણસ ઠંડીમાં ધ્રૂજતા જરૂરિયાતમંદ લોકોનો તારણહાર બન્યો છે. રાજુએ 500થી વધુ લોકોને ધાબળા વહેંચ્યા. તેનું આ કાર્ય જોઈને, PM નરેન્દ્ર મોદીએ પોતે તેની પ્રશંસા કરી હતી.

Beggar-Raju
msn.com

હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું સતત તબાહી મચાવી રહ્યું છે. ઘટતા તાપમાનને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે, ખાસ કરીને ગરીબો અને નિરાધારોના જીવન પર વધારે અસર થઇ છે. આવી પરિસ્થિતિઓમાં, પઠાણકોટમાં એક ભિક્ષુકે જરૂરિયાતમંદો માટે ધાબળા આપવાનું લંગર આયોજન કરીને એક ઉદાહરણ બેસાડ્યું છે. રાજુ નામના આ વ્યક્તિએ કડકડતી ઠંડીથી ધ્રુજી રહેલા લોકોને લગભગ 500 ધાબળા વહેંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, રાજુ પોતે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં, તેણે પોતાની નાની નાની બચતનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું, જેના કારણે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

Beggar-Raju2
zeenews.india.com

આ પહેલીવાર નથી જ્યારે રાજુનું નામ સમાચારમાં આવ્યું હોય. તેણે કોવિડ રોગચાળા દરમિયાન પણ  જરૂરિયાતમંદોને મદદ કરી હતી, જેનો ઉલ્લેખ PM નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'માં કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ રાજુની સેવાની ભાવનાને સમગ્ર રાષ્ટ્ર સમક્ષ ઉદાહરણ તરીકે રજૂ કરી. રાજુનું કાર્ય એવા લોકો માટે અરીસા જેવું કામ કરે છે, જેમની પાસે બધું હોવા છતાં, મદદ કરવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જાય છે. એક ભિક્ષુક હોવા છતાં, રાજુએ બતાવી દીધું કે, વ્યક્તિની ઓળખ તેમના વિચારો દ્વારા નક્કી થાય છે, નહીં કે તેમની સ્થિતિ દ્વારા.

Beggar-Raju3
zeenews.india.com

ધાબળાનું વિતરણ કરતી વખતે, રાજુએ બતાવ્યું હતું કે, તેણે 10-10 રૂપિયા બચાવીને આ સમગ્ર વ્યવસ્થા કરી છે. તેણે ઉમેર્યું કે, તેની પાસે પાકું ઘર નથી અને તે સરકાર પાસે ફક્ત તેના માથા પર છત હોય તેવું માંગે છે. રાજુ કહે છે, 'કદાચ ભગવાને મને આ એક ફરજ સોંપી છે. કે મારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તેને મદદ કરવી પડશે.' આ વખતે સ્થળ પર હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિશ્વ શર્માએ પણ રાજુની પ્રશંસા કરતા કહ્યું કે, સમાજે આવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને આગળ આવીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ.

About The Author

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.