ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું છે. આવી પરિસ્થિતિઓમાં, દરેક વ્યક્તિ પહેલા પોતાને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરે છે. ગરમ કપડાં, ધાબળા અને હીટર શોધવામાં લાગી જાય છે. પરંતુ પઠાણકોટની શેરીઓમાં એક એવો પણ માણસ છે, જેણે આ કડકડતી ઠંડીમાં પોતાના વિશે નહીં પણ બીજા વિશે વિચાર્યું છે. તે માણસનું નામ રાજુ છે. આ માણસ, જે પોતે ભિક્ષા માંગીને જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો હતો, તે માણસ ઠંડીમાં ધ્રૂજતા જરૂરિયાતમંદ લોકોનો તારણહાર બન્યો છે. રાજુએ 500થી વધુ લોકોને ધાબળા વહેંચ્યા. તેનું આ કાર્ય જોઈને, PM નરેન્દ્ર મોદીએ પોતે તેની પ્રશંસા કરી હતી.

Beggar-Raju
msn.com

હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું સતત તબાહી મચાવી રહ્યું છે. ઘટતા તાપમાનને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે, ખાસ કરીને ગરીબો અને નિરાધારોના જીવન પર વધારે અસર થઇ છે. આવી પરિસ્થિતિઓમાં, પઠાણકોટમાં એક ભિક્ષુકે જરૂરિયાતમંદો માટે ધાબળા આપવાનું લંગર આયોજન કરીને એક ઉદાહરણ બેસાડ્યું છે. રાજુ નામના આ વ્યક્તિએ કડકડતી ઠંડીથી ધ્રુજી રહેલા લોકોને લગભગ 500 ધાબળા વહેંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, રાજુ પોતે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં, તેણે પોતાની નાની નાની બચતનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું, જેના કારણે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

Beggar-Raju2
zeenews.india.com

આ પહેલીવાર નથી જ્યારે રાજુનું નામ સમાચારમાં આવ્યું હોય. તેણે કોવિડ રોગચાળા દરમિયાન પણ  જરૂરિયાતમંદોને મદદ કરી હતી, જેનો ઉલ્લેખ PM નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'માં કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ રાજુની સેવાની ભાવનાને સમગ્ર રાષ્ટ્ર સમક્ષ ઉદાહરણ તરીકે રજૂ કરી. રાજુનું કાર્ય એવા લોકો માટે અરીસા જેવું કામ કરે છે, જેમની પાસે બધું હોવા છતાં, મદદ કરવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જાય છે. એક ભિક્ષુક હોવા છતાં, રાજુએ બતાવી દીધું કે, વ્યક્તિની ઓળખ તેમના વિચારો દ્વારા નક્કી થાય છે, નહીં કે તેમની સ્થિતિ દ્વારા.

Beggar-Raju3
zeenews.india.com

ધાબળાનું વિતરણ કરતી વખતે, રાજુએ બતાવ્યું હતું કે, તેણે 10-10 રૂપિયા બચાવીને આ સમગ્ર વ્યવસ્થા કરી છે. તેણે ઉમેર્યું કે, તેની પાસે પાકું ઘર નથી અને તે સરકાર પાસે ફક્ત તેના માથા પર છત હોય તેવું માંગે છે. રાજુ કહે છે, 'કદાચ ભગવાને મને આ એક ફરજ સોંપી છે. કે મારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તેને મદદ કરવી પડશે.' આ વખતે સ્થળ પર હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિશ્વ શર્માએ પણ રાજુની પ્રશંસા કરતા કહ્યું કે, સમાજે આવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને આગળ આવીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ.

About The Author

Related Posts

Top News

Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણી નવી ફિલ્મો પહેલાથી જ થિયેટરોમાં આવી ગઈ છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં...
Tech and Auto 
Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

દેશભરના લાખો સરકારી શિક્ષકો માટે એક રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી શિક્ષક પાત્રતા કસોટી (TET)...
Education 
સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.