ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું છે. આવી પરિસ્થિતિઓમાં, દરેક વ્યક્તિ પહેલા પોતાને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરે છે. ગરમ કપડાં, ધાબળા અને હીટર શોધવામાં લાગી જાય છે. પરંતુ પઠાણકોટની શેરીઓમાં એક એવો પણ માણસ છે, જેણે આ કડકડતી ઠંડીમાં પોતાના વિશે નહીં પણ બીજા વિશે વિચાર્યું છે. તે માણસનું નામ રાજુ છે. આ માણસ, જે પોતે ભિક્ષા માંગીને જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો હતો, તે માણસ ઠંડીમાં ધ્રૂજતા જરૂરિયાતમંદ લોકોનો તારણહાર બન્યો છે. રાજુએ 500થી વધુ લોકોને ધાબળા વહેંચ્યા. તેનું આ કાર્ય જોઈને, PM નરેન્દ્ર મોદીએ પોતે તેની પ્રશંસા કરી હતી.

Beggar-Raju
msn.com

હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું સતત તબાહી મચાવી રહ્યું છે. ઘટતા તાપમાનને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે, ખાસ કરીને ગરીબો અને નિરાધારોના જીવન પર વધારે અસર થઇ છે. આવી પરિસ્થિતિઓમાં, પઠાણકોટમાં એક ભિક્ષુકે જરૂરિયાતમંદો માટે ધાબળા આપવાનું લંગર આયોજન કરીને એક ઉદાહરણ બેસાડ્યું છે. રાજુ નામના આ વ્યક્તિએ કડકડતી ઠંડીથી ધ્રુજી રહેલા લોકોને લગભગ 500 ધાબળા વહેંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, રાજુ પોતે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં, તેણે પોતાની નાની નાની બચતનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું, જેના કારણે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

Beggar-Raju2
zeenews.india.com

આ પહેલીવાર નથી જ્યારે રાજુનું નામ સમાચારમાં આવ્યું હોય. તેણે કોવિડ રોગચાળા દરમિયાન પણ  જરૂરિયાતમંદોને મદદ કરી હતી, જેનો ઉલ્લેખ PM નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'માં કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ રાજુની સેવાની ભાવનાને સમગ્ર રાષ્ટ્ર સમક્ષ ઉદાહરણ તરીકે રજૂ કરી. રાજુનું કાર્ય એવા લોકો માટે અરીસા જેવું કામ કરે છે, જેમની પાસે બધું હોવા છતાં, મદદ કરવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જાય છે. એક ભિક્ષુક હોવા છતાં, રાજુએ બતાવી દીધું કે, વ્યક્તિની ઓળખ તેમના વિચારો દ્વારા નક્કી થાય છે, નહીં કે તેમની સ્થિતિ દ્વારા.

Beggar-Raju3
zeenews.india.com

ધાબળાનું વિતરણ કરતી વખતે, રાજુએ બતાવ્યું હતું કે, તેણે 10-10 રૂપિયા બચાવીને આ સમગ્ર વ્યવસ્થા કરી છે. તેણે ઉમેર્યું કે, તેની પાસે પાકું ઘર નથી અને તે સરકાર પાસે ફક્ત તેના માથા પર છત હોય તેવું માંગે છે. રાજુ કહે છે, 'કદાચ ભગવાને મને આ એક ફરજ સોંપી છે. કે મારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તેને મદદ કરવી પડશે.' આ વખતે સ્થળ પર હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિશ્વ શર્માએ પણ રાજુની પ્રશંસા કરતા કહ્યું કે, સમાજે આવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને આગળ આવીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.