IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ZOHO પર શિફ્ટ થવાની કરી જાહેરાત, જાણો શું છે જોહો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના તમામ ડિજિટલ કામો માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં લોકોને સ્વદેશી ખરીદવા અને વેપારીઓને સ્વદેશી વેચવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટું પગલું ભર્યું છે. તેમણે પોતાના તમામ ડિજિટલ કામ માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે.

Ashwini Vaishnaw
businesstoday.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત સ્વદેશીના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમણે નાગરિકોને ભારતમાં બનેલી વસ્તુઓ અને સેવાઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા કહ્યું કે, ‘હું હવે ZOHO પર શિફ્ટ થઈ રહ્યો છું. આ આપણું પોતાનું સ્વદેશી પ્લેટફોર્મ છે જ્યાં દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન બનાવી શકાય છે. હું બધાને આગ્રહ કરું છું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીના આહ્વાનમાં જોડાય અને સ્વદેશી પ્રોડક્ટ્સ અને સેવાઓ અપનાવે.

શું છે ZOHO?

ZOHO એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની છે. તેની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. તેને શ્રીધર વેમ્બુડુ અને ટોની થોમસે મળીને બનાવી છે તેનું મુખ્ય મથક ચેન્નાઈ, તમિલનાડુમાં છે. આ સિવાય કંપનીની ઓફિસો અમેરિકા, ચીન અને જાપાનમાં પણ છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.