MVAની સરકાર બની તો અજીત પવાર કે ઉદ્ધવ ઠાકરે કોણ બનશે CM? સંજય રાઉતે આપ્યો જવાબ

મહારાષ્ટ્રમાં આ સમયે ભવિષ્યના મુખ્યમંત્રીને લઈને બધી પાર્ટીઓમાં હોડ મચી છે. એક તરફ જ્યાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજીત પવાર મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ત્યારબાદ જ અજીત પવારના પોસ્ટર મુંબઇમાં લગવા લાગ્યા, જેમાં તેમને ભાવિ મુખ્યમંત્રીના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. ત્યારબાદ જ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસના પોસ્ટર પણ નાગપુરમાં લાગ્યા, જેમાં તેમને પણ મુખ્યમંત્રી તરીકે દેખાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે, એકનાથ શિંદે રજા પર જતા રહ્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી અટકળો અને મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી છે. ઇન્ટરવ્યૂમાં સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે, પહેલા ઉદ્ધવ ઠાકરેની એક અલગ ખુરશી આવતી હતી. હવે એ બધાની ખુરશી એક જેવી થઈ ગઈ છે. નાગપુર રેલીમાં એવું જ થયું. તેનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, તમને ઉદ્ધવ ઠાકરેની બીમારી બાબતે ખબર છે?

તેમણે કહ્યું કે, તેમના સ્પાઇનના ઓપરેશન બાદ તેમને બેસવા માટે અલગ પ્રકારની ખુરશી લાગે છે. તો લોકોને લાગે છે કે આ સ્પેશિયલ ખુરશી છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બધા માટે સામાન્ય ખુરશી રાખો. આપણે બધા એક સાથે બેસીએ છીએ, સામાન્ય ખુરશી રાખો. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે, જો શિવસેનાનો નિર્ણય આવે છે અને જો મહાવિકાસ અઘાડી (MVA)ની સરકાર બનવાની હોય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે કે અજીત પવાર?

આ સવાલનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, હું માનું છું કે, જે પ્રકારે ઉદ્ધવ ઠાકરેને પદ છોડવું પડ્યું તો બધા ઇચ્છશે કે ઉદ્ધવ ઠાકરે ફરી એક વખત મુખ્યમંત્રી બને. અમે બધા અને આખું મહારાષ્ટ્ર ઇચ્છશે. તમે જોયું હશે કે તમારો સરવે શું બોલે છે. તો આ મહારાષ્ટ્રના લોકોનો સરવે છે, મહારાષ્ટ્રના લોકોના મનની વાત છે. તો અમે પણ ઈચ્છીશું કે જે પ્રકારે તેમને કાઢવામાં આવ્યા તો ફરી એક વખત એજ સન્માનથી પદ પર બેસાડવું જોઈએ. ખેર હવે આગામી સમય જ બતાવશે મહારાષ્ટ્રમાં કોની સરકાર બને છે અને કોણ મુખ્યમંત્રીના શપથ લેશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.