લાલૂએ ટિકિટ નહોતી આપી તો કપડા ફાડીને નેતાએ શ્રાપ આપેલો RJDને 25 સીટ જ આવશે અને એ સાચું પડ્યું

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મદન શાહ, જેમને ગયા મહિને ટિકિટ ન મળતા પોતાના કપડાં ફાડીને જમીન પર બેસીને રડતા જોવા મળ્યા હતા, તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મદન શાહે કહ્યું, 'ટિકિટ ન મળવાના દુ:ખથી ગુસ્સામાં તેઓ પાગલ જેવા થઈ ગયા હતા. હું પટણામાં લાલુ યાદવને મળવા ગયો હતો, પરંતુ કોઈ મળ્યું નહીં. મને એટલું બધું દુઃખ થયું કે મેં મારા કપડાં ફાડી નાખ્યા, જમીન પર પડી ગયો, અને શ્રાપ આપ્યો કે તેમની પાર્ટી 25 બેઠકો પર જ સમેટાઈ જશે, અને ખરેખર, એવું જ થયું.'

મદન શાહે કહ્યું, 'હું હજુ પણ પાર્ટી માટે દુઃખી છું. પાર્ટીની હારથી મને દુઃખ છે, પણ ભગવાન જે કરે છે તે સારું જ છે. પાર્ટીમાં જેને ચાણક્ય કહેવામાં આવે છે તે વ્યક્તિએ પાર્ટીને બરબાદ કરવાનું જ નક્કી કર્યું છે. જ્યાં સુધી તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી કંઈ સુધરશે નહીં. આ વખતે ટિકિટ વિતરણમાં લાલુ યાદવની સલાહ લેવામાં આવી ન હતી. એટલા માટે પાર્ટીની આ સ્થિતિ થઇ.' ટિકિટ માટે પૈસા માંગવાના પ્રશ્ન પર, મદન શાહે કહ્યું કે કોઈએ આવી સીધી માંગણી કરી નહોતી.

02

તેમણે કહ્યું, 'મારી પાસેથી સીધા (ટિકિટ માટે) પૈસા માંગવામાં આવ્યા ન હતા, તે મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું. તો હું પૈસા કેવી રીતે આપી શકું? હું તેને રસ્તા પર તો ન ફેંકી શકું ને. હું 1990થી પાર્ટી સાથે જોડાયેલો છું, હું પાર્ટીનો કાર્યકર છું, હું પાર્ટી માટે કામ કરું છું. મેં ટિકિટ માટે શા માટે પૈસા આપું અને ક્યાંથી લાવીને આપું?, મધુબનથી ટિકિટ એવી વ્યક્તિને આપવામાં આવી હતી જે પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નહોતો. તે એક સરકારી ડૉક્ટર છે, અને તેણે રાજીનામું પણ આપ્યું ન હતું. પછી તેમણે તેમની પત્ની સંધ્યા રાનીના નામે ટિકિટ લીધી.'

મદન શાહે કહ્યું કે, લાલુ યાદવે તેમને ખાતરી આપી હતી કે, 'મદન, તૈયારી કરો, તમને ટિકિટ મળશે.' તેજસ્વી યાદવે પણ એવું જ કહ્યું હતું. હું મતવિસ્તારમાં સખત મહેનત કરી રહ્યો હતો. જે દિવસે ટિકિટ જાહેર થવાની હતી તે દિવસે 2 વાગ્યા સુધીમાં મને કહેવામાં આવ્યું હતું કે મને જ ટિકિટ મળશે. પરંતુ જ્યારે યાદી આવી ત્યારે મારું નામ નહોતું. હું ખૂબ જ દુઃખી થઇ ગયો હતો, હું પટણામાં લાલુ યાદવના નિવાસસ્થાનની બહાર જમીન પર બેસી રહ્યો, પરંતુ મને કોઈને મળવા દેવામાં આવ્યો નહીં. તેમણે સંજય યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ RJDના ચૂંટણી પરાજય માટે જવાબદાર છે. શાહે કહ્યું કે જ્યાં સુધી સંજય યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં.

03

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD માત્ર 25 બેઠકો જીતી શકી હતી, જે મદન શાહના શ્રાપ સાથે મેળ ખાય છે. પાર્ટીમાં આંતરિક ઝઘડા અને ટિકિટ વિતરણ અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે મદન શાહનું નિવેદન હેડલાઇન્સમાં છે. BJP અને JDUના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણે બિહાર ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી, 202 બેઠકો જીતી. જ્યારે RJDના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને 35 બેઠકો મળી. અસદુદ્દીન ઓવૈસીના AIMIM5 બેઠકો જીતી. બહુજન સમાજ પાર્ટી પણ 1 બેઠક જીતીને પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી. રાષ્ટ્રીય લોકશાહી જોડાણમાં સામેલ પક્ષોમાં, BJP89 બેઠકો, JDU85, LJPV19, HAM5 અને RLM4 બેઠકો જીતી. જ્યારે, મહાગઠબંધનમાં રહેલા RJD25 બેઠકો, કોંગ્રેસે 6, ડાબેરી પક્ષોએ 3 અને IIP1 બેઠકો જીતી.

About The Author

Related Posts

Top News

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.