ભારતમાં ક્યાં છે એકમાત્ર એક્ટિવ જ્વાળામુખી? ભારતીય નૌકાદળ કરે છે આ જગ્યાની દેખરેખ

આફ્રિકન દેશ ઇથોપિયામાં 10,000 વર્ષ બાદ પહેલી વાર જ્વાળામુખીનો વિસ્ફોટ થયો, તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી 10-15 કિલોમીટર ઉપર ધુમાડો ઉઠ્યો અને અને રાખના ગોટા લગભગ 5000 કિલોમીટર દૂર ભારતના આકાશ સુધી પહોંચી ગયા, જે હવે ચીન તરફ આગળ વધી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે હાઈલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટથી નીકળેલી રાખ ભારત સુધી પહોંચી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં થોડા જ જ્વાળામુખી છે. પરંતુ, આપણા દેશમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે, જેની દેખરેખ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવે છે.

volcano2
scroll.in

ભારતમાં ખૂબ મર્યાદિત જ્વાળામુખી છે, જેમાંથી એક આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્થિત છે. તમારામાંથી ઘણાને કદાચ આ વાતની જાણ નહીં હોય. આજે અમે તમને દેશના એકમાત્ર સક્રિય જ્વાળામુખી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના બેરેન ટાપુમાં ભારતન એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, જે તાજેતરમાં એક અઠવાડિયામાં 2 વાર ફાટ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ વિસ્ફોટ નાના હતા, પરંતુ તે પૃથ્વીની અંદરની ગતિવિધિઓના સંકેત હોઈ શકે છે.

બેરેન આઇલેન્ડ આંદામાન ટાપુઓના ઉત્તરપૂર્વમાં સ્થિત એક નાનો ટાપુ છે, જે આશરે 3.5 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં કોઈ સ્થાયી માનવ વસાહતો નથી, કારણ કે ટાપુનો મોટો ભાગ જ્વાળામુખીના ખડકો અને કઠણ લાવાથી બનેલો છે. ટાપુની મધ્યમાં સ્થિત આ જ્વાળામુખી લગભગ 354 મીટર ઊંચો છે અને તેની સમગ્ર રચના, સમુદ્ર સપાટીથી તેના શિખર સુધી, અગ્નિકૃત ખડકોથી બનેલી છે. બેરેન આઇલેન્ડ જ્વાળામુખી લગભગ બે સદીઓ સુધી શાંત રહ્યો.

volcano
andamanholidays.com

1991માં તેમાં ભારે વિસ્ફોટ થયો હતો અને ત્યારથી તે સમયાંતરે સક્રિય થાય છે. 13 અને 20 સપ્ટેમ્બરે થયેલી નવીનતમ ગતિવિધિઓ બતાવે છે કે જ્વાળામુખી હજુ પણ સક્રિય છે. કહેવામાં આવે છે કે 20 સપ્ટેમ્બરના વિસ્ફોટના બે દિવસ અગાઉ 4.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર ભારતીય અને મ્યાનમાર પ્લેટોની સીમા નજીક હતું. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ વિસ્ફોટો સપાટી નીચે મેગ્મા ચેમ્બરમાં વધેલા દબાણનું પરિણામ છે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.