ભારતમાં ક્યાં છે એકમાત્ર એક્ટિવ જ્વાળામુખી? ભારતીય નૌકાદળ કરે છે આ જગ્યાની દેખરેખ

આફ્રિકન દેશ ઇથોપિયામાં 10,000 વર્ષ બાદ પહેલી વાર જ્વાળામુખીનો વિસ્ફોટ થયો, તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી 10-15 કિલોમીટર ઉપર ધુમાડો ઉઠ્યો અને અને રાખના ગોટા લગભગ 5000 કિલોમીટર દૂર ભારતના આકાશ સુધી પહોંચી ગયા, જે હવે ચીન તરફ આગળ વધી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે હાઈલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટથી નીકળેલી રાખ ભારત સુધી પહોંચી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં થોડા જ જ્વાળામુખી છે. પરંતુ, આપણા દેશમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે, જેની દેખરેખ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવે છે.

volcano2
scroll.in

ભારતમાં ખૂબ મર્યાદિત જ્વાળામુખી છે, જેમાંથી એક આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્થિત છે. તમારામાંથી ઘણાને કદાચ આ વાતની જાણ નહીં હોય. આજે અમે તમને દેશના એકમાત્ર સક્રિય જ્વાળામુખી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના બેરેન ટાપુમાં ભારતન એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, જે તાજેતરમાં એક અઠવાડિયામાં 2 વાર ફાટ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ વિસ્ફોટ નાના હતા, પરંતુ તે પૃથ્વીની અંદરની ગતિવિધિઓના સંકેત હોઈ શકે છે.

બેરેન આઇલેન્ડ આંદામાન ટાપુઓના ઉત્તરપૂર્વમાં સ્થિત એક નાનો ટાપુ છે, જે આશરે 3.5 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં કોઈ સ્થાયી માનવ વસાહતો નથી, કારણ કે ટાપુનો મોટો ભાગ જ્વાળામુખીના ખડકો અને કઠણ લાવાથી બનેલો છે. ટાપુની મધ્યમાં સ્થિત આ જ્વાળામુખી લગભગ 354 મીટર ઊંચો છે અને તેની સમગ્ર રચના, સમુદ્ર સપાટીથી તેના શિખર સુધી, અગ્નિકૃત ખડકોથી બનેલી છે. બેરેન આઇલેન્ડ જ્વાળામુખી લગભગ બે સદીઓ સુધી શાંત રહ્યો.

volcano
andamanholidays.com

1991માં તેમાં ભારે વિસ્ફોટ થયો હતો અને ત્યારથી તે સમયાંતરે સક્રિય થાય છે. 13 અને 20 સપ્ટેમ્બરે થયેલી નવીનતમ ગતિવિધિઓ બતાવે છે કે જ્વાળામુખી હજુ પણ સક્રિય છે. કહેવામાં આવે છે કે 20 સપ્ટેમ્બરના વિસ્ફોટના બે દિવસ અગાઉ 4.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર ભારતીય અને મ્યાનમાર પ્લેટોની સીમા નજીક હતું. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ વિસ્ફોટો સપાટી નીચે મેગ્મા ચેમ્બરમાં વધેલા દબાણનું પરિણામ છે.

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.