'ભારતમાં મુસલમાનોને રહેવા દેવાની મંજૂરી આપનાર તમે કોણ છો' ભાગવત પર ભડક્યા ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના 'મુસલમાનોને ડરવાની જરૂર નથી'ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ઓવૈસીએ પૂછ્યું કે, મુસલમાનોને ભારતમાં રહેવા દેનાર કે આપણા ધર્મનું પાલન કરનાર મોહન કોણ છે? આટલું જ નહીં, ઓવૈસીએ કહ્યું કે, 'અલ્લાહની ઈચ્છા છે, તેથી જ આપણે ભારતીય છીએ.'

હકીકતમાં, સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોને ડરવાની કોઈ વાત નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ તેમણે તેમની શ્રેષ્ઠતાને લઈને મોટી મોટી વાતો કરવાનું ચોક્કસપણે છોડી દેવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, 'મુસલમાનોને ભારતમાં રહેવા દેવા કે આપણા ધર્મનું પાલન કરવા માટે મોહન કોણ છે?' અમે ભારતીય છીએ, કારણ કે અલ્લાહની ઈચ્છા હતી. તેઓએ અમારી નાગરિકતા પર શરતો લગાવવાની હિમ્મત કેમ કરી? અમે અમારા વિશ્વાસને બતાવવા અથવા નાગપુરમાં કહેવાતા બ્રહ્મચારીઓના જૂથને ખુશ કરવા માટે ભારતમાં નથી.

ઓવૈસીએ કહ્યું, ચીન માટે આ 'ચોરી' અને સાથી નાગરિકો માટે 'સીનાજોરી' શા માટે? જો આપણે ખરેખર યુદ્ધમાં છીએ, તો શું સંઘ સરકાર 8 વર્ષથી સૂઈ રહી છે? તેમણે પૂછ્યું કે, મોહનને હિંદુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? શું તેઓ 2024માં ચૂંટણી લડી રહ્યા છે? તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, એવા ઘણા હિંદુઓ છે જેમને RSSના નિવેદનો ઉશ્કેરણીજનક લાગે છે. આવી સ્થિતિમાં લઘુમતીઓ કેવું મહેસુસ કરે છે, એ તો દૂરની વાત છે.

ઓવૈસીએ પૂછ્યું કે, PM મોદી વિશ્વભરના દેશોના મુસ્લિમ નેતાઓને ગળે લગાવે છે. પરંતુ તેઓ ભારતના એક પણ મુસ્લિમને ગળે લગાવતા જોવા મળ્યા નથી.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું, 'હું સંમત છું કે, ભારત ભારત જ રહે. પણ માણસે પણ માણસ જ રહેવું જોઈએ.'

સંઘ પ્રમુખે RSSના મુખપત્ર ઓર્ગેનાઈઝર અને પંચજન્યને ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, 'ભારત ભારત જ રહેવું જોઈએ તે એક સરળ સત્ય છે. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ ખતરો નથી. ઈસ્લામને કોઈ ડર નથી. પરંતુ સાથે જ મુસ્લિમોએ તેમની શ્રેષ્ઠતા સાથે જોડાયેલા ધર્માંધ નિવેદનો છોડી દેવા જોઈએ.'

મુસ્લિમો વિશે મોહન ભાગવતે કહ્યું હતું કે, 'અમે એક મહાન જાતિના છીએ, અમે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત અમારો રસ્તો જ ખરો છે, બાકીના બધા ખોટા છે. અમે અલગ છીએ, તેથી અમે આવા જ રહીશું, અમે સાથે રહી શકતા નથી, મુસ્લિમોએ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકો, એ પછી તે હિંદુ હોય કે સામ્યવાદીઓ, આવા નિવેદનો છોડી દેવા જોઈએ.'

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.