કોણ છે ઇન્દ્રજીત યાદવ? જેના ઘરેથી EDએ 50 કરોડની સંપત્તિ જપ્ત કરી

ઇન્દ્રજીત સિંહ યાદવનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી, ગુરુગ્રામ અને રોહતકમાં તેમના અને તેમના નજીકના સાથીઓના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDની તપાસમાં ઇન્દ્રજીત સિંહ યાદવને એક એવો કુખ્યાત સ્ટ્રોંગમેન ગણાવ્યો છે, જે ગુના, ખંડણી અને મની લોન્ડરિંગના સંગઠિત નેટવર્કનો મુખ્ય ચહેરો છે. ઇન્દ્રજીતના ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે.

ઇન્દ્રજીત સિંહ યાદવ કોણ છે?

ઇન્દ્રજીત સિંહ યાદવ M/s Gem Records Entertainment Pvt. Ltdનો માલિક અને મુખ્ય નિયંત્રક છે, જે જેમ્સ ટ્યૂન્સ નામથી કામ કરે છે. જોકે, સંગીત અને મનોરંજનની આડમાં, તે લાંબા સમયથી ગુનાહિત દુનિયામાં સક્રિય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ED અને પોલીસ રેકોર્ડ અનુસાર, ઇન્દ્રજીત સિંહ યાદવ પર હત્યા, ખંડણી, ખાનગી ફાઇનાન્સરો પાસેથી લોનની બળજબરીપૂર્વક ઉઘરાણી, છેતરપિંડી, જમીન હડપવી, હથિયારોના દમ પર ધાકધમકી અને હિંસક ગુનાઓમાં સંડોવણી સહિતના ગંભીર આરોપ છે.

Inderjeet-Singh-Yadav1
tv9hindi.com

EDએ હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા દાખલ કરાયેલ 15થી વધુ FIR અને ચાર્જશીટના આધારે આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ કેસ આર્મ્સ એક્ટ 1959, ભારતીય દંડ સંહિતા (IPC) 1860 અને BNS 2023ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા છે. ઈન્દ્રજીત સિંહ યાદવ હાલમાં હરિયાણા પોલીસ માટે વોન્ટેડ છે, અને તપાસ એજન્સીઓ અનુસાર, તે હાલમાં UAEથી કામ કરી રહ્યો છે અને ફરાર છે.

EDની તપાસમાં ખુલાસો થયો છે કે ઈન્દ્રજીત સિંહ યાદવે પોતાને 'એન્ફોર્સર' અથવા 'સ્ટ્રોંગમેન' તરીકે સ્થાપિત કરી રાખ્યો હતો. એવો આરોપ છે કે એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ સહિત અનેક કોર્પોરેટ ગૃહોએ ઝજ્જર (દિઘલ)માં ખાનગી ફાઇનાન્સરો પાસેથી મોટી રકમ રોકડમાં ઉછીના લીધી હતી અને બદલામાં પોસ્ટ-ડેટેડ ચેક આપ્યા હતા. જ્યારે ચુકવણી અથવા વિવાદો વધતા, ત્યારે ઈન્દ્રજીત સિંહ યાદવ ધમકીઓ, હથિયારધારી ગુંડાઓ અને સ્થાનિક ગેંગ દ્વારા સમાધાન માટે દબાણ કરતો હતો. આ સોદાઓ સેંકડો કરોડ રૂપિયાના હોવાનો અંદાજ છે.

Inderjeet-Singh-Yadav2
livehindustan.com

EDનો દાવો છે કે ઈન્દ્રજીત સિંહ યાદવે આ બળજબરીથી લોન કરારોના બદલામાં કમિશનમાં સેંકડો કરોડ રૂપિયા કમિશનના રૂપમાં એકઠા કર્યા હતા. આ ગેરકાયદેસર આવકથી તેણે મોંઘી લક્ઝરી કાર અને ઘણી જંગમ અને સ્થાવર મિલકતો મેળવી. જોકે, આ બધું હોવા છતા તેણે પોતાના આવકવેરા રિટર્નમાં ખૂબ જ ઓછી આવક દર્શાવતો રહ્યો.

EDના દરોડામાં શું મળ્યું?

5 લક્ઝરી કાર

17 લાખ રૂપિયા રોકડા

બેંક લોકર

આપત્તિજનક દસ્તાવેજો

ડિજિટલ ઉપકરણો અને ડેટા

Inderjeet-Singh-Yadav3
jagran.com

આ ઉપરાંત, EDએ એ પણ શોધી કાઢ્યું કે ઇન્દ્રજીત સિંહ યાદવે કોર્પોરેટ હાઉસ અને ખાનગી ફાઇનાન્સરો વચ્ચે લોનની પતાવટ માટે એક વેબસાઇટ/પોર્ટલ વિકસાવી અને તેનું સંચાલન કર્યું. તપાસમાં એ પણ સામે આવ્યું કે ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને ઇન્દ્રજીત સિંહ યાદવ અને તેના પરિવારના સભ્યોના નામે ઘણી મિલકતો ખરીદવામાં આવી હતી.

About The Author

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.