કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે અતિશય ભક્તિ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાન પુંડરિક ગોસ્વામીને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મામલો હવે જોર પકડી રહ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પુંડરિક ગોસ્વામીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું હોવાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Pundrik-Goswami2
dikshasthal.com

પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPએ આ મામલે બહરાઇચના પોલીસ અધિક્ષક પાસેથી તાત્કાલિક સ્પષ્ટિકરણ અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. પુંડરિક ગોસ્વામી માટે પોલીસે ન માત્ર પોલીસે લાઇનનું પરેડ ગ્રાઉન્ડ ખોલ્યું, પરંતુ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું. તો, ચાલો જાણીએ કે પુંડરિક ગોસ્વામી કોણ છે, જેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે બહરાઇચ પોલીસની ફજેતી થઈ રહી છે.

કોણ છે પુંડરિક ગોસ્વામી?

પુંડરિક ગોસ્વામી વૃંદાવનના યુવા કથાવાંચક છે. તેઓ 7 વર્ષની ઉંમરથી જ કથા સંભળાવી રહ્યા છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. પુંડરિક ગોસ્વામીની કથાનું આયોજન ભારત અને વિદેશ બંને જગ્યાએ થાય છે.

2

પુંડરિક ગોસ્વામીનો જન્મ 20 જુલાઈ, 1988ના રોજ વૃંદાવનમાં થયો હતો. તેઓ પ્રખ્યાત સંત અતુલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પૌત્ર અને શ્રીભૂતિ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પુત્ર છે.

પુંડરિક ગોસ્વામીના પરિવારમાં 38 પેઢીઓથી ભાગવત કથા કહેવામાં આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો. હાલમાં તેઓ શ્રીમદ્ માધવ-ગૌડેશ્વર પીઠમના 38મા આચાર્ય છે. તેઓ વિશ્વભરમાં ગૌડિય વૈષ્ણવ પરંપરાનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે શ્રી કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, રામ કથા અને ભગવદ ગીતા પર પ્રવચનો આપે છે.

Pundrik-Goswami
dikshasthal.com

પુંડરિક ગોસ્વામી ગોપાલ ક્લબ અને નિમાઈ પાઠશાળા જેવા કાર્યક્રમો પણ સંચાલિત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યમાં પણ અગ્રેસર છે, વંચિતો માટે મફત તબીબી શિબિરોનું આયોજન કરે છે અને ગરીબ બાળકોને શિક્ષણ પણ અપાવે છે.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.