કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે અતિશય ભક્તિ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાન પુંડરિક ગોસ્વામીને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મામલો હવે જોર પકડી રહ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પુંડરિક ગોસ્વામીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું હોવાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Pundrik-Goswami2
dikshasthal.com

પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPએ આ મામલે બહરાઇચના પોલીસ અધિક્ષક પાસેથી તાત્કાલિક સ્પષ્ટિકરણ અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. પુંડરિક ગોસ્વામી માટે પોલીસે ન માત્ર પોલીસે લાઇનનું પરેડ ગ્રાઉન્ડ ખોલ્યું, પરંતુ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું. તો, ચાલો જાણીએ કે પુંડરિક ગોસ્વામી કોણ છે, જેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે બહરાઇચ પોલીસની ફજેતી થઈ રહી છે.

કોણ છે પુંડરિક ગોસ્વામી?

પુંડરિક ગોસ્વામી વૃંદાવનના યુવા કથાવાંચક છે. તેઓ 7 વર્ષની ઉંમરથી જ કથા સંભળાવી રહ્યા છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. પુંડરિક ગોસ્વામીની કથાનું આયોજન ભારત અને વિદેશ બંને જગ્યાએ થાય છે.

2

પુંડરિક ગોસ્વામીનો જન્મ 20 જુલાઈ, 1988ના રોજ વૃંદાવનમાં થયો હતો. તેઓ પ્રખ્યાત સંત અતુલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પૌત્ર અને શ્રીભૂતિ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પુત્ર છે.

પુંડરિક ગોસ્વામીના પરિવારમાં 38 પેઢીઓથી ભાગવત કથા કહેવામાં આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો. હાલમાં તેઓ શ્રીમદ્ માધવ-ગૌડેશ્વર પીઠમના 38મા આચાર્ય છે. તેઓ વિશ્વભરમાં ગૌડિય વૈષ્ણવ પરંપરાનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે શ્રી કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, રામ કથા અને ભગવદ ગીતા પર પ્રવચનો આપે છે.

Pundrik-Goswami
dikshasthal.com

પુંડરિક ગોસ્વામી ગોપાલ ક્લબ અને નિમાઈ પાઠશાળા જેવા કાર્યક્રમો પણ સંચાલિત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યમાં પણ અગ્રેસર છે, વંચિતો માટે મફત તબીબી શિબિરોનું આયોજન કરે છે અને ગરીબ બાળકોને શિક્ષણ પણ અપાવે છે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.