કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે અતિશય ભક્તિ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાન પુંડરિક ગોસ્વામીને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મામલો હવે જોર પકડી રહ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પુંડરિક ગોસ્વામીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું હોવાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Pundrik-Goswami2
dikshasthal.com

પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPએ આ મામલે બહરાઇચના પોલીસ અધિક્ષક પાસેથી તાત્કાલિક સ્પષ્ટિકરણ અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. પુંડરિક ગોસ્વામી માટે પોલીસે ન માત્ર પોલીસે લાઇનનું પરેડ ગ્રાઉન્ડ ખોલ્યું, પરંતુ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું. તો, ચાલો જાણીએ કે પુંડરિક ગોસ્વામી કોણ છે, જેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે બહરાઇચ પોલીસની ફજેતી થઈ રહી છે.

કોણ છે પુંડરિક ગોસ્વામી?

પુંડરિક ગોસ્વામી વૃંદાવનના યુવા કથાવાંચક છે. તેઓ 7 વર્ષની ઉંમરથી જ કથા સંભળાવી રહ્યા છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે. પુંડરિક ગોસ્વામીની કથાનું આયોજન ભારત અને વિદેશ બંને જગ્યાએ થાય છે.

2

પુંડરિક ગોસ્વામીનો જન્મ 20 જુલાઈ, 1988ના રોજ વૃંદાવનમાં થયો હતો. તેઓ પ્રખ્યાત સંત અતુલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પૌત્ર અને શ્રીભૂતિ કૃષ્ણ ગોસ્વામી મહારાજના પુત્ર છે.

પુંડરિક ગોસ્વામીના પરિવારમાં 38 પેઢીઓથી ભાગવત કથા કહેવામાં આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો. હાલમાં તેઓ શ્રીમદ્ માધવ-ગૌડેશ્વર પીઠમના 38મા આચાર્ય છે. તેઓ વિશ્વભરમાં ગૌડિય વૈષ્ણવ પરંપરાનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મુખ્યત્વે શ્રી કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, રામ કથા અને ભગવદ ગીતા પર પ્રવચનો આપે છે.

Pundrik-Goswami
dikshasthal.com

પુંડરિક ગોસ્વામી ગોપાલ ક્લબ અને નિમાઈ પાઠશાળા જેવા કાર્યક્રમો પણ સંચાલિત કરી રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યમાં પણ અગ્રેસર છે, વંચિતો માટે મફત તબીબી શિબિરોનું આયોજન કરે છે અને ગરીબ બાળકોને શિક્ષણ પણ અપાવે છે.

About The Author

Related Posts

Top News

રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું

18 ડિસેમ્બરના રોજ  કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણય સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા...
National 
રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું

કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ‘અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે...
National 
કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.