ડ્રીમ-11 પર ટીમ બનાવવાની સલાહ આપતો YouTuber અનુરાગ EDની ઝપટે ચઢ્યો, 10 કરોડની કાર જપ્ત અને...

YouTuber અનુરાગ દ્વિવેદીના રહેઠાણ પર દરોડામાં કરોડોની કિંમતના Lamborghini અને Mercedes-Benz સહિત ચાર લક્ઝરી વાહનો મળી આવ્યા. EDએ આ વાહનો જપ્ત કર્યા છે. બેંક વ્યવહારો, મિલકતના દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે. બુધવારે, તપાસ એજન્સીની 16 સભ્યોની ટીમે નવાબગંજ, ઉન્નાવ અને લખનઉમાં અનુરાગના રહેઠાણો પર દરોડા પાડ્યા હતા. ચાલો જાણી લઈએ કે YouTuber અનુરાગ દ્વિવેદી કોણ છે, એક સમયે સાધારણ જીવન જીવતો છોકરો આજે હવે કરોડોની બ્રાન્ડ વેલ્યુ ધરાવતો થઇ ગયો?

Anurag-Dwivedi
thelallantop.com

સૂત્રો અનુસાર, દરોડામાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર દ્વારા કમાયેલી આવકના અસંખ્ય પુરાવા મળી આવ્યા છે. અનુરાગની અન્ય સ્થાવર સંપત્તિઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની ભૂમિકાઓની પણ તપાસ કરવામાં આવશે.

rahul
khabarchhe.com

EDના જણાવ્યા અનુસાર, અનુરાગ પર સ્કાય એક્સચેન્જ અને અન્ય ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો પ્રચાર કરીને ખુબ વધારે પ્રમાણમાં નફો કમાવવાનો આરોપ છે. આમાંની ઘણી એપ્સ દેશમાં ગેરકાયદેસર રીતે કાર્યરત હતી અને તેનો ઉપયોગ ક્રિકેટ મેચ અને અન્ય ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવવા માટે થતો હતો.

Anurag-Dwivedi3
republicworld.com

22 નવેમ્બર, 2024ના રોજ, અનુરાગે તેની લખનઉ સ્થિત ગર્લફ્રેન્ડ સાથે દુબઈમાં એક લક્ઝરી ક્રુઝ શિપમાં લગ્ન કર્યા. ઉન્નાવના લગભગ 100 સંબંધીઓને દુબઈમાં લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અનુરાગે ફ્લાઇટ્સ, હોટલ અને ખાવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ હાજર રહી હતી. જ્યારે લગ્નમાં આટલી બધી વૈભવી વ્યવસ્થાઓથી સંબંધીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંથી અનુરાગની વૈભવી છબી ED સુધી પહોંચી.

Anurag-Dwivedi2
ndtv.com

ઉન્નાવના ખજુર ગામનો 25 વર્ષીય અનુરાગ દ્વિવેદી એક સમયે સાદું જીવન જીવતો હતો. દસ વર્ષ પહેલાં, તે ફક્ત સાયકલ દ્વારા મુસાફરી કરતો હતો. તેના પિતા, લક્ષ્મીનાથ દ્વિવેદી, ગામના સરપંચ હતા. અનુરાગ 2017-18માં ક્રિકેટ સટ્ટાબાજી નેટવર્કમાં જોડાયો અને ડ્રીમ11 જેવા કાલ્પનિક રમત પ્લેટફોર્મ પર વિડિઓઝ બનાવવાનું શરૂ કર્યું. તેની આગાહીઓ અને ગેમિંગ સામગ્રીએ તેને લોકપ્રિય બનાવી દીધો. તેના YouTube પર 70 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 24 લાખ ફોલોઅર્સ છે. તેણે 22 નવેમ્બરના રોજ દુબઈમાં એક લક્ઝરી ક્રુઝ શિપમાં ભવ્ય લગ્ન કર્યા.

Anurag-Dwivedi4
republicworld.com

EDનો દાવો છે કે અનુરાગે તેના સોશિયલ મીડિયા પ્રભાવનો ઉપયોગ કરીને યુવાનોને આ એપ્સની સાથે જોડ્યા હતા. અનુરાગ હાલમાં દુબઈમાં હોવાનું માનવામાં આવે છે. એજન્સી તેની વિદેશ યાત્રાઓ, આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને ભંડોળના ઉપયોગની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.