શિવરાજ સિંહ ચૌહાણે એમ શા માટે કહ્યું કે- 'ચૂંટણીના સમયે કેટલીક વખત વોટ અપાવે તેવા નિર્ણય લેવા પડે છે'

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન મોટી વાત કહી દીધી હતી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કેટલીક વખત ચૂંટણીના સમયે વોટ મળે આવા નિર્ણયો લેવા પડે છે. એટલું જ નહીં વારંવાર થનારી ચૂંટણીના કારણે નિર્ણયો પર અસર તો થાય જ છે, પરંતુ પૈસીનો પણ બગાડ થાય છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે વન નેશન વન ઇલેક્શન જરૂરી ગણાવ્યું હતું.

shivraj singh chouhan
currentaffairs.adda247.com

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલની એક ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત વન નેશન વન ઇલેક્શન યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે વન નેશન વન ઈલેક્શનને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી કહ્યું કે વારંવાર ચૂંટણીને કારણે ઘણા નિર્ણયો પ્રભાવિત થાય છે, વિકાસ અટકી જાય છે અને પૈસાનો પણ બગાડ થાય છે. એટલું જ નહીં, કેટલીક વખત તો ચૂંટણીના ડરથી વોટ અપાવે તેવા નિર્ણય પણ લેવાની વાત તેમણે કરી હતી.

shivraj singh chouhan
deccanchronicle.com

શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, દેશમાં એક સાથે ચૂંટણી જરૂરી છે. અલગ-અલગ ચૂંટણીઓ થવાને કારણે તમામ રાજકીય પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત રહે છે. પોતાનું ઉદાહરણ આપતા તેણે કહ્યું કે, હું બધું છોડીને 3 મહિના ઝારખંડમાં પડ્યો રહ્યો. આ બધી પાર્ટીઓના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે થાય છે. શિવરાજ સિંહે ચૂંટણીમાં થનારા ખર્ચ પર ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, વાસ્તવમાં ઔપચારિક ખર્ચ દેખાય છે, પાછળથી વધારે કેટલો ખર્ચ થાય છે, ચૂંટણી દરમિયાન ખૂબ પૈસા ખર્ચ થાય છે.

Related Posts

Top News

કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Gujarat 
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.