વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, આંખમાં મરચું નાખ્યું અને...

કર્ણાટકમાં એક મહિલાએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી. મહિલા પર આરોપ છે કે તેણે પહેલા તેના પતિની આંખોમાં મરચાંનો પાવડર નાખ્યો, પછી તેને લાકડીથી ખુબ માર માર્યો હતો. આ ક્રૂરતા અહીં જ અટકી નહીં. તેણે તેના પતિના ગળા પર પગ મૂકીને તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, હત્યા કર્યા પછી તેના મૃતદેહને લગભગ 30 કિલોમીટર દૂર એક કૂવાની અંદર ફેંકી દેવામાં આવ્યો.

Wife Murdered Husband
ndtv.in

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આખો મામલો કર્ણાટકના તુમકુરુ જિલ્લાનો છે. આરોપી મહિલાની ઓળખ સુમંગલા તરીકે થઈ છે. તેના પર 24 જૂને તેના 50 વર્ષીય પતિ શંકરમૂર્તિની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતા અહેવાલ મુજબ, સુમંગલા જિલ્લાની કલ્પતરુ કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરતી હતી. પોલીસે જણાવ્યું કે સુમંગલા અને નાગરાજુ પ્રેમ સંબંધમાં હતા. નાગરાજુ નજીકના ગામનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંનેએ મળીને શંકરમૂર્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કારણ કે, તેણે સુમંગલા અને નાગરાજુ વચ્ચેના ગેરકાયદેસર સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો. શંકરમૂર્તિની હત્યા કર્યા પછી, બંનેએ તેના મૃતદેહને એક કોથળામાં ભરીને લગભગ 30 Km દૂર લઈ ગયા અને બગીચાના એક કૂવામાં ફેંકી દીધો હતો.

Wife Murdered Husband
news18.com

હત્યા કર્યા પછી, શંકરમૂર્તિના ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. નોનવિનાકેરે વિસ્તારની પોલીસે શરૂઆતમાં ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. અને પછી તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકરમૂર્તિના ઘરની તપાસ કરી. આ દરમિયાન, તેમને મરચાના પાવડરના ડાઘ અને પલંગ પર સંઘર્ષના નિશાન મળ્યા. પોલીસને પત્ની સુમંગલા પર શંકા ગઈ હતી. જ્યારે તેના કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરવામાં આવી, ત્યારે આ ભયાનક કાવતરું ખુલ્યું હતું.

Wife Murdered Husband
thelallantop.com

પોલીસે તેની સંડોવણીની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, સુમંગલાને લાગ્યું કે તેનો પતિ તેમના સંબંધો વચ્ચે આવી રહ્યો છે. હાલમાં, પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.