શું પતિ છૂટાછેડા પર પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે, કાયદો શું કહે છે? જ્યોતિ મૌર્ય સામે પતિ ગયો કોર્ટમાં

આલોક મૌર્યએ પ્રયાગરાજ ફેમિલી કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો છે, જેમાં કોર્ટે તેની પત્ની જ્યોતિ મૌર્ય પાસેથી ભરણપોષણ માંગતી અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આલોકની ભરણપોષણ અરજી પર PCS અધિકારી જ્યોતિ મૌર્યને નોટિસ મોકલી આપી છે. હવે આ મામલાની સુનાવણી 8 ઓગસ્ટે થશે. આ દરમિયાન, પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, શું પતિ છૂટાછેડા પર પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે અને કાયદો આ વિશે શું કહે છે.

Jyoti-Maurya,-Alok-Maurya1
aajtak.in

હકીકતમાં, જ્યોતિ મૌર્યએ પ્રયાગરાજની ફેમિલી કોર્ટમાં આલોક પાસેથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે, જે હજુ પણ પેન્ડિંગ છે. આ અરજીની પેન્ડિંગ દરમિયાન, આલોકે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 24 હેઠળ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે 4 જાન્યુઆરી, 2025ના રોજ ફગાવી દીધી હતી. તેમણે ફેમિલી કોર્ટના આ નિર્ણય સામે હાઇકોર્ટ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી છે.

આલોક મૌર્યએ જણાવ્યું હતું કે, હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 24 હેઠળ, છૂટાછેડા અથવા અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન, પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક ભરણપોષણ માંગી શકે છે, જો તે આર્થિક રીતે નબળો હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ બધાને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે, પતિ પત્ની પાસેથી ભરણપોષણ પણ માંગી શકે છે. જો તે સાબિત કરી શકે કે તેની આર્થિક સ્થિતિ નબળી છે અને પત્નીની આવક પૂરતી છે.

Jyoti-Maurya,-Alok-Maurya2
livehindustan.com

આલોકની અરજી પર સુનાવણી કરતા, ન્યાયાધીશ અરિંદમ સિંહા અને ડૉ. યોગેન્દ્ર કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે કેસની આગામી સુનાવણી માટે 8 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં, આલોકે કહ્યું હતું કે, તેની પત્ની જ્યોતિ મૌર્ય, જે અલગ રહે છે, એક વહીવટી અધિકારી છે, જ્યારે તે નાની સરકારી નોકરી કરે છે અને તે ઘણી બીમારીઓથી પણ પીડાય છે. તેથી જ તે તેની (જ્યોતિ મૌર્ય) પાસેથી ભરણપોષણ મેળવવાનો હકદાર છે.

આલોકે 77 દિવસના વિલંબ સાથે પોતાની અપીલ દાખલ કરી હતી, જેના માટે તેમણે વિલંબ માફ કરવા માટે પણ અરજી કરી છે. આ ઉપરાંત, હાઇકોર્ટે આલોકને ફેમિલી કોર્ટના નિર્ણયનો અંગ્રેજી અનુવાદ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Jyoti-Maurya,-Alok-Maurya4
livehindustan.com

અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં, આલોકને પંચાયતી રાજ વિભાગમાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારપછી, વર્ષ 2010માં તેમના લગ્ન જ્યોતિ મૌર્ય સાથે થયા હતા.

આલોકે દાવો કર્યો છે કે તેમણે પ્રયાગરાજમાં તેમની પત્નીના અભ્યાસ માટે દરેક શક્ય વ્યવસ્થા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે, PSC પરીક્ષા પાસ કર્યા પછી, જ્યારે તેમને વર્ષ 2015માં SDM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે જ્યોતિનો તેમના અને તેમના પરિવાર પ્રત્યેનો વ્યવહાર (વલણ) બદલાઈ ગયો.

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.