શાકભાજી વેચનારને 29 લાખ GST ચૂકવવા નોટિસ મળી, UPIએ આખું રહસ્ય ખોલ્યું!

કર્ણાટકનો એક શાકભાજી વેચનાર હેડલાઇન્સમાં છે. તેનું કારણ એ છે કે તેને GST અધિકારીઓ દ્વારા 29 લાખ રૂપિયાની GST નોટિસ મોકલવામાં આવી હતી, જે જોઈને તે ચોંકી ગયો. ખરેખર, આ મામલો શંકરગૌડા હદીમણીનો છે, જે કર્ણાટકમાં દરરોજ શાકભાજીની દુકાન ખોલીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમને ગુડ્સ અને સર્વિસ ટેક્સ નિયમો હેઠળ આ મોટી ચુકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. ચાલો સમજીએ કે ખરેખર આખો મામલો શું છે...

આ આખો મામલો કર્ણાટકના હાવેરીનો છે. શંકરગૌડા સ્થાનિક મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસે શાકભાજીની દુકાન લગાવે છે અને છેલ્લા ચાર વર્ષથી શાકભાજી વેચી રહ્યો છે. તેના મોટાભાગના ગ્રાહકો UPI અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા ચુકવણી કરે છે. બસ, શંકર માટે આ એક મોટી સમસ્યા બની ગઈ, કારણ કે GST અધિકારીઓએ તેમને નોટિસ મોકલીને દાવો કર્યો હતો કે, તેણે ચાર વર્ષમાં 1.63 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા છે અને આ મુજબ, તેના પર 29 લાખ રૂપિયાની GST લેવાની નીકળે છે.

Vegetable Vendor
economictimes.indiatimes.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, GST નોટિસ મળ્યા પછી, શાકભાજી વેચનાર શંકરગૌડાએ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતો પાસેથી સીધા તાજા શાકભાજી ખરીદે છે અને તેમની નાની દુકાન પર વેચે છે, જ્યાં મોટાભાગના ગ્રાહકો UPI ચુકવણી પસંદ કરે છે, કારણ કે આજના સમયમાં રોકડનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. આ સાથે, તેમણે જણાવ્યું કે, તેઓ દર વર્ષે પોતાનું આવકવેરા રિટર્ન (ITR ફાઇલ) ફાઇલ કરે છે અને તેનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખે છે. નોટિસ મળ્યા પછી તેઓ ગભરાઈ ગયા છે અને કહી રહ્યા છે કે, 'હું 29 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવીશ, તેને ભેગા કરવા અશક્ય છે.'

નિયમો અનુસાર, જો કોઈ શાકભાજી વેચનાર ખેડૂતો પાસેથી સીધા શાકભાજી ખરીદે છે અને પ્રોસેસિંગ વિના વેચે છે, તો આવા તાજા અને ઠંડા શાકભાજી પર GST લાગતો નથી. જો શાકભાજી બ્રાન્ડેડ અથવા પેક્ડ હોય, તો તેના પર 5 ટકા GST લાગુ પડે છે. જો કે, કર્ણાટકમાં શંકરગૌડાના કેસ પછી, તેમના જેવા ઘણા નાના વેપારીઓએ UPI ચુકવણી સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને હવે ફક્ત રોકડ લઈ રહ્યા છે.

Vegetable Vendor
m.punjabkesari.in

એક અહેવાલ મુજબ, તાજેતરમાં, કર્ણાટક GST વિભાગે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ડિજિટલ ચુકવણી સ્વીકારતા વેપારીઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે. 12 જુલાઈના રોજ, એવું કહેવામાં આવ્યું હતું કે, જે વેપારીઓનું કુલ ટર્નઓવર GST રજિસ્ટર્ડ મર્યાદા કરતાં વધુ છે તેમને નોટિસ મોકલવામાં આવશે.

જ્યારે નાના વેપારીઓએ રોકડમાં વેચાણ શરૂ કર્યું, ત્યારે 17 જુલાઈના રોજ, કર્ણાટક GST વિભાગે તેના વિશે પણ કહ્યું કે, વેપારીઓ UPI ટાળી રહ્યા છે અને રોકડ તરફ વળ્યા છે. તેમને પ્રાપ્ત થતી કુલ રકમ પર કર લાગુ થશે, પછી ભલે તે UPIમાંથી હોય કે રોકડમાં હોય.

About The Author

Related Posts

Top News

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.