શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાસના મુખ્ય સ્નાન પર્વ દરમિયાન સંગમ તટ પર થયેલા હંગામા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ આકરા પ્રહારો કરતા શંકરાચાર્યએ પૂછ્યું કે, શું કોઈ બાળકને તેની માતાને મળવા માટે પરવાનગી લેવી પડે?

શું હતી સમગ્ર ઘટના?

રવિવારે સવારે આશરે 9 વાગ્યે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ 200 જેટલા અનુયાયીઓ, રથ અને પાલખી સાથે સંગમ નોઝ પહોંચ્યા હતા. જોકે, પ્રશાસને અતિશય ભીડનું કારણ આપી તેમને રથ પરથી ઉતરીને પગપાળા જવા જણાવ્યું હતું. આ દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે તીખી ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. પોલીસની આ કાર્યવાહીથી નારાજ થઈને શંકરાચાર્ય ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા અને સંગમ સ્નાન કર્યા વગર જ પરત ફર્યા હતા.

02

સોમવારે એક પત્રકાર પરિષદને સંબોધતા શંકરાચાર્યએ વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા:

  • મંજૂરીનો તર્ક: તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કોઈ સાધુ-સંત કે સનાતનીએ ગંગા સ્નાન માટે પરવાનગી લેવી પડશે? તેમણે કહ્યું કે આ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરાનું અપમાન છે.
  • પોલીસ અત્યાચારના આક્ષેપ: એક બટુકનો લોહીવાળો ખેસ બતાવતા તેમણે દાવો કર્યો કે પોલીસે વૃદ્ધ સંતોને બૂટ વડે માર્યા અને નેપાળથી આવેલા એક સંતની ચોટલી પકડીને મારપીટ કરી. તેમણે આ સ્થિતિને પાણીપત યુદ્ધ જેવી ગણાવી હતી.
  • સુરક્ષા અને પાલખી: સ્વામીજીએ સ્પષ્ટ કર્યું કે તેઓ પાલખીનો ઉપયોગ શોખ માટે નહીં, પરંતુ ભીડના વ્યવસ્થાપન માટે કરે છે જેથી નાસભાગ ન થાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે અમે ગંગા સ્નાન માટે પરમિશન નહીં લઈએ. વહીવટીતંત્રએ કાવતરું ઘડીને અમને સમર્થકોથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. સત્ય બોલનારા સંતો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ, પ્રયાગરાજ પોલીસ કમિશનર જોગિન્દર કુમારે જણાવ્યું હતું કે, તે સમયે સંગમ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. સુરક્ષાના કારણોસર VVIP સ્નાન પર પ્રતિબંધ હતો, તેથી સ્વામીજીને માત્ર પગપાળા જવા વિનંતી કરવામાં આવી હતી.

01

બેરિકેડ તોડવાના આરોપ પર શંકરાચાર્યએ પડકાર ફેંક્યો છે કે વહીવટીતંત્ર CCTV ફૂટેજ જાહેર કરે, જેથી સત્ય બહાર આવે કે બેરિકેડ કોણે ખોલાવ્યા હતા.

આ ઘટના બાદ માઘ મેળામાં આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શંકરાચાર્યએ મેળા પ્રશાસનને તાત્કાલિક બદલવાની માંગ કરી છે. હાલમાં આ વિવાદ સમગ્ર મેળા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Related Posts

Top News

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.