મહિલાઓએ યુરોપ જેવો ડ્રેસ ના પહેરવો જોઈએ, મુશ્કેલી થાય છેઃ મંત્રીનું નિવેદન

તેલંગાણાના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ મહિલાઓના કપડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે, મહિલાઓએ યુરોપના લોકો જેવા કપડા ન પહેરવા જોઈએ, તેનાથી સમસ્યાઓ થાય છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા મંત્રી મહમૂદ અલીએ કહ્યું કે, મહિલાઓ ગમે તે પહેરી શકે છે પરંતુ ટૂંકા કપડા ન પહેરે.

એમણે વધુમાં કહ્યું કે, 'અમારી નીતિ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છે. તમે જે ઇચ્છો તે પહેરી શકો છો, પરંતુ યુરોપિયનો જેવા વસ્ત્રો પહેરશો નહીં, તેનાથી પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. ઇસ્લામમાં માનનારી મહિલાઓ તેમના ધર્મ અનુસાર કપડાં પહેરે. હિંદુ ધર્મનું પાલન કરતી સ્ત્રીઓ સાડીથી માથું ઢાંકે. જ્યારે મહિલાઓ ઓછા કપડા પહેરે છે ત્યારે સમસ્યા ઉભી થાય છે, જ્યારે મહિલાઓ સંપૂર્ણ કપડા પહેરતી હોય છે ત્યારે લોકો હળવાશ અનુભવે છે.'

મીડિયા અહેવાલો અનુસાર, તેલંગાણાના ગૃહ પ્રધાને આ વાત એવી ઘટનાનો જવાબ આપતાં કહ્યું હતું કે જેમાં હૈદરાબાદની એક કોલેજે વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં બેસતા પહેલા તેમના બુરખા ઉતારવા કહ્યું હતું.

હકીકતમાં, શુક્રવારે હૈદરાબાદની KV રંગા રેડ્ડી ડિગ્રી કોલેજ ફોર વુમન પરીક્ષા કેન્દ્રમાં પહોંચેલી વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે, સ્ટાફે તેમને બુરખો પહેરીને પરીક્ષામાં બેસવા દેવાની ના પાડી હતી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ એમ પણ કહ્યું હતું કે, તેઓએ પરીક્ષા આપતા પહેલા રાહ જોવી પડી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, એક વિદ્યાર્થીએ કહ્યું, 'કોલેજ પ્રશાસને અમને બુરખો ન પહેરવાની સૂચના આપી છે. પરંતુ, તે પરીક્ષાના નિયમોની વિરુદ્ધ છે. અમારા માતા-પિતાએ આ બાબતની ફરિયાદ ગૃહમંત્રી મહમૂદ અલીને કરી હતી. જેના પર તેમણે કહ્યું કે, બુરખા પહેરેલી વિદ્યાર્થિનીઓને કેન્દ્રમાં આવવાની મંજૂરી ન આપવી એ યોગ્ય નથી.'

વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, કેન્દ્રના સ્ટાફે વિદ્યાર્થીનીઓને લગભગ અડધા કલાક સુધી પરીક્ષા ખંડમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પણ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ત્યાર પછી વિદ્યાર્થીનીઓએ તેમના બુરખા ઉતારવા પડ્યા હતા અને ત્યાર પછી જ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.