અયોધ્યા જવા દિલ્હી, મુંબઇ, અમદાવાદથી ફ્લાઇટ મળશે

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે તમે ફલાઇટ, ટ્રેન, બસ કે બાય રોડ અનેક રીતે પહોંચી શકશો. અમે તમને અયોધ્યા પહોંચવા માટે ક્યાં ક્યાંથી ફલાઇટ છે તેની માહિતી આપીશું. જો તમારા શહેરમાં અયોધ્યાની ફલાઇટ ન હોય તો તમારા નજીકના વિસ્તારોમાંથી ફલાઇટમાં જઇ શકશો. મંબઇ, દિલ્હી, અમદાવાદથી અયોધ્યાની ફલાઇટ છે.

અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ હજુ 30 ડિસેમ્બરથી જ ખુલ્લું મુકવામાં આવ્યું છે. એ સિવાય એક એરપોર્ટ લખનૌ છે. લખનૌથી ટેક્સી કે બસ દ્વારા તમે અયોધ્યા પહોંચી શકો છો. લખનૌથી અયોધ્યાનું 130 કિ.મીનું અંતર છે.

દિલ્હીથી અયોધ્યાની ડેઇલી બે ફલાઇટ છે. એક એર ઇન્ડિયા એક્સ્પ્રેસની જે સવારે 9 વાગ્યે ઉપડશે અને સવારે 10.20 વાગ્યે અયોધ્યા પહોંચાડી દેશે. બીજી ફલાઇટ દિલ્હીથી જ ઇન્ડીગોની છે જે સવારે 11-55 વાગ્યે ઉપડશે અને બપોરે 1,15 વાગ્યે અયોધ્યો પહોંચશે. અયોધ્યાથી દિલ્હીનું ભાડું 3420 રૂપિયા છે અને દિલ્હીથી અયોધ્યાનું 3750 રૂપિયા છે. ફલાઇટના રેટ બદલાયા કરતા હોય છે.

 અમદાવાદથી અયોધ્યાની ઇન્ડીગોની સપ્તાહમાં 3 દિવસ ફલાઇટ છે. મંગળ, ગુરુ, શનિ. અમદાવાદથી સવારે 9-10 વાગ્યે ઉપડશે અને 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. અયોધ્યાથી 11-30 વાગ્યે ઉપડશે અને બપોરે 1-40 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. અયોધ્યાથી અમદાવાદ 4276 રૂપિયા ભાડું છે અને અમદાવાદથી અયોધ્યા માટે 7199 રૂપિયા છે.

મુંબઇથી અયોધ્યાની ઇન્ડીગોની ડેઇલી ફલાઇટ છે. મુંબઇથી બપોરે 12-30 વાગ્યે ઉપડશે અને બપોરે 2-45 વાગ્યે અયોધ્યા જશે. અયોધ્યાથી 3-15ની ફલાઇટ છે અને મુંબઇ સાંજે 5-40 વાગ્યે આવશે. ભાડું 4 હજાર રૂપિયાથી 6,000 રૂપિયા વચ્ચે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.