અયોધ્યા જવા દિલ્હી, મુંબઇ, અમદાવાદથી ફ્લાઇટ મળશે

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે તમે ફલાઇટ, ટ્રેન, બસ કે બાય રોડ અનેક રીતે પહોંચી શકશો. અમે તમને અયોધ્યા પહોંચવા માટે ક્યાં ક્યાંથી ફલાઇટ છે તેની માહિતી આપીશું. જો તમારા શહેરમાં અયોધ્યાની ફલાઇટ ન હોય તો તમારા નજીકના વિસ્તારોમાંથી ફલાઇટમાં જઇ શકશો. મંબઇ, દિલ્હી, અમદાવાદથી અયોધ્યાની ફલાઇટ છે.

અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ હજુ 30 ડિસેમ્બરથી જ ખુલ્લું મુકવામાં આવ્યું છે. એ સિવાય એક એરપોર્ટ લખનૌ છે. લખનૌથી ટેક્સી કે બસ દ્વારા તમે અયોધ્યા પહોંચી શકો છો. લખનૌથી અયોધ્યાનું 130 કિ.મીનું અંતર છે.

દિલ્હીથી અયોધ્યાની ડેઇલી બે ફલાઇટ છે. એક એર ઇન્ડિયા એક્સ્પ્રેસની જે સવારે 9 વાગ્યે ઉપડશે અને સવારે 10.20 વાગ્યે અયોધ્યા પહોંચાડી દેશે. બીજી ફલાઇટ દિલ્હીથી જ ઇન્ડીગોની છે જે સવારે 11-55 વાગ્યે ઉપડશે અને બપોરે 1,15 વાગ્યે અયોધ્યો પહોંચશે. અયોધ્યાથી દિલ્હીનું ભાડું 3420 રૂપિયા છે અને દિલ્હીથી અયોધ્યાનું 3750 રૂપિયા છે. ફલાઇટના રેટ બદલાયા કરતા હોય છે.

 અમદાવાદથી અયોધ્યાની ઇન્ડીગોની સપ્તાહમાં 3 દિવસ ફલાઇટ છે. મંગળ, ગુરુ, શનિ. અમદાવાદથી સવારે 9-10 વાગ્યે ઉપડશે અને 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. અયોધ્યાથી 11-30 વાગ્યે ઉપડશે અને બપોરે 1-40 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. અયોધ્યાથી અમદાવાદ 4276 રૂપિયા ભાડું છે અને અમદાવાદથી અયોધ્યા માટે 7199 રૂપિયા છે.

મુંબઇથી અયોધ્યાની ઇન્ડીગોની ડેઇલી ફલાઇટ છે. મુંબઇથી બપોરે 12-30 વાગ્યે ઉપડશે અને બપોરે 2-45 વાગ્યે અયોધ્યા જશે. અયોધ્યાથી 3-15ની ફલાઇટ છે અને મુંબઇ સાંજે 5-40 વાગ્યે આવશે. ભાડું 4 હજાર રૂપિયાથી 6,000 રૂપિયા વચ્ચે છે.

About The Author

Related Posts

Top News

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર...
Gujarat 
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.