ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બુધવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી.

કોરોનાની મહામારીના કારણે કેબિનેટ બેઠકમાં તમામ નેતાઓ અને અધિકારીઓ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. કેબિનેટ બેઠકમાં અધિકારીઓ અને મંત્રીઓની હાજરીમાં રાજ્યના ખેડૂતોને કઈ રીતે રાહત આપી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. 10 કલાક વીજળીનો લાભ ખેડૂતોને 7 ઓગસ્ટથી આપવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખેડૂતોને આ લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ચોમાસું લંબાયુ હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. જો કે કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઊત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. વરસાદ ઓછો પડતાં ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સંભાવના વર્તાઈ રહી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોના હિતમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં અત્યાર સુધીનો 45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેતા ખેડૂતોને આંશિક રાહત મળશે કારણ કે, રાજ્ય સરકારના નિર્ણયથી જે ખેડૂતોના ખેતરમાં ટ્યુબવેલની સુવિધા છે તેઓ તેમના ખેતરમાં રહેલા ઉભા પાકને પિયત કરીને બચાવી શકશે.

ખેડૂતોને પાકનો આધાર ચોમાસામાં પડેલા વરસાદ પર જ હોય છે. ચોમાસામાં વરસાદ સારો પડે છે, તો આખું વર્ષ ખેડૂતોને પાણીની તકલીફ નથી પડતી પરંતુ જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડે. આવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.