ભાજપ જોઇન કરવા પહોંચ્યો કુખ્યાત આરોપી, પોલીસને જોતા જ ભાગ્યો

તામિલનાડુમાં હાલ ભારતીય જનતા પાર્ટી (BJP) અપરાધીને પોતાની પાર્ટીમાં સામેલ કરવાને લઈને ટીકાઓનો સામનો કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, તામિલનાડુમાં હિસ્ટ્રીશીટર સૂર્યા BJP પાર્ટીના સભ્યતા ગ્રહણ કાર્યક્રમમાં BJP જોઈન કરવા માટે ચેન્નાઈ પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં અચાનક પોલીસ પહોંચી ગઈ. હિસ્ટ્રીશીટર સૂર્યા પોલીસને જોઈને કાર્યક્રમના સ્થળેથી ભાગી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, હિસ્ટ્રીશીટર સૂર્યા ઘણા કેસોમાં વોન્ટેડ છે. પોલીસ તેની શોધ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હિસ્ટ્રીશીટર સૂર્યા રેડ હિલ્સ નામે ઓળખાય છે. સૂર્યા પર 6 હત્યાઓનો આરોપ છે.

પોલીસે આગળ જણાવ્યું કે, સૂર્યા પર આ ઉપરાંત હત્યાના પ્રયત્નો, વિસ્ફોટક પ્રયોગો કરવા સહિત કેટલીક ગંભીર ધરાઓમાં 50 કેસ દાખલ છે. એક રિપોર્ટ અનુસાર, BJPમાં સૂર્યાનો જોઈનિંગ કાર્યક્રમ ચેન્નાઈના વેડાલુરુમાં હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે BJP પ્રદેશ અધ્યક્ષ એલ. મુરગન પણ પહોંચ્યા હતા. પોલીસને જ્યારે ખબર પડી કે, BJP પાર્ટીને જોઈન કરવા હિસ્ટ્રીશીટર સુર્યા પણ પહોંચ્યો છે તો, ચેગલપટ્ટુ જિલ્લાની પોલીસ સૂર્યાની ધરપકડ કરવા કાર્યક્રમના સ્થળે પહોંચી ગઈ પરંતુ, તે પોલીસને જોઈને કાર્યક્રમના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે કાર્યક્રમના સ્થળ પરથી અન્ય 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

એવી ખબર સામે આવી રહી છે કે, આ 6 લોકો હિસ્ટ્રીશીટરના સાથી છે. ત્યારબાદ BJPના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશને જઈને હોબાળો મચાવ્યો અને પકડવામાં આવેલા લોકોને છોડવાની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા. આ બાબતે રાઘવને કહ્યું કે, પોલીસ જે 6 લોકોને પકડીને લઈ ગઈ હતી, તેમાંથી પોલીસ માત્ર બે લોકોને છોડી દે તેવું એ લોકો ઇચ્છતા હતા. ત્યારબાદ પોલીસે કસ્ટડીમાં લીધેલા લોકોને છોડી દીધા હતા. હિસ્ટ્રીશીટરને પાર્ટી જોઇન કરાવવાના સવાલ પર રાઘવને કહ્યું હતું કે, સેંકડો લોકો રોજ BJPમાં સામેલ થાય છે. બધાનો શ્રેય શું છે એ જાણી શકવું ઘણું મુશ્કેલ છે. જે પણ લોકો પાર્ટીમાં સામલે થઈ રહ્યા છે તેમને ગ્રૂપમાં પાર્ટીની સભ્યતા આપવામાં આવી રહી છે. સૂર્યાના બેકગ્રાઉન્ડની બાબતે તેને કે પાર્ટીના લોકોને એ ખબર નહોતી. તેમણે કહ્યું કે, જોકે હવે એ લોકો આ વાતનું ધ્યાન રાખશે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.