મોરબીમાં ફરાળી લોટની વાનગીઓ ખાઇને 25 લોકો પહોંચી ગયા હોસ્પિટલ

શું તમને ફરાળના લોટમાંથી બનેલું ભોજન પસંદ છે? તેમાંથી બનેલી પૂરી, પકોડા અથવા તો પછી કટલેટ જેવા પકવાન બનાવીને વ્રતમાં ખાવામાં આવે છે પરંતુ, જો તમે એવુ કરી રહ્યા હો તો સંભાળીને રહેજો. વ્રતમાં ઉપવાસ દરમિયાન ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાવો તમને હોસ્પિટલ પણ પહોંચાડી શકે છે. આવો જ એક બનાવ ગુજરાતના મોરબી જિલ્લામાં આવ્યા છે. અહીં ઉપવાસના દિવસે ફરાળી લોટના પકવાન ખાઈને 25 લોકો બીમાર પડી ગયા. ઉલ્ટી-ચક્કરના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ગુજરાતના મોરબીમાં રામનવમીના દિવસે મોટી ઘટના સામે આવી છે. અહીં 25 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર થઈ ગયા. બીમાર લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જે લોકોની તબિયત ખરાબ થઈ તેમા બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. રામનવમીના દિવસે વ્રત-ઉપવાસ હોવાના કારણે લોકોએ ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાધા હતા. તેને ખાધા બાદ ઘણા લોકોમાં ઉલ્ટી અને ચક્કરના લક્ષણ દેખાવા માંડ્યા. સતત ઉલ્ટી થવાના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયુ, જેના કારણે પાણીની ઉણપને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.

વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. એવામાં વ્રતના ભોજન માટે ફળાહારી ખાદ્ય પદાર્થોથી એવા વિકલ્પ શોધી લેવામાં આવ્યા છે, જેના ચૂરણનો લોટની જેમ પ્રયોગ કરી શકાય છે. વ્રતમાં લોકો સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને સિંગોડા અથવા તેનો લોટ ખાય છે. આ ચારના બારીક પાઉડરને એકસાથે મિક્સ કરીને ફરાળી લોટ તૈયાર કરવામાં આવે છે. પહેલા લોકો ઘરોમાં જ વ્રતવાળા દિવસે શુદ્ધતા સાથે આ લોટ તૈયાર કરી લેતા હતા. હવે બજારમાં પણ ફરાળી લોટ સરળતાથી ઉપલબ્ધ છે.

ફરાળી લોટની સાથે સમસ્યા એ છે કે, આ લોટને બહારની હવા લાગે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેને વધુ દિવસો સુધી સ્ટોર કરીને રાખી ના શકાય. આવુ જ સિંગોડાના લોટ સાથે પણ છે. તેને પણ હવાના સંપર્કમાં વધુ દિવસ સુધી રાખી ના શકાય. જ્યારે બજારમાંથી લોટ લેવામાં આવે તો તે ઘણા દિવસ પહેલાનો પણ બનાવેલો હોઇ શકે છે. એવામાં આ લોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. ફરાળી લોટ ઘણા દિવસ સુધી રાખી મુકવામાં આવે તો તેમા કીડા પણ પડી જાય છે. આ સાથે જ તેનો સ્વાદ પણ ખરાબ થવા માંડે છે.

જો તમે બજારમાંથી ફરાળી લોટ લીધો હોય તો પહેલા તપાસી લો કે ક્યાંક તેનો સ્વાદ તો નથી બદલાયો ને. ફરાળી લોટ ખાવા કરતા સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને આખા સિંગોડા લઈ આવો, તેને તાપમાં તપાવીને ઘરમાં જ તેનો લોટ તૈયાર કરી લો. જેટલા લોટની જરૂર હોય એટલો જ લોટ બનાવો. બચેલો ફરાળી લોટ ફ્રીઝમાં રાખવા પર પણ 20 દિવસ બાદ ખરાબ થવા માંડે છે.

ખરાબ ફરાળી લોટ ડાયરેક્ટ પાચનતંત્ર પર અસર કરે છે. એક એલર્જિક ઇફેક્ટ આપવાનું શરૂ કરે છે, જેના કારણે પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ગભરાટ, બેચેની, ચક્કર અને ઉલ્ટી થવાનું શરૂ થઈ જાય છે. આ સાથે જ તેનો પ્રભાવ મતિભ્રમ પણ પેદા કરી શકે છે. ફરાળી લોટ ખાધા બાદ આવી કોઈ સમસ્યા થાય તો પોતાને હાઈડ્રેટ રાખો અને જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરો. ફૂડ પોઇઝનિંગ ખતરનાક સાબિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.