‘આર્થિક આધારે મળે અનામત...’ જંતર-મંતર પર ભેગા થયા લોકો; નવા UGC નિયમોનો પણ વિરોધ

શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર જાતિ આધારિત અનામતનો વિરોધ કરવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે હકારાત્મક ભેદભાવની નીતિઓ જાતિના બદલે આર્થિક માપદંડોના આધારે હોવી જોઇએ. 'આરક્ષણ હટાવો આંદોલન'  નામના ઇન્સ્ટાગ્રામ પેજની અપીલ બાદ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે લોકોને જંતર-મંતર પર જમીન પર વિરોધમાં જોડાવા માટે વિનંતી કરી હતી. શુક્રવારે સાંજે, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે પ્રદર્શકારીઓએ હટવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી.

RHA-Protest1
thestatesman.com

પ્રદર્શકારીઓની માંગણીઓ શું છે?

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા સાથે સંકળાયેલા એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમારી માંગણી એ છે કે કોને સરકારી સહાયની જરૂર છે તે નક્કી કરતી વખતે આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે. જાતિને ધ્યાનમાં લીધા વિના ગરીબ વ્યક્તિને શિક્ષણ, કોચિંગ અને અન્ય જરૂરિયાતો માટે સહાય મળવી જોઈએ. અન્ય એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે તેઓ હાલની અનામત વ્યવસ્થાની સમીક્ષા ઇચ્છે છે. તેની દલીલ કરી હતી કે અનામતના લાભ હંમેશાં સમાજના સૌથી વંચિત વર્ગો સુધી પહોંચતા નથી. તેણે કહ્યું કે, અમે વર્ષોથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. અમારું માનવું છે કે સરકારે સમીક્ષા કરવી જોઈએ કે શું વર્તમાન વ્યવસ્થા તેના હેતુને પૂર્ણ કરી રહી છે કે નહી અને શું તેના લાભો પાયાના સ્તરે લોકો સુધી પહોંચી રહ્યા છે?

એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે એવું નથી કહેતા કે આર્થિક રીતે નબળા વર્ગોને સહાય વિના છોડી દેવા જોઈએ. અમે માનીએ છીએ કે સહાય એવા લોકો સુધી પહોંચવી જોઈએ જેમને ખરેખર તેની જરૂર છે. આમાં શિષ્યવૃત્તિ, ફીમાં સહાયતા અને કોચિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થઈ શકે છે.

એક પ્રદર્શનકારીએ દાયકાઓ પહેલા લાગૂ કરાયેલી અનામત જોગવાઈઓ ચાલુ રાખવા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેણે કહ્યું કે સરકારે વર્તમાન સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓના સંદર્ભમાં અનામત નીતિની સમીક્ષા કરવી જોઈએ. કેટલાક પ્રદર્શનકારીઓએ અનામત વ્યવસ્થામાં 'ક્રીમી લેયર' જોગવાઈ લાગૂ કરવાની પણ માંગ કરી. તેમણે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) સંબંધિત નીતિઓમાં ફેરફારની પણ માંગ કરી.

પ્રદર્શનકારીઓએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત નીતિઓ, જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની રચનાનો સમાવેશ થાય છે, તેની સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા.

theft1
aajtak.in

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે જંતર-મંતર પર એકઠા થયેલા કેટલાક લોકોને દૂર કરવામાં આવ્યા હતા, કારણ કે વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નહોતી. પોલીસ કર્મચારીઓ આ વિસ્તારની નજીક આવતા લોકોની પણ તપાસ કરી રહ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વિરોધ સ્થળની આસપાસ ઇન્ટરનેટ જેમર લગાવવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે; જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.

About The Author

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.