IPS ઓફિસરે લગાવી એવી ટ્રીક, વાંદરાઓને ભગાડવાની ડ્યૂટી થઈ ખતમ

જે જગ્યાએ વાંદરાઓની હાજરી હોય છે ત્યાં લોકો જવા માટે ડરતા હોય છે. જોકે લોકોને ખબર નથી કે વાંદરાઓથી કેવી રીતે બચી શકાય તેમ છે. ભૂખથી પરેશાન વાંદરા ઘણી વખત રસ્તાઓ પરથી પસાર થનારા લોકોના હાથમાંથી વસ્તુઓ છીનવીને ભાગી જતા જોવા મળ્યા છે. વાંદરાઓને ભગાડવા માટે કેટલાંક લોકોને ડ્યૂટી પણ આપવામાં આવતી હોય છે. જેથી તે લોકોને પરેશાન ન કરે. ડ્યૂટી દરમિયાન હાજર લોકો વાંદરાઓને ડંડા,પથ્થર અને લાકડીનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓથી પરે એક આઈપીએસ અધિકારીએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે.

આઈપીએસ અધિકારી નવનીત સિકેરા ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અવનવા વીડિયો અને પોસ્ટ શેર કરતા રહે છે. તે ક્યારેક એવી વસ્તુઓ અંગે વાત કરે છે, જેના અંગે જાણીને લોકો પ્રેરિત થાય છે. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેણે વાંદરાઓને લાકડી-ડંડા વગર ભગાડવાનો રસ્તો બતાવ્યો છે. તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, વાંચ્યું હતું કે 93 ટકા કોમ્યુનિકેશન નોન વર્બલ હોય છે, મતલબ 93 ટકા વાતો કહ્યા વગર જ સમજાઈ જાય છે. અહીં પીટીસી ઉન્નાવમાં ઘણા બધા વાંદરા છે. એક હોમગાર્ડની ડ્યૂટી ડંડાની સાથે માત્ર વાંદરાઓને ભગાડવા માટેની આપી હતી.

આ અંગે નવનીત સિકેરાએ આગળ કહ્યું કે, મેં પૂછ્યું કેમ, કો કહેવામાં આવ્યું કે ગયા વાંદરાઘણા બદમાશ છે. કરડી પણ લે છે, સૌથી પહેલું કામ હતું ડંડાધારી પહેલવાનની ડ્યૂટી ખતમ કરી અને વાંદરાઓ પ્રત્યે સહજ થવાનું શરૂ કર્યું. હવે રોજ સાંજે વાંદરાઓની આખી ટોળકી આવી જાય છે. શાંતિથી ચણા અને કેળા ખાય છે અને શાંતિથી જતા રહે છે.આજ સુધી કોઈ વાંદરાઓએ કોઈને નુકસાન કર્યું નથી. તેમણે આગળ કહ્યું છે, ફોટામાં જે વાંદરા દેખાઈ રહ્યા છે તે તેમનો મુખિયા છે, સૌથી તગડો છે અને હવે તે સહજતાથી મારી પાસે આવીને બેસી જાય છે અને હું સમજી જાવ છું કે તેને શું જોઈએ છે. હું તેમને શરબત પીવડાવું છું અને તેઓ શાંતિથી પી લે છે. સાહેબ પ્રેમથી સન્માનથી કોઈને અપ્રોચ કરો, તમને સફળતા મળશે. યાદ રાખો સન્માન વાતોમાં નહીં આંખોમાં હોય છે. આ પોસ્ટને 29000થી પણ વધુ લોકોએ પસંદ કરી છે અને દોઢ હજારથી વધારે લોકોએ કોમેન્ટ્સ કરી છે.  

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.