માર્કેટમાં 50થી 100 રૂપિયામાં મળતા ચશ્મા તમારી આંખને પહોંચાડે છે નુકશાન

ઉત્તરાયણના તહેવારને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યારે લોકોએ આખો દિવસ પતંગ ચગાવવા માટે લોકો ટોપી અને ચશ્માંની ખરીદી કરી હતી. મોટા ભાગે લોકો રસ્તા પર મળતા 50થી 100 રૂપિયાના પ્લાસ્ટિકના ગોગલ્સની ખરીદી કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે, 50થી 100 રૂપિયાના પ્લાસ્ટિકના ચશ્માં પહેરીને સૂર્યની સામે જોઈને પતંગ ચગાવવાથી આંખને કેટલું નુકશાન થાય છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સુર્યના પારજાંબલી કિરણો મનુષ્યની ચામડી અને આંખ માટે હાનીકારક છે. માર્કેટમાં 50થી 100 રૂપિયાના ભાવે મળતા પ્લાસ્ટિકના ચશ્માં સૂર્યના આ નુકશાન કારક કિરણોને ગાળી શકતા નથી. તેથી પારજાંબલી કિરણો સીધા આંખની કીકીમાં પ્રવેશ કરે છે અને જેના કારણે રેટીનાને ખૂબ નુકશાન થાય છે. મહત્ત્વની વાત એ છે કે, લોકો થોડા પૈસા બચાવવા માટે પોલરાઇઝ્ડ ગ્લાસીસ ખરીદી કરતા નથી. માર્કેટમાં પોલરાઇઝ્ડ ગ્લાસીસ 300થી 400 રૂપિયાના ભાવે મળે છે અને તેની સામે પ્લાસ્ટિકના ચશ્માં એક દમ સસ્તા મળે છે, એટલા માટે લોકો પોલરાઇઝ્ડ ગ્લાસીસની ખરીદી કરવાનું ટાળે છે અને પ્લાસ્ટિકના ચશ્માં ખરીદીને અજાણતા પોતાની આંખને નુકશાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, લોકો જ્યારે ચશ્માંની ખરીદી કરવા માટે જાય છે ત્યારે સસ્તી કિંમતે મળતા ચશ્માં અને કાળા કાચ અને ચશ્માંની ફ્રેમને મહત્ત્વ આપતા હોય છે.

 

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.