'શ...જાગતે રહો' આ હોટલમાં છે એક જાણીતી વ્યક્તિની અતૃપ્ત આત્મા

કોટા કે જે પૂર્ણ ભારત વર્ષમાં એજ્યુકેશન માટે પ્રસિધ્ધ છે. પરંતુ રાજસ્થાનનું આ શહેર પણ ઘણી ઐતિહાસીક ઘટનાઓથી ભરેલું છે. આ શેહરમાં એક ભવન છે. ભારતની દસ સૌથી વધુ ડરામણી જગ્યામાં તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ભવનનું નામ છે 'બ્રીજ રાજ ભવન' પેલેસ. એક તરફ અજમેરમાં જ્યાં વિશ્વ પ્રસિધ્ધ ખ્વાજા સાહેબની દરગાહ છે. તો ત્યાંજ જયપૂરના જંતર-મંતર જેવી વૈદ્યશાળા છે. એવું લાગે કે જાણે અહિંનું પ્રત્યેક શહેર પોતાનામાં ઘણી રહસ્યમય ઘટનાઓને પોતાનામાં દબાવીને બેઠો છે.

જણાવી દઇએ કે 180 વર્ષ જૂના આ ભવનને 1980માં ઐતિહાસિક હોટલમાં બદલી દેવામાં આવ્યું. પરંતુ અહિ આવનાર લોકોને અજીબ અનુભવ થાય છે. તેમ માનવામાં આવે છે કે આ હોટલમાં મેજર બર્ટન નામનું ભૂત રહે છે. જે બ્રિટીશ સાશનકાળમાં કોટામાં સેવારત હતું. અને 1857ના વિદ્રોહ દરમિયાન તેને ભારતીય સિપાહીઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે બાદ કોટા શહેરમાં તેના કપાયેલ માથાને ફેરવવામાં આવ્યું હતું.

માન્યતા છે કે, આ ભૂત કોઇને કોઇ નુકશાન પહોંચાડતું નથી. પરંતુ રાતમાં ડ્યૂટી દરમિયાન જો કોઇ ગાર્ડ સૂઇ જાય છે તો તે ભૂત તેને તમાચો મારી ઉઠાડે છે. તે જ કારણ છે કે અહિં નોકરી કરનાર લોકો કામ દરમિયાન સૂવાથી ડરે છે. એટલું જ નહિ મેજરની સાથે તેના બે પુત્રોને પણ આજ ભવનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે કોટાની પૂર્વ મહારાણીએ 1980માં મેજરની આત્માને આ હોલમાં જોઇ હતી. જ્યાં તેને મારવામાં આવ્યા હતા. હાલમાં પણ આ ભવનમાં જો કોઇ સિગરેટ પીવે છે તો તે ભૂત તેને થપ્પડ મારી દે છે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.