સ્ટેજ પર જ વરરાજાએ દુલ્હનને માર્યો તમાચો! જુઓ Video

લગ્ન પ્રસંગ દરમિયાન એક વરરાજાએ દુલ્હનને માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ઉઝ્બેકિસ્તાનની છે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કપલ લગ્નના રિસેપ્શન દરમિયાન સ્ટેજ પર હતું. આ દરમિયાન એક ગેમ રમાડવામાં આવી. દુલ્હને તે ગેમ જીતી લીધી. જ્યારે વરરાજાને પોતાની હારનો અહેસાસ થયો તો તેણે ગુસ્સામાં પત્ની પર વાર કરી દીધો. ત્યારબાદ દુલ્હને પોતાના માથા પર હાથ મુકી દીધો. પરંતુ, વરરાજા સ્ટેજ પર એવી રીતે ઊભો રહી ગયો જાણે કંઈ થયુ જ નથી. તે ચૂપચાપ ભીડને જોતો રહ્યો. આ દરમિયાન ગીતો પણ વાગતા રહ્યા. ઘટના બાદ આગળ શું થયુ, તેની કોઈ જાણકારી સામે આવી નથી.

ઉઝ્બેકિસ્તાનની પોલીસ તરફથી ઘટનાને લઈને કોઈ નિવેદન સામે નથી આવ્યું. દેશમાં અરેન્જ મેરેજનો લાંબો ઈતિહાસ રહ્યો છે, જોકે હવે અરેન્જ મેરેજ ઓછાં થઈ રહ્યા છે. એ પણ સ્પષ્ટ નથી કે આ લગ્ન અરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ.

સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પણ ઘણા લોકોએ ટ્વીટર પર ગુસ્સામાં પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું, આ અસહનીય છે, મને આશા છે કે મહિલા તેના પર આરોપ લગાવે અને વરરાજાને સજા મળે.

બીજા યુઝરે લખ્યું, છોકરીના માતા-પિતા તેને આવી હાલતમાં કઈ રીતે જોઈ શકે છે? વરરાજા કોઈ માફિયા ગુંડો લાગી રહ્યો છે. અન્ય એક યુઝરે તૂટેલા દિલવાળી ઈમોજી પોસ્ટ કરતા લખ્યું- આ એટલું ભયાનક છે કે તેને સોલ્વ ના કરી શકાય. આશા છે કે, દુલ્હન વહેલામાં વહેલી તકે તેનાથી દૂર થઈ જશે.

જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે દેશમાં દુલ્હનને માર મારતા વરરાજાનો વીડિયો સામે આવ્યો છે. 2019માં પણ ઉઝ્બેકિસ્તાનમાં આવી ઘટના સામે આવી હતી. ત્યારે એક વધુને વરરાજાએ લગ્નની કેક લઈ જવાનું નાટક કરવા પર ચિડવવાનો પ્રયત્ન કર્યો હતો જેને કારણે તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં દુલ્હન પાછળની તરફ મુકેલી એક સીટ પર ઠોકર ખાઈને પડી ગઈ હતી.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.