‘30 મે 2025 બાદ બદલાઈ જશે ભારતનું ફ્યૂચર..’, ઓપરેશન સિંદુર બાદ સ્વામીનો જૂનો વીડિયો વાયરલ

જ્યારથી ભારતે પહેલગામમાં 22 થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિરુદ્ધ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયાનો ભારતીય પક્ષ ભારતીય સેના માટે હાઇપ ગ્રાઉન્ડ બની ગયો છે. તેને લઈને એક 'ભવિષ્યવાણીનો વીડિયો' ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર બળોએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. ભારતીય સેનાએ મંગળવારે રાત્રે 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાના સમાચાર જેવા જ ચર્ચામાં  આવ્યા, નેટીઝન્સે ઘણી ભવિષ્યવાણીઓ સાથે તેના પર ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું.

Swami1
youtube.com

 

આ બધી ભવિષ્યવાણીઓ વચ્ચે સ્વામી યોગેશ્વરાનંદ ગિરીના 2024ના ઇન્ટરવ્યૂએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં સ્વામી ભારતના ભવિષ્ય પર વાત કરી રહ્યા હતા. છેલ્લા 1000 વર્ષ કઠિન બતાવતા સ્વામીએ દાવો કર્યો કે 30 મે, 2025બાદ ભારતનું ભવિષ્ય બદલાઈ જશે. તેમણે વધુમાં દાવો કર્યો કે ભારત તેના 'સ્વર્ણિમ કાળ'માં પ્રવેશવા માટે પૂરી રીતે તૈયાર છે. સ્વામીએ આ ઇન્ટરવ્યૂ રણવીર અલ્હાબાદિયાને આપ્યું હતું.

પહેલગામના બૈસરન મેદાનમાં થયેલી આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા અને તેની જવાબદારી આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તૈયબાની એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. સ્વામીજીએ યુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'તારાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે જેમ કે મહાભારતનો સમય હોય.' આ સંરેખણ ભારત માટે સોનેરી છે. યુદ્ધ થવું નક્કી છે. ભારત હાવી હશે. છેલ્લા 1000 વર્ષ દેશ માટે મુશ્કેલ રહ્યા.

Swami
youtube.com

 

સ્વામી યોગેશ્વરાનંદે આ વીડિયોમાં આગળ કહ્યું કે, ભારતનું ભવિષ્ય બદલાશે. 30 મે, 2025 બાદ ભારત માટે વસ્તુઓને બદલાતી જોશો. આ વીડિયો યુટ્યુબ પર રણવીર અલ્હાબાદિયાનામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 9 મહિના અગાઉ શેર કરવામાં આવી હતી અને તેને નેટીઝન્સે 3 મિલિયનથી વધુ વખત જોયો છે.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.