‘30 મે 2025 બાદ બદલાઈ જશે ભારતનું ફ્યૂચર..’, ઓપરેશન સિંદુર બાદ સ્વામીનો જૂનો વીડિયો વાયરલ

જ્યારથી ભારતે પહેલગામમાં 22 થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિરુદ્ધ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયાનો ભારતીય પક્ષ ભારતીય સેના માટે હાઇપ ગ્રાઉન્ડ બની ગયો છે. તેને લઈને એક 'ભવિષ્યવાણીનો વીડિયો' ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર બળોએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. ભારતીય સેનાએ મંગળવારે રાત્રે 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાના સમાચાર જેવા જ ચર્ચામાં  આવ્યા, નેટીઝન્સે ઘણી ભવિષ્યવાણીઓ સાથે તેના પર ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું.

Swami1
youtube.com

 

આ બધી ભવિષ્યવાણીઓ વચ્ચે સ્વામી યોગેશ્વરાનંદ ગિરીના 2024ના ઇન્ટરવ્યૂએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં સ્વામી ભારતના ભવિષ્ય પર વાત કરી રહ્યા હતા. છેલ્લા 1000 વર્ષ કઠિન બતાવતા સ્વામીએ દાવો કર્યો કે 30 મે, 2025બાદ ભારતનું ભવિષ્ય બદલાઈ જશે. તેમણે વધુમાં દાવો કર્યો કે ભારત તેના 'સ્વર્ણિમ કાળ'માં પ્રવેશવા માટે પૂરી રીતે તૈયાર છે. સ્વામીએ આ ઇન્ટરવ્યૂ રણવીર અલ્હાબાદિયાને આપ્યું હતું.

પહેલગામના બૈસરન મેદાનમાં થયેલી આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા અને તેની જવાબદારી આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તૈયબાની એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. સ્વામીજીએ યુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'તારાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે જેમ કે મહાભારતનો સમય હોય.' આ સંરેખણ ભારત માટે સોનેરી છે. યુદ્ધ થવું નક્કી છે. ભારત હાવી હશે. છેલ્લા 1000 વર્ષ દેશ માટે મુશ્કેલ રહ્યા.

Swami
youtube.com

 

સ્વામી યોગેશ્વરાનંદે આ વીડિયોમાં આગળ કહ્યું કે, ભારતનું ભવિષ્ય બદલાશે. 30 મે, 2025 બાદ ભારત માટે વસ્તુઓને બદલાતી જોશો. આ વીડિયો યુટ્યુબ પર રણવીર અલ્હાબાદિયાનામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 9 મહિના અગાઉ શેર કરવામાં આવી હતી અને તેને નેટીઝન્સે 3 મિલિયનથી વધુ વખત જોયો છે.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.