વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકાર્યા પછી ગુસ્સામાં પોતાના ગ્લવ્સ અને હેલ્મેટ કેમ ફેંક્યા? વીડિયો વાયરલ

IPL 2026માં રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ ટક્કરનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી સ્પષ્ટપણે ગુસ્સે દેખાઈ રહ્યો છે. કોહલી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ફેંકતો જોવા મળી રહ્યો છે. ચાલો આપણે આ પાછળનું કારણ જાણીએ.

14

કોહલીએ આ મેચમાં 38 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ બીજા જ બોલ પર તે આઉટ થઈ ગયો હતો. કોહલીએ હાર્દિક પંડ્યાના ફુલ-ટોસ બોલ પર એરિયલ શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ટાઈમિંગ સારી નહોતી. શૉટ દરમિયાન તેના હાથમાં બેટ ફરી ગયું, અને બોલ સીધો લોંગ-ઓન પર ઊભા સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો.

ગુસ્સામાં દેખાયો કિંગ કોહલી

આઉટ થયા બાદ, કોહલી સ્પષ્ટપણે નિરાશ દેખાઈ રહ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ ફેંકી દીધા અને પછી પોતાનું હેલ્મેટ જમીન પર ફેંકી દીધું. આ પ્રતિક્રિયા સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની ઇનિંગને વધુ લાંબી બનાવવા માંગતો હતો અને તેના જલદી આઉટ થવાથી તે ખૂબ જ હતાશ હતો.

આ મેચમાં, મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, RCBના બેટ્સમેનોએ આ નિર્ણય ખોટો સાબિત કર્યો. કોહલી અને સોલ્ટે પહેલા જ બોલથી વિસ્ફોટક શૉટ ફટકાર્યા. સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન બનાવ્યા. પરંતુ વાસ્તવિક આતશબાજી તેની વિકેટ પડ્યા પછી શરૂ થઈ.

15

સોલ્ટના આઉટ થયા બાદ, રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યો. તેણે માત્ર 20 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ, ટિમ ડેવિડે 16 બોલમાં 34 રન બનાવ્યા, જેનાથી RCB 240 રનનો જબરદસ્ત સ્કોર બનાવવામાં સફળ રહી. કોહલીએ આ મેચમાં ફિફ્ટી ફટકારી હોવા છતા તે મોટા શોટ મારવા માટે સંઘર્ષ કરતો દેખાયો. દરમિયાન, મુંબઈ માટે, ટ્રેન્ટ બોલ્ટ સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા. આ મેચમાં પણ બુમરાહ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. જોકે, તેણે ફક્ત 35 રન આપ્યા. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઇને આ મેચમાં 18 રનથી હારનો સામનો કરવો પડ્યો. મુંબઇએ શરૂઆત તો સારી કરી હતી પરંતુ સમય-સમય પર વિકેટ પડતી રહી. જેને કારણે મુંબઇએ આ મેચ પણ ગુમાવવી પડી.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.