‘મોદીનું નામ લેતા પણ ડરે છે..’, પાકિસ્તાની સાંસદે જ શાહબાજ શરીફને કહી દીધો કાયર, જુઓ વીડિયો

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે, જે હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ત્યારબાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. એરસ્ટ્રાઈક બાદ, પાકિસ્તાને 2 વખત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે અને દરેક વખતે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેના મંશા પર પાણી ફેરવી દીધું. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે.

Missiles
ndtv.com

ગુરુવારે રાત્રે, પાકિસ્તાને સરહદ નજીક ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે અને પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાના જ દેશમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે.

પાકિસ્તાની સાંસદ શાહીદ અહમદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાકિસ્તાન સરકાર અને શાહબાઝ શરીફને આડેહાથ લઈ રહ્યા છે. વીડિયોમાં શાહીદ અહમદ વડાપ્રધાન શાહબાઝને કાયર કહી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણા વડાપ્રધાન એટલા કાયર છે કે તેઓ નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ શકતા નથી. કોઈ દેશના નેતા કાયર હોય તો ત્યાંની સેના ક્યારેય યુદ્ધ જીતી શકતી નથી.

Missiles
ndtv.com

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે,'જ્યારે કોઈ પાકિસ્તાની સાંસદ પોતાના વડાપ્રધાનને કાયર કહે છે અને સ્વીકાર કરે છે કે તેઓ મોદીનું નામ લેતા ડરે છે, તો તે પોતાની જાતમાં જ બધી કહાની રજૂ કરે છે. તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે અને સરકાર દિશાહીન છે. ભારતના નિર્ણાયક વલણથી પાકિસ્તાનની નાકમાં દમ કરી દીધો છે.

Blackout2
facebook.com

તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને ફાઇટર જેટ દ્વારા ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પહેલાથી જ સતર્ક ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને ન માત્ર દરેક નિષ્ફળ કરી દીધા, પરંતુ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની શહેરોમાં ડ્રોન એટેક કરી દીધો. આ હુમલાઓમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતીય સેનાએ લાહોરમાં ડ્રોન હુમલો કરીને પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે.

About The Author

Top News

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.