અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...

(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં જ્યારે પાટીદાર સમાજને મજબૂત, સંગઠિત અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની જરૂર છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલને ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ખોડલધામ કન્વીનર મીટ-2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો જેથી આખા સમાજમાં નવી ઉર્જા, આશા અને ઉત્સાહનો સંચાર થયેલો જણાય છે.

03

અનારબેન પટેલનું નામ માત્ર એક પરિવાર સાથે જોડાયેલું નથી પરંતુ તેમની પોતાની સેવાભાવના, મહિલા સશક્તિકરણ પ્રત્યેનું સમર્પણ અને સમાજસેવાના ક્ષેત્રે કરેલા યોગદાનથી પરિચિત છે. ખોડલધામ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી તરીકે અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. હવે સંગઠનની જવાબદારી તેમના ખભે આવી છે એક એવી જવાબદારી જે પાટીદાર સમાજના કરોડો ભક્તો અને અનુયાયીઓમાં નવી ચેતનાનો સંચાર કરશે. 

આ નિમણૂકનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે ગામડે ગામડે પ્રત્યેક પરિવાર સુધી અને શહેરોમાં સોસાયટીમાં રહેલા દરેક પરિવાર સુધી ખોડલધામ સંગઠનની રચના મજબૂત કરવી. અપેક્ષિત છે કે અનારબેનના નેતૃત્વમાં સંગઠનનું લક્ષ્ય માત્ર મંદિર કે ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત ન રહે પરંતુ દરેક ઘરમાં મા ખોડલના આશીર્વાદ અને સેવાની ભાવના પહોંચે. ગામડાંઓમાં ગ્રામ્ય કન્વીનર્સ દ્વારા નવી શાખાઓ, યુવા મંડળો અને મહિલા સમિતિઓનું વિસ્તરણ કરીને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. શહેરી વિસ્તારોમાં સોસાયટી સ્તરે સંગઠનની રચના કરીને યુવાનોને જોડવા, તેમને સેવા, સંસ્કાર અને સમાજસુધારણાના કાર્યમાં સક્રિય કરવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાની આશા છે. 

02

આ નિમણૂક માત્ર એક હોદ્દો નથી પરંતુ એક સંદેશો છે બહેન દીકરીઓને આગળ લાવવાનો, યુવાનોને જવાબદારી સોંપવાનો અને પરંપરાગત મૂલ્યોને આધુનિક સમય સાથે જોડવાનો. ખોડલધામ જે માં ખોડલના આશીર્વાદથી લાખો લોકોનું જીવન બદલી રહ્યું છે તેનું નેતૃત્વ હવે એક એવી મહિલાના હાથમાં છે જે સેવા, સમર્પણનું જીવંત ઉદાહરણ છે. તેમની આગેવાની હેઠળ ખોડલધામના પ્રત્યેક ઝોનના કન્વીનર્સ સીધા તેમની સાથે જોડાશે, જેનાથી સંગઠન વધુ સક્રિય, વધુ વ્યાપક અને વધુ અસરકારક બનશે.

અનારબેનની આ નિમણૂક દરેકને પ્રેરણા આપે છે કે જો હૃદયમાં ભક્તિ હોય, મનમાં સેવાભાવ હોય અને કાર્યમાં નિષ્ઠા હોય તો કોઈ પણ ઊંચાઈ અશક્ય નથી. તેમના માતા ના જીવન સંઘર્ષ અને સફળતાના માર્ગે ચાલીને તેઓ પણ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યાં છે. આજે જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતાની વાતો થાય છે ત્યારે અનારબેન જેવું નેતૃત્વ એકતા, સશક્તિકરણ અને સેવાનો માર્ગ બતાવે છે. 

અનારબેન પટેલના નેતૃત્વમાં ખોડલધામ વધુ ઊંચાઈઓ સર કરશે, ગામડે-ગામડે અને સોસાયટી-સોસાયટીમાં નવચેતના લાવશે, યુવાધનને એક કરશે અને ગુજરાતના સમાજને નવી દિશા આપશે એવી નવી આશા અને અપેક્ષા જાગી છે ત્યારે આ નિયુક્તિ દરેક ભક્તના હૃદયમાં ઉમળશે અને નવી પેઢીને કહેશે ... "સપનાં જો, મહેનત કર અને સેવાની ભાવના સાથે માના આશીર્વાદ સાથે આગળ વધ!"

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.