અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...

(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં જ્યારે પાટીદાર સમાજને મજબૂત, સંગઠિત અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની જરૂર છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલને ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ખોડલધામ કન્વીનર મીટ-2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો જેથી આખા સમાજમાં નવી ઉર્જા, આશા અને ઉત્સાહનો સંચાર થયેલો જણાય છે.

03

અનારબેન પટેલનું નામ માત્ર એક પરિવાર સાથે જોડાયેલું નથી પરંતુ તેમની પોતાની સેવાભાવના, મહિલા સશક્તિકરણ પ્રત્યેનું સમર્પણ અને સમાજસેવાના ક્ષેત્રે કરેલા યોગદાનથી પરિચિત છે. ખોડલધામ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી તરીકે અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. હવે સંગઠનની જવાબદારી તેમના ખભે આવી છે એક એવી જવાબદારી જે પાટીદાર સમાજના કરોડો ભક્તો અને અનુયાયીઓમાં નવી ચેતનાનો સંચાર કરશે. 

આ નિમણૂકનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે ગામડે ગામડે પ્રત્યેક પરિવાર સુધી અને શહેરોમાં સોસાયટીમાં રહેલા દરેક પરિવાર સુધી ખોડલધામ સંગઠનની રચના મજબૂત કરવી. અપેક્ષિત છે કે અનારબેનના નેતૃત્વમાં સંગઠનનું લક્ષ્ય માત્ર મંદિર કે ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત ન રહે પરંતુ દરેક ઘરમાં મા ખોડલના આશીર્વાદ અને સેવાની ભાવના પહોંચે. ગામડાંઓમાં ગ્રામ્ય કન્વીનર્સ દ્વારા નવી શાખાઓ, યુવા મંડળો અને મહિલા સમિતિઓનું વિસ્તરણ કરીને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. શહેરી વિસ્તારોમાં સોસાયટી સ્તરે સંગઠનની રચના કરીને યુવાનોને જોડવા, તેમને સેવા, સંસ્કાર અને સમાજસુધારણાના કાર્યમાં સક્રિય કરવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાની આશા છે. 

02

આ નિમણૂક માત્ર એક હોદ્દો નથી પરંતુ એક સંદેશો છે બહેન દીકરીઓને આગળ લાવવાનો, યુવાનોને જવાબદારી સોંપવાનો અને પરંપરાગત મૂલ્યોને આધુનિક સમય સાથે જોડવાનો. ખોડલધામ જે માં ખોડલના આશીર્વાદથી લાખો લોકોનું જીવન બદલી રહ્યું છે તેનું નેતૃત્વ હવે એક એવી મહિલાના હાથમાં છે જે સેવા, સમર્પણનું જીવંત ઉદાહરણ છે. તેમની આગેવાની હેઠળ ખોડલધામના પ્રત્યેક ઝોનના કન્વીનર્સ સીધા તેમની સાથે જોડાશે, જેનાથી સંગઠન વધુ સક્રિય, વધુ વ્યાપક અને વધુ અસરકારક બનશે.

અનારબેનની આ નિમણૂક દરેકને પ્રેરણા આપે છે કે જો હૃદયમાં ભક્તિ હોય, મનમાં સેવાભાવ હોય અને કાર્યમાં નિષ્ઠા હોય તો કોઈ પણ ઊંચાઈ અશક્ય નથી. તેમના માતા ના જીવન સંઘર્ષ અને સફળતાના માર્ગે ચાલીને તેઓ પણ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યાં છે. આજે જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતાની વાતો થાય છે ત્યારે અનારબેન જેવું નેતૃત્વ એકતા, સશક્તિકરણ અને સેવાનો માર્ગ બતાવે છે. 

અનારબેન પટેલના નેતૃત્વમાં ખોડલધામ વધુ ઊંચાઈઓ સર કરશે, ગામડે-ગામડે અને સોસાયટી-સોસાયટીમાં નવચેતના લાવશે, યુવાધનને એક કરશે અને ગુજરાતના સમાજને નવી દિશા આપશે એવી નવી આશા અને અપેક્ષા જાગી છે ત્યારે આ નિયુક્તિ દરેક ભક્તના હૃદયમાં ઉમળશે અને નવી પેઢીને કહેશે ... "સપનાં જો, મહેનત કર અને સેવાની ભાવના સાથે માના આશીર્વાદ સાથે આગળ વધ!"

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.