અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...

(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં જ્યારે પાટીદાર સમાજને મજબૂત, સંગઠિત અને મૂલ્યો પર આધારિત નેતૃત્વની જરૂર છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલને ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ખોડલધામ કન્વીનર મીટ-2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો જેથી આખા સમાજમાં નવી ઉર્જા, આશા અને ઉત્સાહનો સંચાર થયેલો જણાય છે.

03

અનારબેન પટેલનું નામ માત્ર એક પરિવાર સાથે જોડાયેલું નથી પરંતુ તેમની પોતાની સેવાભાવના, મહિલા સશક્તિકરણ પ્રત્યેનું સમર્પણ અને સમાજસેવાના ક્ષેત્રે કરેલા યોગદાનથી પરિચિત છે. ખોડલધામ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી તરીકે અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. હવે સંગઠનની જવાબદારી તેમના ખભે આવી છે એક એવી જવાબદારી જે પાટીદાર સમાજના કરોડો ભક્તો અને અનુયાયીઓમાં નવી ચેતનાનો સંચાર કરશે. 

આ નિમણૂકનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે ગામડે ગામડે પ્રત્યેક પરિવાર સુધી અને શહેરોમાં સોસાયટીમાં રહેલા દરેક પરિવાર સુધી ખોડલધામ સંગઠનની રચના મજબૂત કરવી. અપેક્ષિત છે કે અનારબેનના નેતૃત્વમાં સંગઠનનું લક્ષ્ય માત્ર મંદિર કે ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત ન રહે પરંતુ દરેક ઘરમાં મા ખોડલના આશીર્વાદ અને સેવાની ભાવના પહોંચે. ગામડાંઓમાં ગ્રામ્ય કન્વીનર્સ દ્વારા નવી શાખાઓ, યુવા મંડળો અને મહિલા સમિતિઓનું વિસ્તરણ કરીને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. શહેરી વિસ્તારોમાં સોસાયટી સ્તરે સંગઠનની રચના કરીને યુવાનોને જોડવા, તેમને સેવા, સંસ્કાર અને સમાજસુધારણાના કાર્યમાં સક્રિય કરવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાની આશા છે. 

02

આ નિમણૂક માત્ર એક હોદ્દો નથી પરંતુ એક સંદેશો છે બહેન દીકરીઓને આગળ લાવવાનો, યુવાનોને જવાબદારી સોંપવાનો અને પરંપરાગત મૂલ્યોને આધુનિક સમય સાથે જોડવાનો. ખોડલધામ જે માં ખોડલના આશીર્વાદથી લાખો લોકોનું જીવન બદલી રહ્યું છે તેનું નેતૃત્વ હવે એક એવી મહિલાના હાથમાં છે જે સેવા, સમર્પણનું જીવંત ઉદાહરણ છે. તેમની આગેવાની હેઠળ ખોડલધામના પ્રત્યેક ઝોનના કન્વીનર્સ સીધા તેમની સાથે જોડાશે, જેનાથી સંગઠન વધુ સક્રિય, વધુ વ્યાપક અને વધુ અસરકારક બનશે.

અનારબેનની આ નિમણૂક દરેકને પ્રેરણા આપે છે કે જો હૃદયમાં ભક્તિ હોય, મનમાં સેવાભાવ હોય અને કાર્યમાં નિષ્ઠા હોય તો કોઈ પણ ઊંચાઈ અશક્ય નથી. તેમના માતા ના જીવન સંઘર્ષ અને સફળતાના માર્ગે ચાલીને તેઓ પણ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યાં છે. આજે જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતાની વાતો થાય છે ત્યારે અનારબેન જેવું નેતૃત્વ એકતા, સશક્તિકરણ અને સેવાનો માર્ગ બતાવે છે. 

અનારબેન પટેલના નેતૃત્વમાં ખોડલધામ વધુ ઊંચાઈઓ સર કરશે, ગામડે-ગામડે અને સોસાયટી-સોસાયટીમાં નવચેતના લાવશે, યુવાધનને એક કરશે અને ગુજરાતના સમાજને નવી દિશા આપશે એવી નવી આશા અને અપેક્ષા જાગી છે ત્યારે આ નિયુક્તિ દરેક ભક્તના હૃદયમાં ઉમળશે અને નવી પેઢીને કહેશે ... "સપનાં જો, મહેનત કર અને સેવાની ભાવના સાથે માના આશીર્વાદ સાથે આગળ વધ!"

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.