ગુજરાતમાં મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર: એક ગંભીર ચિંતાનો વિષય

આપણા ગુજરાતને વિકાસનું મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. ભાજપની સરકાર વર્ષોથી સત્તામાં છે અને તે ભ્રષ્ટાચાર વિરોધી જાહેરાતો કરીને પોતાની છબી અંગે સ્પષ્ટતા કરતી રહે છે પરંતુ વાસ્તવિકતા  વિપરીત છે. રાજ્યના મહત્વના વિભાગોમાં ભ્રષ્ટાચારનું જાળું ફેલાયેલું છે અને તેમાં મહેસૂલ વિભાગનું નામ સૌથી આગળ આવે છે. જમીનના રેકોર્ડ, નોન-એગ્રીકલ્ચરલ પરવાનગીઓ, માલિકી હકની એન્ટ્રીઝ અને જમીન વહેંચણી જેવા કામોમાં લાંચલૂંચ અને અનિયમિતતાઓના આરોપો સતત સામે આવે છે. આ ભ્રષ્ટાચાર માત્ર વહીવટી અવરોધ નથી પરંતુ તે સામાન્ય નાગરિકોના હક્કોનું હનન કરે છે અને રાજ્યના વિકાસને ખોખલો બનાવે છે.

03

તાજેતરના વર્ષોમાં એન્ટીકરપ્શન બ્યુરો (ACB) અને વિજિલન્સ કમિશનના આંકડાઓ આ ચિંતાને વધુ ગંભીર બનાવે છે. ૨૦૨૩માં ગૃહ વિભાગ પછી પંચાયત અને મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી મામલતદારની ધરપકડ થઈ જેમના ઉપર લાંચ અને મની લોન્ડરિંગના આરોપ લાગ્યા. આવા કિસ્સા નવા નથી. વર્ષોથી મહેસૂલ વિભાગમાં જમીનની ફાળવણી, અતિક્રમણોના નિયમિતીકરણ અને રેકોર્ડમાં ફેરફાર માટે લાંચની ફરિયાદો સામે આવતી રહી છે. વિજિલન્સ કમિશનના અહેવાલ મુજબ શહેરી વિકાસ પછી મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ફરિયાદો આવે છે. આ ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ વિભાગની વ્યાપક સત્તા છે. જમીન એ ગુજરાતના અર્થતંત્રનો આધાર છે અને તેના નિયંત્રણમાં અધિકારીઓની મનમાની ચાલે છે એ એક કડવું સત્ય છે. 

સરકારની ભ્રષ્ટાચાર વિરોધી જાહેરાતો હવામાં રહી જાય છે જ્યારે વાસ્તવમાં કાર્યવાહી નબળી દેખાય છે. ડિજિટલાઇઝેશન જેવા પગલાં જેમ કે iORA પ્લેટફોર્મ અને e-ધરા લાવવામાં આવ્યા છે જે પારદર્શિતા વધારવાના દાવા કરે છે પરંતુ આ પગલાં કેટલા અસરકારક છે? ડિજિટલ પ્રક્રિયાઓ હોવા છતાં લાંચના કિસ્સા ઘટ્યા નથી. શા માટે અધિકારીઓની જવાબદારી નક્કી થતી નથી? શા માટે મોટા કૌભાંડોમાં ઉચ્ચ અધિકારીઓને સજા થતી નથી? સરકારની પારદર્શિતા પર મોટો સવાલ ઉભો થાય છે કે જ્યારે ACB અને વિજિલન્સના અહેવાલો જાહેર થાય છે ત્યારે તેના પર કાર્યવાહી કેમ મર્યાદિત રહે છે? શું આ જાહેરાતો માત્ર રાજકીય લાભ માટે છે?

02

આ ભ્રષ્ટાચારની અસર સામાન્ય ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગ પર પડે છે. જમીનના હક્ક માટે વર્ષો સુધી દોડધામ કરવી પડે છે અને લાંચ વગર કામ થતું નથી. આનાથી વિકાસની વાતો ખોખલી લાગે છે. ગુજરાતને સાચા અર્થમાં ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે માત્ર જાહેરાતો નહીં પરંતુ કડક કાર્યવાહી, સ્વતંત્ર તપાસ અને વાસ્તવિક પારદર્શિતાની જરૂરી છે. સરકારે પોતાની જવાબદારી સ્વીકારીને આ વિભાગમાં મૂળભૂત સુધારા કરવા જોઈએ નહીં તો વિકાસનું મોડેલ માત્ર દેખાડો બની રહેશે અને સરકાર માટે મતદારોમાં વિશ્વસનીયતા ઘટશે.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.