RJDના વિરોધથી નારાજ થયા બાબા બાગેશ્વર

પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બુધવારે બિહારના ગોપાલગંજ પહોંચ્યા, જ્યાં તેમના પ્રવચન દરમિયાન તેમણે ફરી એકવાર હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો.  ત્યાં કથા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષના પ્રચારક નથી, પરંતુ હિંદુત્વના પ્રચારક છે અને તેમના જીવનની દરેક ક્ષણ હિંદુઓના ઉત્થાન માટે સમર્પિત કરશે.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી પ્રાણ રહેશે, ત્યાં સુધી હિંદુઓ માટે જીવીશું અને હિંદુઓ માટે જ મરીશું, હું આ દેશના હિંદુઓને જાગૃત કરવા આવ્યો છું.'  તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમોને કોઈપણ દેશમાંથી બહાર કાઢવામાં આવે તો દુનિયામાં 65 મુસ્લિમ દેશો છે જે તેમનું સ્વાગત કરશે, પરંતુ જો હિંદુઓને ફિજી, સુરીનામ, પાકિસ્તાન, ભારત, નેપાળ કે મોરેશિયસમાંથી બહાર કાઢવામાં આવશે તો તેમની પાસે જવા માટે કોઈ જગ્યા રહેશે નહીં.

baba-bageshwar

 બાબા બાગેશ્વરે બિહારમાં તેમના આગમન પર આરજેડીના વિરોધ પર પણ પ્રતિક્રિયા આપી હતી.  તેમણે કહ્યું કે તેમને બિહાર આવવાથી જેટલા રોકવામાં આવશે તેઓ તેટલી જ વધું કથા કરશે.  તેમણે ત્યાં સુધી કહ્યું કે જો તેમને ગોપાલગંજ આવવાથી રોકવામાં આવશે તો તે ત્યાં જ  ઘર બનાવીને રહેવા લાગશે.

પોતાના નિવેદનમાં તેમણે ચેતવણીના શબ્દોમાં કહ્યું કે, 'જો તમે અમને રોકશો અને અમે મરી જઈશું તો અમે ફરી બિહારમાં જ જન્મ લઈશું.  છેડશો તો અમે તમને છોડીશું નહીં.  બાબા બાગેશ્વરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે.  તેમના સમર્થકો તેમને હિંદુત્વ જાગૃતિ સાથે જોડી રહ્યા છે, તો ઘણા વિરોધીઓ તેને વિભાજનકારી નિવેદન ગણાવી રહ્યા છે.  આ પહેલા પણ બિહારમાં તેમના કાર્યક્રમોને લઈને વિવાદ થયો હતો, પરંતુ દર વખતે તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં કથા સાંભળવા આવે છે.

baba-bageshwar3

બિહારમાં ચાલું રહેશે કથાના કાર્યક્રમોઃ બાબા બાગેશ્વર

 બાબા બાગેશ્વરે સ્પષ્ટ કર્યું કે તેઓ બિહારમાં તેમની કથાઓ ચાલુ રાખશે અને કોઈપણ વિરોધથી ડરતા નથી.  તેમના મતે, હિંદુઓએ તેમની આસ્થાની રક્ષા માટે સંગઠિત અને સજાગ રહેવાની જરૂર છે.  તેમના નિવેદન બાદ ફરી એકવાર હિન્દુત્વ અને ધર્મને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે.

Related Posts

Top News

અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ વિશે મીડિયામાં ખાસ્સી ચર્ચા થતી નથી, કારણકે જય અનમોલ હંમેશા...
Business 
અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
Business 
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AIને કારણે ફક્ત...
Tech and Auto 
આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-06-2025 દિવસ: બુધવાર મેષ:  તમે દિવસનો થોડો સમય માતા-પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારા પરિવારના સભ્યોને પિકનિક પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.