RJDના વિરોધથી નારાજ થયા બાબા બાગેશ્વર

પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બુધવારે બિહારના ગોપાલગંજ પહોંચ્યા, જ્યાં તેમના પ્રવચન દરમિયાન તેમણે ફરી એકવાર હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો.  ત્યાં કથા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષના પ્રચારક નથી, પરંતુ હિંદુત્વના પ્રચારક છે અને તેમના જીવનની દરેક ક્ષણ હિંદુઓના ઉત્થાન માટે સમર્પિત કરશે.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી પ્રાણ રહેશે, ત્યાં સુધી હિંદુઓ માટે જીવીશું અને હિંદુઓ માટે જ મરીશું, હું આ દેશના હિંદુઓને જાગૃત કરવા આવ્યો છું.'  તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમોને કોઈપણ દેશમાંથી બહાર કાઢવામાં આવે તો દુનિયામાં 65 મુસ્લિમ દેશો છે જે તેમનું સ્વાગત કરશે, પરંતુ જો હિંદુઓને ફિજી, સુરીનામ, પાકિસ્તાન, ભારત, નેપાળ કે મોરેશિયસમાંથી બહાર કાઢવામાં આવશે તો તેમની પાસે જવા માટે કોઈ જગ્યા રહેશે નહીં.

baba-bageshwar

 બાબા બાગેશ્વરે બિહારમાં તેમના આગમન પર આરજેડીના વિરોધ પર પણ પ્રતિક્રિયા આપી હતી.  તેમણે કહ્યું કે તેમને બિહાર આવવાથી જેટલા રોકવામાં આવશે તેઓ તેટલી જ વધું કથા કરશે.  તેમણે ત્યાં સુધી કહ્યું કે જો તેમને ગોપાલગંજ આવવાથી રોકવામાં આવશે તો તે ત્યાં જ  ઘર બનાવીને રહેવા લાગશે.

પોતાના નિવેદનમાં તેમણે ચેતવણીના શબ્દોમાં કહ્યું કે, 'જો તમે અમને રોકશો અને અમે મરી જઈશું તો અમે ફરી બિહારમાં જ જન્મ લઈશું.  છેડશો તો અમે તમને છોડીશું નહીં.  બાબા બાગેશ્વરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે.  તેમના સમર્થકો તેમને હિંદુત્વ જાગૃતિ સાથે જોડી રહ્યા છે, તો ઘણા વિરોધીઓ તેને વિભાજનકારી નિવેદન ગણાવી રહ્યા છે.  આ પહેલા પણ બિહારમાં તેમના કાર્યક્રમોને લઈને વિવાદ થયો હતો, પરંતુ દર વખતે તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં કથા સાંભળવા આવે છે.

baba-bageshwar3

બિહારમાં ચાલું રહેશે કથાના કાર્યક્રમોઃ બાબા બાગેશ્વર

 બાબા બાગેશ્વરે સ્પષ્ટ કર્યું કે તેઓ બિહારમાં તેમની કથાઓ ચાલુ રાખશે અને કોઈપણ વિરોધથી ડરતા નથી.  તેમના મતે, હિંદુઓએ તેમની આસ્થાની રક્ષા માટે સંગઠિત અને સજાગ રહેવાની જરૂર છે.  તેમના નિવેદન બાદ ફરી એકવાર હિન્દુત્વ અને ધર્મને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે.

About The Author

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.