ગુજરાતમાં 'આપ'ના વધતા જનસમર્થનથી ભાજપ ફફડી ઉઠ્યું છે, અમારા કાર્યકરોની ધરપકડ કરાવાય છે: કેજરીવાલ

ગુજરાતના દાહોદમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા' માં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં 'આપ'ને મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ગભરાઈ ગયું છે અને ગભરાટમાં આવીને રોજ અમારા કાર્યકરોની ધરપકડ કરાવી રહ્યું છે.

કેજરીવાલે ભાજપ સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા હોવા છતાં ભાજપે જનતાને સારી શાળાઓ કે હોસ્પિટલો આપી નથી. તેમની દાનત જ ખરાબ છે, એટલે જ ખેડૂતોને ખેતી માટે પાણી કે વીજળી મળી નથી. હવે જ્યારે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપ ડરીને દમનકારી નીતિઓ અપનાવી રહ્યું છે.

15

કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર બનશે તો વીજળી મફત આપવામાં આવશે. મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય અપાશે.

રેલીમાં કેજરીવાલે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણના નાણાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મળીને ખાઈ જાય છે. મનરેગા કૌભાંડનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે અમારા ધારાસભ્યએ મજૂરોના હક માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ સિક્કાની બે બાજુ છે. તેમણે જનતાને ચેતવણી આપતા કહ્યું કે કોંગ્રેસને વોટ આપવો એટલે ભાજપને ફાયદો કરાવવો, કારણ કે ચૂંટણી પછી તેમના ધારાસભ્યો પાલો બદલી લે છે. માને પંજાબનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં હવે ખેડૂતોને મફત વીજળી અને નહેરનું પાણી મળી રહ્યું છે, તેવી જ સુખ-સુવિધાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે.

About The Author

Related Posts

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.