ભાજપના ધારાસભ્ય જન્મેજય સિંહનું હાર્ટ એટેકથી નિધન

ઉત્તર પ્રદેશમાં દેવરિયાથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહનું ગત રાત્રે હાર્ટ એટેકના કરણે 75 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. અત્યારસુધીમાં મળેલી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આશરે 12.30 વાગ્યે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. જન્મેજય સિંહના ગુજરાતી દેવી સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ દીકરા અને ચાર દીકરીઓ છે. તેમણે ચંદ્રશેખર આઝાદ ઈન્ટર કોલેજ, દેવરિયામાંથી હાઈસ્કૂલની ડિગ્રી મેળવી હતી. જન્મેજય સિંહની રાત્રે લખનૌ સ્થિત આવાસ પર તબિયત ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડૉક્ટરોએ તેમને લોહિયા હોસ્પિટલમાં રેફર કરી દીધા. લોહિયા હોસ્પિટલના પ્રવક્તા અને એમએસ ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, પેસ મેકર લગાવવા દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં તેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જન્મેજય સિંહ બેવાર ધારાસભ્ય રહ્યા છે. 2012થી તેમણે BJPના સભ્ય તરીકે દેવરિયા નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીની 16મી વિધાનસભાના પહેલા કાર્યકાળમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્રમોદ સિંહને 23295 વોટના અંતરથી હરાવ્યા હતા. જન્મેજય સિંહે 2017ના વર્ષમાં પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જે. પી. જયસ્વાલને 46236 વોટોના અંતરથી હરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે BJP ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જન્મેજય સિંહના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને શોક થયો. સિંહના નિધનથી પાર્ટીએ એક સમર્પિત કાર્યકર્તા અને જનતાએ પોતાના સાચા હિતૈષીને ગુમાવ્યા છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે, તેમની આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જન્મેજય સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપા પ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા સીટ પરથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહજીનું નિધન અત્યંત દુઃખદ! દિવંગત આત્માને શાંતિ તેમજ શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન.

જન્મેજય સિંહના નિધનના સમાચાર મળતા જ તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારની સવારથી જ મોટી સંખ્યામાં BJP કાર્યકર્તા અને સમર્થક તેમના આવાસ પર પહોંચી ગયા. લોકો સોશિયલ મીડિયા પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. થોડીવાર પહેલા ધારાસભ્યનો પાર્થિવ દેહ દેવરિયા સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યો. જ્યાં તેમના સમર્થકો અને શુભચિંતકોની ભારે ભીડ છે.

About The Author

Related Posts

Top News

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પેટ્રોલ અને LPGની અછત વર્તાઈ...
World 
ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી...
National 
જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ભારત સરકારે દેશમાં ઈંધણની સ્થિતિને લઈને તમામ માહિતી શેર કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકાર...
National 
29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી...
Gujarat 
ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.