ભાજપનો ચૂંટણી પ્રચાર જોવા 7 દેશના રાજદ્વારી બિહારમાં, આરામાં નજીકથી જોઈ PM મોદીની રેલી

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. બધા પક્ષો ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન જાપાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ભૂતાન અને દક્ષિણ આફ્રિકાના રાજદ્વારી પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની પ્રત્યક્ષ સમજ મેળવવા માટે બિહારની 2 દિવસની મુલાકાતે છે. ભારતમાં આ પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપી હતી અને પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

PM-Modi.jpg-3
scmp.com

ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, ‘પ્રતિનિધિમંડળે આરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર રેલીમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વ્યાપક ભાગીદારી અને ઉર્જા જોઈ. રવિવારથી શરૂ થયેલી તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન, રાજદ્વારીઓએ ભાજપના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન અને વિનોદ તાવડે સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી.

જમીની સ્તર પર ડોર-ટુ-ડોર પ્રચાર ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, ‘બાદમાં, તેમણે પટનામાં ભાજપ રાજ્ય મુખ્યાલયની મુલાકાત લીધી અને પાર્ટીના સંગઠન, સંચાર રણનીતિ અને ચૂંટણી વ્યવસ્થાપન પ્રણાલીને સમજવા માટે વરિષ્ઠ રાજ્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી.

PM-Modi.jpg-2
indiatvnews.com

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચૂંટણીઓ 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે, જેની મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.