જો NOTAમાં સૌથી વધુ મત આવે તો કોણ જીતે? જાણો ચૂંટણી પંચના નિયમો

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં છે, પરંતુ મતદાનના દિવસે, EVMમાં ઉમેદવારનું નામ અને પક્ષના પ્રતિક ચિહ્ન સાથે એક વિકલ્પ NOTA (ઉપરોક્તમાંથી કોઈ નહીં) હોય છે. NOTA વિશે લોકોમાં ઘણી ઉત્સુકતા છે, ખાસ કરીને ત્યારે શું થશે જો NOTAને કોઈ મતવિસ્તારના બધા ઉમેદવારો કરતા વધુ મત મળે? શું તે મતવિસ્તારમાં કોઈ MLA નહીં હોય? જો NOTAને કોઈ મતવિસ્તારના બધા ઉમેદવારો કરતા વધુ મત મળે તો તેના કાનૂની પરિણામો શું હશે? શું તે મતવિસ્તારના બધા ઉમેદવારો હારી જશે? કે ફરીથી ચૂંટણી થશે?

NOTA શું છે?

NOTAને ભારતીય ચૂંટણીઓમાં સૌપ્રથમ વખત 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ પર રજૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ મતદારોને રાજકીય પક્ષોને પ્રામાણિક ઉમેદવારોને રાઇટ ટૂ રિજેક્ટની તક આપવાનો અને રાજકીય પક્ષોને પ્રામાણિક ઉમેદવારો ઉભા રાખવા દબાણ કરવાનો છે. આ પ્રતિકના રૂપમાં બેલેટ પેપર પર કાળો ક્રોસ હોય છે.

જો NOTA જીતે તો શું થશે?

ઘણા લોકો માને છે કે જો NOTA જીતે તો ચૂંટણી રદ થઈ જાય છે; પરંતુ, વર્તમાન કાયદાકીય માળખા હેઠળ પરિસ્થિતિ થોડી અલગ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અનુસાર હાલમાં, ભારતમાં NOTAને કાલ્પનિક ઉમેદવાર માનવામાં આવે છે. જો NOTAને 100,000 મત મળે અને બીજા સ્થાને રહેનાર ઉમેદવારને 50,000 મત મળે, તો 50,000 મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.

NOTA
thehindu.com

આવું કેમ છે?

કાયદો કહે છે કે NOTA તમારા કે મારા જેવો વ્યક્તિ નથી. તે ફક્ત મતદાનનો વિકલ્પ છે. એટલે, સૌથી વધુ માન્ય મત મેળવનાર ઉમેદવાર MLA બનશે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને કાનૂની વિવાદ

તો NOTAને મતદાન કરવાનો શું ફાયદો? અહી PUCL વિરુદ્ધ ભારત સંઘ (2013) કેસનો સંદર્ભ આવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NOTA મતદાતાઓની ભાવના વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. જો કે, તાજેતરના વર્ષોમાં મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા કેટલાક રાજ્યોના રાજ્ય ચૂંટણી પંચોએ સ્થાનિક ચૂંટણીઓ (પંચાયત અથવા નગરપાલિકા) માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ત્યાં, જો NOTA જીતે છે, તો ફરીથી ચૂંટણીનો આદેશ આપવામાં આવે છે. જોકે, વિધાનસભા કે લોકસભા ચૂંટણીના કિસ્સામાં કેન્દ્રીય ચૂંટણી પંચ હજુ પણ જૂના નિયમોનું પાલન કરે છે એટલે કે, જો NOTA જીતે તો પણ, બીજા ક્રમે આવનાર ઉમેદવાર વિજેતા બને છે.

NOTA
newsonair.gov.in

શું NOTAનો નિયમ બદલાશે? ઉઠી રહી છે આ માંગ

હાલમાં, અલગ-અલગ જગ્યાઓ પરથી માંગણીઓ કરવામાં આવી રહી છે કે, જો NOTA જીતે છે, તો તે મતવિસ્તારમાં ચૂંટણી રદ કરવી જોઈએ. અગાઉના ઉમેદવારોને ફરીથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પશ્ચિમ બંગાળમાં વર્તમાન નિયમો અનુસાર, જો NOTA પ્રતિકાત્મક રીતે જીતે છે, તો પણ તેની સરકારની રચના અથવા ઉમેદવારની પસંદગી પર કોઈ સીધી અસર થતી નથી. જો કે, આ રાજકીય પક્ષો માટે એક મજબૂત સંદેશ છે. તમારો મત તમારો અધિકાર છે, તેથી સમજદારીપૂર્વક મતદાન કરો.

About The Author

Related Posts

Top News

LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો, જાણો કોણ આગળ, કોણ પાછળ

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત...
Gujarat 
LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો, જાણો કોણ આગળ, કોણ પાછળ

જો NOTAમાં સૌથી વધુ મત આવે તો કોણ જીતે? જાણો ચૂંટણી પંચના નિયમો

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં છે, પરંતુ મતદાનના દિવસે...
Politics 
જો NOTAમાં સૌથી વધુ મત આવે તો કોણ જીતે? જાણો ચૂંટણી પંચના નિયમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન બાદ, ભાજપે પોતાનું સંપૂર્ણ તાકત પ્રચારમાં લગાવી દીધી છે. બીજા તબક્કાના...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

'વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપનો ઉપયોગ કર્યો હશે, બેટને લેબમાં મોકલો', પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતનો લવારો

જો તમે સફળતાની સીડી ચઢી રહ્યા હોવ, તો લોકો પગ પકડીને તમને નીચે ખેંચવાનો પ્રયાસ કરશે! માત્ર 15 વર્ષની...
Sports 
'વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપનો ઉપયોગ કર્યો હશે, બેટને લેબમાં મોકલો', પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતનો લવારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.