વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં જે ઠનઠનિયા કાલીબારી મંદિરે પહોંચ્યા હતા, જાણો તેનો ઇતિહાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભારે મતદાન બાદ, ભાજપે પોતાનું સંપૂર્ણ તાકત પ્રચારમાં લગાવી દીધી છે. બીજા તબક્કાના મતદાન અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર કોલકાતામાં એક વિશાળ રોડ શૉ યોજ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી ભીડ એકઠી થઈ હતી. રોડ શૉ શરૂ થાય તે પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના બિધાન સરણી સ્થિત પ્રાચીન સિદ્ધ શક્તિપીઠ ઠનઠનિયા કાલીબારી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં દેવી કાલીના આશીર્વાદ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંત્રોચ્ચાર સાથેના આશીર્વાદ આપવામાં આવ્યા. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન રહીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, પુજારીઓ સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ, તેઓ રોડ શૉ માટે રવાના થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વાહન રસ્તાઓ પર આવતાની સાથે જ સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારા અને શંખના અવાજોથી ગુંજી ઉઠ્યો. રોડ શૉ બી.કે. પાલ એવન્યૂથી શરૂ થયો અને ખન્ના ક્રોસિંગ સુધી ચાલ્યો. આખા રૂટ પર હજારો લોકો રસ્તાની બંને બાજુ લાઇનમાં ઉભા હતા. છત અને બાલ્કનીમાંથી, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોનો વરસાદ કરી રહ્યા હતા.

7

ઠનઠનિયા કાલીબારી મંદિરનો ઇતિહાસ

ઠનઠનિયા કાલીબારી કોલકાતાના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત કાલી મંદિરોમાંનું એક છે. 1803માં તેની સ્થાપના થઇ હતી, તેનો 300 વર્ષ જૂનો ઇતિહાસ શહેરના ઔપચારિક વિકાસ પહેલાનો છે. અહીં દેવી કાલીની પૂજા 'મા સિદ્ધેશ્વરી'ના રૂપમાં કરવામાં આવે છે, અને અહી અધિષ્ઠાત્રી જેવીને 'જાગૃત'  માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ વારંવાર આ મંદિરે જતા હતા અને મા સિદ્ધેશ્વરીની સ્તુતિમાં ભજનો ગાતા હતા. મંદિરની અંદર તેમણે જે દિવ્ય વાણી કહી હતી, તેને દિવાલો પર કોતરવામાં આવી છે, જેના પર લખેલું છે: શંકરેર હૃદય માંઝે, કાલી બિરાજે (મા કાલી ભગવાન શિવના હૃદયમાં રહે છે).

8

વિક્રમી મતદાન બાદ ભાજપે કરી રહી છે જોરદાર પ્રચાર

પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 92 ટકાથી વધુ મતદાન થયું હતું, જે રેકોર્ડબ્રેક હતું. આ ઘટનાક્રમ બાદ, ભાજપનું મનોબળ વધ્યું છે. ભાજપ હાઇકમાન્ડ આ ભારે મતદાનને તેમના પક્ષમાં માનીને ચાલી રહી છે. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ, મતદાનના બીજા તબક્કા પહેલા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. હવે, બધાની નજર 29 એપ્રિલે યોજાનાર બીજા તબક્કાના મતદાન પર છે.

ઠનઠનિયા કાલીબારી મંદિરની મુલાકાત લેવા ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ​​મતુઆ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મતુઆ સમુદાય અને તેની સંસ્કૃતિ સાથે તેનો ખાસ બંધન છે. આ પહેલા, 2019માં, તેઓ 'બોડો મા' બીનાપાણી ઠાકુરને મળ્યા હતા; ફોટોગ્રાફ તે જ મુલાકાતની છે.

9

શહેરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ

નોંધનીય છે કે ઉત્તર કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાજપ આ પ્રદેશમાં શહેરી મતદારોને જીતવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યાં તૃણમૂલ કોંગ્રેસે ઐતિહાસિક રીતે મજબૂત પગપેસારો જાળવી રાખ્યો છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોલકાતા મતવિસ્તારોમાં પરિણામને પ્રભાવિત કરવાનો છે જ્યાં ચૂંટણી સ્પર્ધા જોરદાર છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ પણ આ પ્રદેશ પર પોતાની પકડ જાળવી રાખવા માટે સતત રેલીઓ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.