આ દેશે ટ્રમ્પને મારવાના ખાધા સોગંધ, તૈયાર થઈ રહી છે ખતરનાક ક્રૂઝ મિસાઇલ

ઇરાને ફરી એક વખત પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યાદ અપાવ્યું કે, તે પોતાના ઉચ્ચ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે અત્યારે પણ પૂરી તૈયારી કરી રહ્યું છે. એક ઈરાની જનરલે કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, અમારા નિશાન પર પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય તેમના વિદેશ મંત્રી રહેલા માઇક પોમ્પિયો પણ છે. જાન્યુઆરી 2020માં બગદાદ એરપોર્ટ પર અમેરિકન ડ્રોન હુમલામાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના વિદેશી અભિયાનોના પ્રમુખ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું હતું.

તેની હત્યાનો બદલો લેવા તેહરાને વારંવાર સોગંધ ખાધા છે. ગાર્ડ્સ એરોસ્પેસના યુનિટ કમાન્ડર જનરલ અમીરાલી હાજીજાદેહે એક ઈરાની ટી.વી. ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમને આશા છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પ, માઇક પોમ્પિયો, મેકેન્જી (પૂર્વ અમેરિકન જનરલ) અને સૈન્ય કમાન્ડરોને મારી શકીશું, જેમણે કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો.’ અમેરિકન હિતોને જોતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકમાં ઘણી સ્ટ્રાઈક કરાવી અને દોષ ઈરાન પર લગાવ્યો.

કેટલાક દિવસો બાદ, ઇરાને ઇરાકમાં એક અમેરિકન એરબેઝ પર મિસાઇલ નાખીને જવાબી કાર્યવાહી કરી, જેમાં અમેરિકન સૈનિક હતા. આ હુમલામાં કોઈનું મોત થયું નહોતું, પરંતુ વૉશિંગટને કહ્યું કે, ડઝનો લોકો માનસિક રૂપે ઇજાગ્રસ્ત થયા. ટ્રમ્પ અને પોમ્પિયોને મારવા માટે ઈરાન નવી ક્રૂઝ મિસાઈલને વિકસિત કર્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગીઓએ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે.

ટી.વી. પર પોતાની ટિપ્પણીમાં હાજીજાદેહે કહ્યું કે, ઈરાન ‘હવે 2000 કિલોમીટર (1243 માઈલ)ની દૂરી પર અમેરિકન જહાજોને મારવામાં સક્ષમ છે.’ ઈરાની જનરલે કહ્યું કે, અમે યુરોપીય લોકોના સન્માન માટે 2,000 કિલોમીટરની સીમા નક્કી કરી છે. હાજીજાદેહે સ્ટેટ ટી.વી.ને જણાવ્યું કે, ‘1650 કિલોમીટરની રેંજવાળી અમારી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના મિસાઇલ જકહીરેમાં સામેલ કરવામાં આવી છે.

ટી.વી. ચેનલે ઈરાનની નવી પાવેહ ક્રૂઝ મિસાઈલની ટેસ્ટિંગની ફૂટેજ પણ પ્રસારિત કર્યા છે. સંયુક્ત રાજ્ય અમેરિકન વિરોધ અને યુરોપીય દેશો દ્વારા ચિંતાની અભિવ્યક્તિના વિરોધમાં ઇરાને પોતાના મિસાઇલ કાર્યક્રમ, વિશેષ રૂપે પોતાની બેલિસ્ટિક મિસાઈલોનો વિસ્તાર કર્યો છે. તેહરાનનું કહેવું છે કે, આ કાર્યક્રમ વિશુદ્ધ રૂપથી રક્ષાત્મક અને નિવારક પ્રકૃતિનો છે. ઇરાને કહ્યું કે, તેણે યુક્રેનમાં તેણે યુક્રેનમાં યુદ્ધ અગાઉ મોસ્કોને ડ્રોનનો પુરવઠો પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ઇરાને એક હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ વિકસિત કરી છે.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.