ચૂંટણીમાં મળેલી હાર બાદ PKની પહેલી પ્રતિક્રિયા આવી સામે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જન સૂરાજના વડા પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હારની જવાબદારી સ્વીકારી. સાથે તેમણે એમ પણ માન્યું કે બિહારમાં વ્યવસ્થા બદલવાના તેમના પ્રયાસો બિલકુલ સફળતા ન મળી. પરંતુ અમારા પ્રયાસો ચાલુ રહેશે.

prashant-kishor
bbc.com

જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘અમે ઈમાનદાર પ્રયાસ કર્યા અને તેમાં બિલકુલ સફળતા ન મળી. તેને સ્વીકારવામાં કોઈ ખરાબી નથી. વ્યવસ્થા પરિવર્તનની વાત છોડો, અમે સત્તા પરિવર્તન પણ ન કરાવી શક્યા. પરંતુ બિહારના રાજકારણને બદલવામાં અમારી જરૂર ભૂમિકા રહી. અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમારી સમજાવટમાં ખામી રહી હશે, જેના કારણે જનતાએ અમને ન ચૂંટ્યા.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો સ્વીકાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો જનતાએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. હું આ જવાબદારી 100% પોતાના ઉપર લઉં છુ કે અમે જે પ્રયાસો માટે જોડાયા હતા તેમાં જનતાનો વિશ્વાસ ન જીતી શક્યા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારા લોકોથી ભૂલ થઈ છે... જે લોકોએ જન સૂરાજ સાથે જોડાઈને એક સપનું જોયું હતું, આશાનું કિરણ જાગ્યું હતું, એ બધાની આઓ પર, સપનાઓ પર ખરા ઉતરવાનો જે દોષ છે તે મારો છે, એટલે હું નમ્રતાપૂર્વક માફી માગુ છું. હું તે વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહ્યો છું.

prashant-kishor2
bbc.com

ઉલ્લેખનીય છે કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રશાંત કિશોર રાજ્યના રાજકારણમાં મોટો પરિવર્તન લાવવાનો દાવો કરી રહ્યા હતા. જ્યારે પરિણામો આવ્યા ત્યારે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. જન સૂરાજ પાર્ટીએ 243 બેઠકોમાંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા,જેમાંથી 236 બેઠકો પર ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.