ચૂંટણીમાં મળેલી હાર બાદ PKની પહેલી પ્રતિક્રિયા આવી સામે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જન સૂરાજના વડા પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હારની જવાબદારી સ્વીકારી. સાથે તેમણે એમ પણ માન્યું કે બિહારમાં વ્યવસ્થા બદલવાના તેમના પ્રયાસો બિલકુલ સફળતા ન મળી. પરંતુ અમારા પ્રયાસો ચાલુ રહેશે.

prashant-kishor
bbc.com

જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘અમે ઈમાનદાર પ્રયાસ કર્યા અને તેમાં બિલકુલ સફળતા ન મળી. તેને સ્વીકારવામાં કોઈ ખરાબી નથી. વ્યવસ્થા પરિવર્તનની વાત છોડો, અમે સત્તા પરિવર્તન પણ ન કરાવી શક્યા. પરંતુ બિહારના રાજકારણને બદલવામાં અમારી જરૂર ભૂમિકા રહી. અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમારી સમજાવટમાં ખામી રહી હશે, જેના કારણે જનતાએ અમને ન ચૂંટ્યા.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો સ્વીકાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો જનતાએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. હું આ જવાબદારી 100% પોતાના ઉપર લઉં છુ કે અમે જે પ્રયાસો માટે જોડાયા હતા તેમાં જનતાનો વિશ્વાસ ન જીતી શક્યા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારા લોકોથી ભૂલ થઈ છે... જે લોકોએ જન સૂરાજ સાથે જોડાઈને એક સપનું જોયું હતું, આશાનું કિરણ જાગ્યું હતું, એ બધાની આઓ પર, સપનાઓ પર ખરા ઉતરવાનો જે દોષ છે તે મારો છે, એટલે હું નમ્રતાપૂર્વક માફી માગુ છું. હું તે વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહ્યો છું.

prashant-kishor2
bbc.com

ઉલ્લેખનીય છે કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રશાંત કિશોર રાજ્યના રાજકારણમાં મોટો પરિવર્તન લાવવાનો દાવો કરી રહ્યા હતા. જ્યારે પરિણામો આવ્યા ત્યારે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. જન સૂરાજ પાર્ટીએ 243 બેઠકોમાંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા,જેમાંથી 236 બેઠકો પર ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.