‘ચૂંટણીમાં ગરબડી થઈ, પરંતુ પુરાવા..’. બિહારમાં પાર્ટીની હાર પર શું બોલ્યા પ્રશાંત કિશોર?

જન સૂરાજના સ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર બાદ પહેલી વાર ખૂલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી રિગ્ડ એટલે કે પ્રભાવિત કે ગરબડી લાગે લાગે છે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે હાલમાં તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી. ઇન્ડિયા ટૂડે ટીવીના અહેવાલ મુજબ કિશોરે કહ્યું કે, તેમની પાર્ટીની હાર જેટલી મોટી દેખાઈ રહી છે, જમીની વાસ્તવિકતા સાથે બિલકુલ મેળ ખાતી નથી. તેમના મતે જન સૂરાજની મહિનાઓની સફર દરમિયાન મળેલો જનતાનો ઉત્સાહ, સમર્થન અને ફિડબેક ખૂબ જ સકારાત્મક હતો, પરંતુ મતદાન પરિણામોમાં એ ન દેખાયા.

PKએ કહ્યું કે ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા જેનો કોઈ તાર્કિક આધાર ન દેખાયો. કેટલીક અદૃશ્ય તાકતો હતી. એવી પાર્ટીઓને લાખો મત મળ્યા, જેમને લોકો જાણતા પણ નહોતા. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી, પરંતુ મારી પાસે આનો કોઈ પુરાવો નથી. છતા ઘણી બધી બાબતો મેળ ખાતી નથી. પહેલી નજરે એવું લાગે છે કે કંઈક ખોટું થયું છે, પરંતુ શું તે ખબર નથી.’ મતદાન પેટર્ન અને ગ્રાઉન્ડ રિપોર્ટ બિલકુલ મેળ ખાતા નથી, જે આ શંકાને વધુ ઘેરી બનાવે છે.

PK
business-standard.com

પ્રશાંત કિશોરે બીજો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે NDAએ હજારો મહિલાઓને 10,000 રૂપિયા રોકડામાં વહેંચ્યા, અને આ સિલસિલો ચૂંટણીની જાહેરાતથી લઈને મતદાનના દિવસ સુધી ચાલુ રહ્યું. તેમના મતે આ રકમ ફક્ત પહેલો હપ્તો હતો.

તેમણે આરોપ લગાવ્યો કે, ‘મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે તેમને કુલ 2 લાખ રૂપિયા મળશે. 10,000 રૂપિયા અગાઉથી આપવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ NDAને, નીતિશ કુમારને મત આપશે, તો તેમને બાકીની રકમ પછીથી મળશે. મેં ક્યારેય કોઈ સરકાર, ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ દેશમાં, મહિલાઓને આવા પૈસા વહેંચતી જોઈ નથી. PKના મતે, આ એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું જેણે ચૂંટણી પરિણામને પ્રભાવિત કર્યું.

PK
bbc.com

PKએ સ્વીકાર્યું કે ચૂંટણીના અંતિમ તબક્કા સુધીમાં મતદારોમાં એવી ધારણા બનવા લાગી જન સૂરાજ જીતવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું, લોકોને ડર હતો કે જો તેમણે અમને મત આપ્યા અને અમે નહીં જીતીએ, તો લાલુ પ્રસાદ યાદવનું જંગલ રાજ પાછું આવી શકે છે. આ ડરથી પણ મત સરકી ગયા. તેમનું માનવું છે કે આ ભાવના ઘણા ક્ષેત્રોમાં નિર્ણાયક સાબિત થઈ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમની રાજકીય સફરનો ઓબિચ્યુરી લખવાનું શરૂ કરી દીધું છે, તો PKએ કહ્યું, ‘જે લોકો આજે મારી ટીકા કરી રહ્યા છે, તેઓ જ મારી જીત પર તાળી વગાડતા હતા. ટીકા તેમનું કામ છે અને હું મારું કામ કરી રહ્યો છું. જો હું સફળ થઈશ, તો તે જ લોકો ફરીથી પ્રશંસા કરશે. આ બધું દર્શાવે છે કે કહાની પૂરી થઈ નથી; હજુ કહાની બાકી છે.

બિહારની 243 બેઠકોમાંથી 238 બેઠકો પર જન સૂરાજના ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહીં. વોટ શેર  માત્ર 2-3 ટકા હતો. મોટાભાગના ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી. પ્રશાંત કિશોરે તેને કારમી હાર ગણાવી, પરંતુ ભારપૂર્વક કહ્યું કે આ અંત નથી.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.