વિજય સરકાર લાગ્યો ભ્રષ્ટાચારનો પહેલો આરોપ, ભાજપે ટેન્ડર પર ઉઠાવ્યા સવાલ

ઐતિહાસિક જનાદેશ સાથે તમિલનાડુમાં સત્તામાં આવ્યા બાદથી જ મુખ્યમંત્રી વિજય સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે તેમની પાર્ટી તમિઝગા વેટ્ટી કઝગમ (TVK) ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, વિજયના નવા કાર્યાલયમાં શિફ્ટ થવાના આયોજનથી એક મોટો વિવાદ ઊભો થયો છે, જેમાં ભાજપ દ્વારા તાજેતરમાં જ 100 દિવસ પૂરા કરનાર આ સરકાર સામે પ્રથમ વખત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને ખસેડવા માટે બહાર પાડવામાં આવેલા રૂ. 5.54 કરોડના ટેન્ડરમાં અનિયમિતતાઓ થઈ હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે, જેને TVK દ્વારા સખત રીતે ફગાવી દેવામાં આવ્યો છે.

08

આ વિવાદ વિજયના મુખ્યમંત્રી કાર્યાલયને ફોરેસ્ટ સેન્ટ જ્યોર્જના મુખ્ય બ્લોકમાંથી ખસેડીને નજીકમાં આવેલાના મક્કલ કવિનગાર માળિગાઈ બિલ્ડિંગમાં લઈ જવાના નિર્ણયથી શરૂ થયો છે, જે ઈમારત તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કલાઈગ્નર દ્વારા બનાવવામાં આવી હતી. આ બંને ઈમારતો એક જ સચિવાલય પરિસરમાં આવેલી છે. TVKએ એવો દાવો કર્યો છે કે આ ટ્રાન્સફર કોઈ અંગત વૈભવ માટે નથી, પરંતુ અધિકારીઓ અને સ્ટાફ માટે વધુ આરામદાયક અને પૂરતી જગ્યા પૂરી પાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

જોકે, વિપક્ષ DMK અને ભાજપે આરોપ લગાવ્યો છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ નવી ઓફિસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ભાજપે એવો પણ આક્ષેપ કર્યો છે કે બાંધકામ શરૂ થયાના એક મહિના પછી રૂ. 5.5 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. પ્રોજેક્ટની કિંમત સૌપ્રથમ ઓનલાઈન જાહેર કરવામાં આવે છે. આ કિસ્સામાં તે રકમ રૂ. 5.54 કરોડ હતી.


જ્યારે ઈ-ટેન્ડર શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યું ત્યારે પ્રોજેક્ટની કિંમત સામે 'NA' (નોટ એપ્લિકેબલ/લાગુ પડતું નથી) લખેલું હતું. એટલે કે, રૂ. 5.5 કરોડનો ખર્ચ તેમાં દર્શાવવામાં આવ્યો ન હતો, જેનાથી આશંકાઓ ઊભી થઈ હતી. આ અંગે TVKના મંત્રી આધવ અર્જુનાએ સ્પષ્ટતા કરી છે કે આ એક ટેકનિકલ ખામી હોઈ શકે છે.

સામાન્ય પ્રક્રિયા મુજબ અખબારમાં જાહેરાત આપતા પહેલા ટેન્ડરના દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. આ કિસ્સામાં, ટેન્ડર દસ્તાવેજો શરૂઆતમાં અપલોડ કરવામાં આવ્યા ન હતા. ભાજપનો આરોપ છે કે નવી CMO માટે ટેન્ડર નોટિફિકેશન 13 ઓગસ્ટે અખબારોમાં પ્રકાશિત થયું હતું, પરંતુ તેને તેના ચાર દિવસ પછી 17 ઓગસ્ટે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું હતું.

અખબારની જાહેરાત અને ઓનલાઈન ટેન્ડરમાં પ્રોજેક્ટનો ખર્ચ, સમયગાળો અને અન્ય સ્પષ્ટીકરણો સરખા હોવા જોઈએ. પરંતુ આ કિસ્સામાં ટેન્ડરમાં કિંમત શરૂઆતમાં 'NA' દર્શાવવામાં આવી હતી, જ્યારે પ્રિન્ટ જાહેરાતમાં રૂ. 5.54 કરોડની કિંમત ઉલ્લેખિત હતી.

06

TVK એ જાળવી રાખ્યું છે કે આમાં કોઈ કૌભાંડનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને જે પણ થયું તે માત્ર એક ભૂલ કે ક્ષતિ હતી. મહત્વની વાત એ છે કે, ટેન્ડર હજુ સુધી કોઈને ફાળવવામાં આવ્યું નથી.

મંગળવારે તમિલનાડુ વિધાનસભામાં પણ આ વિવાદનો પડઘો પડ્યો હતો. DMKના ધારાસભ્ય ઈ.વી. વેલુએ રેખાંકિત કર્યું હતું કે કલાઈગ્નર, એમ.જી. રામચંદ્રન અને જયલલિતા જેવા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ આટલા વર્ષો સુધી સેન્ટ જ્યોર્જ ફોર્ટની તેમની જૂની ઓફિસમાંથી જ કામ કર્યું હતું.

તેમણે કહ્યું, જો તમિલનાડુને ભારતમાં નંબર 1 રાજ્ય માનવામાં આવે છે, તો તેનું કારણ એ છે કે આ તમામ મુખ્યમંત્રીઓએ એ જ રૂમમાંથી કામ કર્યું હતું. તો પછી શું મુખ્યમંત્રીએ માત્ર વર્તમાન રૂમમાંથી જ કામ ચાલુ ન રાખવું જોઈએ? આ ફેરબદલને કારણે સચિવાલય એસોસિએશન સાથે જોડાયેલા લોકો કહી રહ્યા છે કે તેમની પાસે ખાવા કે આરામ કરવા માટે જગ્યા નથી.

આ અહેવાલોને ખોટા ગણાવતા, TVK ના જાહેર બાંધકામ (PWD) મંત્રી આધવ અર્જુનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મુખ્યમંત્રી કાર્યાલયના પ્રોજેક્ટ માટે શેડ્યૂલ ઓફ રેટ્સ હજુ સુધી કેમ જાહેર કરવામાં આવ્યા નથી.

તેમણે કહ્યું કે જો નવા દરો અત્યારે જાહેર કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરો તેમના ટેન્ડરના ભાવ વધારી શકે છે. સામાન્ય રીતે, તેઓ તેમના દરો 3%, 5% કે 7% વધારે છે. જોકે, અમે તમામ વિભાગોને એ જ શેડ્યૂલ ઓફ રેટ્સ આપ્યા છે જે ગયા વર્ષે અમલમાં હતા, અર્જુનાએ ઉમેર્યું.

TVK મંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કલાઈગ્નર અને જયલલિતા બંને એક નવું સચિવાલય બનાવવા માંગતા હતા. શું તે બાબતે કોઈ અસંમતિ છે?.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવી ઓફિસ વિજયની અંગત સુવિધા કે તેમની પોતાની જરૂરિયાતો માટે બનાવવામાં આવી રહી નથી. અર્જુનાએ નિર્દેશ કર્યો કે હાલમાં ચાર સચિવો 100 ચોરસ ફૂટથી પણ ઓછી જગ્યામાં કામ કરી રહ્યા છે, અને અધિકારીઓ માટે યોગ્ય શૌચાલયની સુવિધાઓ પણ નથી.

07

મંત્રીએ કહ્યું મુખ્યમંત્રી સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ વર્ગોના લોકોને મળે છે. ઘણા વિદેશી પ્રતિનિધિમંડળો પણ આવે છે... પરંતુ તેમના માટે યોગ્ય સુવિધાઓ નથી.

DMKના વેલુએ આ વાતનો વિરોધ કરતા દલીલ કરી હતી કે ભાવ અંગે અર્જુનાની સ્પષ્ટતા ખોટી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોન્ટ્રાક્ટરો સામાન્ય રીતે પ્રોફિટ માર્જિન ધ્યાનમાં લીધા વિના સરકારી કામ મેળવવા માટે સ્પર્ધા કરતા હોય છે.

આ વિવાદ ત્રણ મહિના જૂની વિજયના નેતૃત્વ હેઠળની સરકાર પર લાગેલો ભ્રષ્ટાચારનો પ્રથમ મોટો આક્ષેપ છે. TVK સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિસંગતતાઓ માત્ર એક ટેકનિકલ ખામીને કારણે હતી અને કોઈ કૌભાંડ થયું નથી, ત્યારે ભાજપ અને DMK ટેન્ડર પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વિજય સરકાર પોતાની આ પ્રથમ મોટી રાજકીય પરીક્ષાનો સામનો કેવી રીતે કરે છે.

About The Author

Top News

ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

ભારતનું ખાંડ બજાર હાલ એક અસાધારણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખેતરોમાં શેરડીનો પૂરતો પાક છે, ઈથેનોલ પ્રોગામ...
Business 
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

રાષ્ટ્રીયગીત 'વંદે માતરમ'ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ પોતાના...
'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

શરીર મનુષ્યનું, પણ ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર ફરિયાદ સુનાવણીમાં એક શખ્સ કૂતરાનું માસ્ક પહેરીને પહોંચ્યો ત્યારે...
National 
શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું-  નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે. 19 વર્ષની ગર્ભવતી મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં પહોંચી હતી. પરિવારના...
National 
ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.