- Politics
- ઈન્દિરા ગાંધીને માતા કહેનારા કમલનાથ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?
ઈન્દિરા ગાંધીને માતા કહેનારા કમલનાથ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?

દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ, ઇંદિરા ગાંધી જેમને ત્રીજો દીકરો ગણતા એવા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જવા માંગે છે? શનિવારથી રાજકારણ ગરમાયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. કમલનાથે હજુ સુધી આ વાતનો ઇન્કાર પણ નથી કર્યો. જાણકારો માની રહ્યા છે કે રવિવારે સાંજે કમલનાથ ભાજપમાં જોડાઇ શકે છે.
કમલનાથ ભાજપમાં જોડાઇ શકે તેના 5 કારણો છે. એક કારણ એ છે કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હારની જવાબદારી કોંગ્રેસે કમલનાથ પર નાંખી દીધી હતી, તેમને જ હાર માટે જવાબદાર ગણી લેવામાં આવ્યા હતા. બીજું કારણ એ છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની હાર પછી તરત જ કમલનાથને મધ્ય પ્રદેશના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ત્રીજું કારણ એ છે કે, કમલનાથને દિલ્હી આવવું હતું, પરંતુ કોંગ્રેસે તેમની વાત માની નહીં. ચોથું કારણ એ છે કે કમલનાથને રાજ્યસભાના ઉમેદવાર ન બનાવાયા અને પાંચમું કારણ એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
