ઈન્દિરા ગાંધીને માતા કહેનારા કમલનાથ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?

દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ, ઇંદિરા ગાંધી જેમને ત્રીજો દીકરો ગણતા એવા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જવા માંગે છે? શનિવારથી રાજકારણ ગરમાયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. કમલનાથે હજુ સુધી આ વાતનો ઇન્કાર પણ નથી કર્યો. જાણકારો માની રહ્યા છે કે રવિવારે સાંજે કમલનાથ ભાજપમાં જોડાઇ શકે છે.

કમલનાથ ભાજપમાં જોડાઇ શકે તેના 5 કારણો છે. એક કારણ એ છે કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હારની જવાબદારી કોંગ્રેસે કમલનાથ પર નાંખી દીધી હતી, તેમને જ હાર માટે જવાબદાર ગણી લેવામાં આવ્યા હતા. બીજું કારણ એ છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની હાર પછી તરત જ કમલનાથને મધ્ય પ્રદેશના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ત્રીજું કારણ એ છે કે, કમલનાથને દિલ્હી આવવું હતું, પરંતુ કોંગ્રેસે તેમની વાત માની નહીં. ચોથું કારણ એ છે કે કમલનાથને રાજ્યસભાના ઉમેદવાર ન બનાવાયા અને પાંચમું કારણ એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.