ઈન્દિરા ગાંધીને માતા કહેનારા કમલનાથ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?

દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ, ઇંદિરા ગાંધી જેમને ત્રીજો દીકરો ગણતા એવા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જવા માંગે છે? શનિવારથી રાજકારણ ગરમાયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. કમલનાથે હજુ સુધી આ વાતનો ઇન્કાર પણ નથી કર્યો. જાણકારો માની રહ્યા છે કે રવિવારે સાંજે કમલનાથ ભાજપમાં જોડાઇ શકે છે.

કમલનાથ ભાજપમાં જોડાઇ શકે તેના 5 કારણો છે. એક કારણ એ છે કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હારની જવાબદારી કોંગ્રેસે કમલનાથ પર નાંખી દીધી હતી, તેમને જ હાર માટે જવાબદાર ગણી લેવામાં આવ્યા હતા. બીજું કારણ એ છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની હાર પછી તરત જ કમલનાથને મધ્ય પ્રદેશના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ત્રીજું કારણ એ છે કે, કમલનાથને દિલ્હી આવવું હતું, પરંતુ કોંગ્રેસે તેમની વાત માની નહીં. ચોથું કારણ એ છે કે કમલનાથને રાજ્યસભાના ઉમેદવાર ન બનાવાયા અને પાંચમું કારણ એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

About The Author

Related Posts

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.