રોહિત શર્મા સામે મોટો પડકાર, મેચ પહેલા જ ફસાયો કેપ્ટન!

ટીમ ઈન્ડિયા ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. હવેથી બરાબર છ દિવસ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચાર મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરશે. આ સિરીઝ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે, પહેલાથી જ તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ તરફથી જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, તે દર્શાવે છે કે જ્યારે બંને ટીમ મેદાનમાં ઉતરશે તો સ્પર્ધા કઠિન હશે. આ સીરીઝમાંથી કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ પરત ફરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી વનડે શ્રેણીમાં હતા, પરંતુ T20 શ્રેણીમાંથી તેમને આરામ આપવામાં આવ્યો હતો. પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આખી ટીમ નાગપુર પહોંચશે, જ્યાં કેમ્પ યોજાશે અને તૈયારીની પ્રક્રિયા આગળ વધશે. દરમિયાન, મેચ પહેલા, કેપ્ટન રોહિત શર્મા એક વિચિત્ર મૂંઝવણમાં ફસાયેલો હશે. જેનો ઉપાય તેણે પોતે અને કોચ રાહુલ દ્રવિડે અગાઉથી જ કરવો પડશે.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે, શ્રેયસ અય્યરને પણ પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે એવા અહેવાલ છે કે, શ્રેયસ અય્યર ઓછામાં ઓછી પ્રથમ ટેસ્ટ તો રમી જ નહીં શકશે. તેની ઈજા હજુ સંપૂર્ણ રીતે સાજી થઈ નથી. જો શ્રેયસ અય્યર ટીમમાં રહેશે તો તેનું પ્લેઈંગ ઈલેવનમાં રમવું લગભગ નિશ્ચિત છે, સાથે જ તે મિડલ ઓર્ડરને પણ મજબૂત કરશે. શ્રેયસ અય્યરે તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં ઘણી પ્રભાવિત રમત રમી છે. પરંતુ હવે તેની જગ્યાએ કોણ રમશે? માનવામાં આવે છે કે શ્રેયસ ઐયરની જગ્યાએ શુભમન ગિલને મિડલ ઓર્ડરમાં મેદાનમાં ઉતારવામાં આવશે. મતલબ કે વાઈસ કેપ્ટન KL રાહુલ, કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. શુભમન ગિલ, ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ઓપનર તરીકે જે પ્રકારની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી, તે પછી તેને ન રમાડવો પોસાય તેમ નથી. પરંતુ જો ઓપનર મિડલ ઓર્ડરમાં આવશે તો તેની રમતની રિધમ પર ચોક્કસ અસર થશે.

કેપ્ટન રોહિત શર્માની સામે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનો પડકાર હશે, પરંતુ સાથે જ એક સવાલ પણ થશે કે કોણ ઓપનિંગ કરશે. કેપ્ટન રોહિત શર્મા કરશે ઈનિંગની શરૂઆત, પણ કોણ આપશે સાથ? આ પ્રશ્ન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને ચોક્કસપણે પરેશાન કરી શકે છે. સુકાની અને કોચ જે પણ નિર્ણય લે, જો તે ચાલી ગયો તો સારું છે, પરંતુ જો તે ક્યાંક ફિસ્સડ્ડી થઈ ગયો તો, તે મુશ્કેલ બની શકે છે.

કોઈપણ રીતે, શ્રેણીની દરેક મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે કોઈ પણ સંજોગોમાં જીતવું પડશે. માત્ર પ્રથમ મેચ જ નહીં પરંતુ શ્રેણીની તમામ મેચો ખાસ છે. ભલે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો પ્રશ્ન હોય કે પછી ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર જવાનો. તમને આ શ્રેણીમાંથી તમામ જવાબો મળશે. એવી અપેક્ષા રાખવી જોઈએ કે, મેચના એક દિવસ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે રોહિત શર્મા આ તમામ સવાલોના જવાબ પોતાની સાથે લઈને જ આવશે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.