BCCIની જાહેરાત- 1 ઓવરમાં બે બાઉન્સર ફેકી શકશે બોલર, બેઠકમાં લેવાયા આ નિર્ણય

અપેક્ષ કાઉન્સિલની 18મી બેઠક શુક્રવારે મુંબઇમાં થઈ હતી. તેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. બોલરો અને બેટ્સમેનો વચ્ચે સારું એવું કોમ્બિનેશન બેસાડવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે હવે બોલર સૈયદ મુશતાક અલી ટ્રોફીમાં એકની જગ્યાએ 2 બાઉન્સર ફેકી શકે છે. કાઉન્સિલે એશિયન ગેમ્સમાં મેન્સ અને વુમન્સ ટીમ ઉતારવા પર મ્હોર લગાવી દીધી છે. એ સિવાય અન્ય બીજા પણ ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે.

શનિવારે રીલિઝ કરવામાં આવેલી એક મીડિયા રીલિઝમાં જણાવવામાં આવ્યું કે, BCCIએ આગામી T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ્સમેનો અને બોલરો વચ્ચે બેલેન્સ બેસાડવા માટે એક ઓવરમાં 2 બાઉન્સર ફેકવાની મંજૂરી આપી દીધી છે. આ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 16મી સીઝન હશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રમાશે. એ સિવાય BCCIએ કહ્યું કે, ટોસ અગાઉ ટીમ 4 સબ્સ્ટિટ્યુટ ખેલાડી સાથે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકે છે અને મેચ દરમિયાન ટીમ ક્યારેય પણ પોતાના ઇમ્પેક્ટ ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે.

તેના માટે ઓવરની કોઈ સીમા નથી. કહેવામાં આવ્યું કે, BCCI હવે મેન્સ અને વુમન્સ ટીમને એશિયન ગેમ્સમાં હિસ્સો લેવા માટે ચીન મોકલશે. તેના માટે વર્લ્ડ કામ જે ખેલાડીઓને ચાંસ મળ્યો નથી. તેમને જ માત્ર સિલેક્ટ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિખર ધવન એશિયન ગેમ્સ 2022માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરી શકે છે. એશિયન ગેમ્સમાં પુરુષ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે 19 સપ્ટેમ્બરથી મહિલાઓની સ્પર્ધા હશે.

અપેક્ષ કાઉન્સિલની બેઠકમ અન્ય કેટલાક મુદ્દાઓ પર વાત થઈ. ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવશે. તે ફેઝ 2 ચાલશે. પહેલા ICC વન-ડે વર્લ્ડ કપની મેચ જ્યાં થશે એ સ્ટેડિયમને સારા બનાવવામાં આવશે, જ્યારે બીજા ફેઝમાં અન્ય સ્ટેડિયમને અપગ્રેડ કરવામાં આવશે, જ્યાં વર્લ્ડ કપ મેચ નહીં રમાય. એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટની ઇવેન્ટ આયોજિત થશે. વર્ષ 2010 અને વર્ષ 2014માં ક્રિકેટની ઇવેન્ટ રાખવામાં આવી હતી. ત્યારે BCCIએ ન તો પુરુષ કે ન મહિલા ટીમને મોકલી હતી. વર્ષ 2010ની રમતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને ક્રમશઃ પુરુષ અને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તો વર્ષ 2014માં શ્રીલંકાએ પુરુષ વર્ગમાં અને પાકિસ્તાને મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.